કિંગ ઓફ સાળંગપુર: 54 ફૂટ ઊંચી દાદાની વિરાટ પ્રતિમાનું ભવ્ય અનાવરણ કરાયું; 4 કિમી દૂરથી ભક્તોને થશે દાદાના દર્શન

હનુમાનજીની આ પ્રતિમાએ સાળંગપુરની શોભામાં ચાર ચાંદ લગાવી દીધા છે.

New Update
કિંગ ઓફ સાળંગપુર: 54 ફૂટ ઊંચી દાદાની વિરાટ પ્રતિમાનું ભવ્ય અનાવરણ કરાયું; 4 કિમી દૂરથી ભક્તોને થશે દાદાના દર્શન

સાળંગપુર કષ્ટભંજન દેવ મંદિરમાં કિંગ ઓફ સાળંગપુરની પ્રતિમાનું આજે અનાવરણ કરવામાં આવ્યું છે. હનુમાન જયંતિના એક દિવસ પહેલાં જ એટલે કે આજે આ મૂર્તિને વડતાલ ગાદીના આચાર્ય રાકેશપ્રસાદદાસ સહિત અન્ય સંતો દ્વારા લોકાર્પણ કરવામાં આવ્યું છે. વિરાટ કિંગ ઓફ સાળંગપુર પ્રતિમા અને પ્રદક્ષિણા પથ પર સ્માર્ટ અને ઇન્ટેલીજેન્ટ કલરફૂલ લાઈટ્સ, પેટર્ન અને ડોક્યુમેંટ્રી ફિલ્મ દ્વારા દિલધડક દૃશ્યો રજૂ કરાયા. 13 મિનિટના શોમાં સાળંગપુર તીર્થનો ઇતિહાસ, મહિમા, ભગવાન સ્વામિનારાયણનું આગમન, પૂજ્ય ગોપાળાનંદ સ્વામી દ્વારા પ્રતાપી કષ્ભંજનદેવ હનુમાનજીની સ્થાપનાથી લઈ આજે આ તીર્થના હ્રદયતીર્થ સ્થાન પર 54 ફૂટ ઊંચા કિંગ ઓફ સાળંગપુરની સ્થાપનાની કહાની એક નવા અંદાજમાં રજૂ કરવામાં આવી. હનુમાનજીની આ પ્રતિમાએ સાળંગપુરની શોભામાં ચાર ચાંદ લગાવી દીધા છે.

Advertisment


કિંગ ઓફ હનુમાન'ની વિશેષતાઓ:

  1. મુકુટ: 7 ફૂટ લાંબુ, 7.5 ફૂટ પહોળું
  2. મુખારવિંદ: 6.5 ફૂટ લાંબુ, 7.5 ફૂટ પહોળું
  3. હાથનું કડુ: 15 ફૂટ ઊંચુ, 3.5 ફૂટ પહોળું
  4. હાથ: 6.5 ફૂટ લાંબા, 4 ફૂટ પહોળા
  5. પગ: 8.5 ફૂટ લાંબા, 4 ફૂટ પહોળા
  6. આભૂષણ: 24 ફૂટ લાંબા, 10 ફૂટ પહોળા
  7. પગના કડા: 15 ફૂટ ઊંચા, 2.5 ફૂટ પહોળા
  8. ગદા: 27 ફૂટ લાંબી, 8.5 ફૂટ પહોળી
Advertisment
Read the Next Article

જો ભૂલથી પણ નિર્જળા એકાદશીના વ્રત પર આ નિયમ તોડ્યો તો વ્રત નિષ્ફળ..

આ વ્રતના પાટખંડમાં પાંડવોમાંથી ભીમસેનનું ઉદાહરણ લેવાય છે, જેમણે ખાવા-પીવાની વિશેષ ઇચ્છા હોવા છતાં નિર્જળા વ્રત રાખ્યું હતું. તેથી, આ એકાદશીને “ભીમસેની એકાદશી” પણ કહેવામાં આવે છે.

New Update
નિર્જળા એકાદશીનું મહત્વ

જ્યોતિષોના કહેવા અનુસાર, જો કોઈ વ્યક્તિ નિર્જળા એકાદશી પર ભૂલથી પણ પાણી પી લે છે, તો તેનું વ્રત તૂટી જાય છે અને ઉપવાસનું ફળ મળતું નથી. આ વ્રતના પાટખંડમાં પાંડવોમાંથી ભીમસેનનું ઉદાહરણ લેવાય છે, જેમણે ખાવા-પીવાની વિશેષ ઇચ્છા હોવા છતાં નિર્જળા વ્રત રાખ્યું હતું. તેથી, આ એકાદશીને ભીમસેની એકાદશીપણ કહેવામાં આવે છે.

Advertisment

પાણીનો ઉપયોગ આ દિવસે ફક્ત બે જ વાર કરી શકાય છે પહેલી વાર બ્રહ્મમુહૂર્તમાં સ્નાન કરતી વખતે અને બીજી વાર આચમન કરતી વખતે. વેદ વ્યાસજીએ કહ્યું છે કે આચમન માટે પણ માત્ર થોડું પાણી (છ માસથી વધુ નહીં) જ લેવાય. ફળ, રસ, અને અન્ય ખાદ્ય વસ્તુઓ સંપૂર્ણ રીતે પ્રતિબંધિત છે.

નિર્જળા એકાદશીનું પારણું પણ ચોક્કસ સમય પર જ કરવું જોઈએ. જેમ કે 6 જૂને વ્રત રાખનારા લોકો 7 જૂને સવારે 11:25 પછી જ કંઈ ખાઈ શકે છે. પારણા માટે શ્રેષ્ઠ સમય બપોરે 01:44 થી 04:31 વચ્ચે છે. વૈષ્ણવો માટે, જેમણે 7 જૂને વ્રત રાખ્યું હશે, તેઓ 8 જૂને સવારના 05:23 વાગ્યા પછી જ પાણી પી શકે છે અને 07:17 પહેલા પારણું કરી લેવું જોઈએ કારણ કે દ્વાદશી તિથિ ત્યારે પૂરું થશે.

Advertisment
Latest Stories