ભરૂચ: શ્રાવણ માસ નિમિત્તે સરદાર પટેલ સોસા.ખાતે સંગીતમય સુંદરકાંડના પાઠ યોજાયા, ભાવિક ભક્તોએ લીધો લાભ

ભરૂચમાં શ્રાવણ માસ નિમિત્તે સરદાર પટેલ સોસાયટી ખાતે સંગીતમય સુંદરકાંડના પાઠનું આયોજન કરાયુ હતું જેનો મોટી સંખ્યામાં ભાવિક ભક્તોએ લાભ લીધો હતો.

New Update
  • ભરૂચમાં કરવામાં આવ્યું આયોજન

  • સરદાર પટેલ સોસા.ખાતે આયોજન

  • સંગીતમય સુંદરકાંડના પાઠ યોજાયા

  • ભાવિક ભક્તોએ લીધો લાભ

  • શ્રાવણ માસ નિમિત્તે આયોજન

શ્રાવણ માસના પવિત્ર દિવસો ચાલી રહ્યા છે ત્યારે શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મસમાજ ભરૂચ શહેર અને તાલુકા બ્રહ્મ સમાજ દ્વારા સરદાર પટેલ સોસાયટી
ખાતે સંગીતમય સુંદરકાંડના પાઠનું આયોજન કરાયું હતું.
આ પ્રસંગે શ્રાવણ માસ દરમિયાન પ્રતિદિન સુંદરકાંડના પાઠ કરવાનો સંકલ્પ લેનાર સુંદરકાંડ પ્રચારક મંડળના સંદીપ પુરાણીએ  મધુર કંઠે પાઠ કરાવ્યા હતા.આ ધાર્મિક કાર્યક્રમમાં સરદાર પટેલ સોસાયટીના અગ્રણી રાજુ દેસાઈ, ભરૂચ શહેર બ્રહ્મ સમાજના પ્રમુખ હેમંત શુકલ, મહામંત્રી રાજુ ભટ્ટ અને સોસાયટીના અન્ય હોદ્દેદારો તેમજ મોટી સંખ્યામાં ભક્તો ઉપસ્થિત રહ્યા હતા.
Latest Stories