સુરેન્દ્રનગર: ધ્રાંગધ્રા સ્ટેટ સમયના 215 વર્ષ જુના શીતળા માતાજીના મંદિરે માનવ મહેરામણ ઉમટયું

શ્રાવણ વદ સાતમ આજના દિવસે ઠંડુ ખાવાનો રિવાજ છે.સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રામાં આવેલ શીતળા માતાનું મંદિર 215 વર્ષ  જુનું છે અને સ્ટેટ વખતનું આ મંદિર છે.

New Update
આજે શ્રાવણ વદ સાતમ
શીતળા સાતમના પર્વની ઉજવણી
ધ્રાંગધ્રાના 215 વર્ષ જુના મંદિરે ઉમટયું માનવ મહેરામણ
શીતળા માતાજીની કરાય આરાધના
લોકોએ મેળામાં મહાલવાની પણ મજા માણી
સુરેન્દ્રનગરના ધાંગધ્રામાં આવેલા પૌરાણિક શીતળા માતાજીના મંદિરે આજે માનવ મહેરામણ ઉમટયું હતું સાથે મેળામાં મહાલવાની પણ મજા માણી હતી.  અને સ્ટેટ વખતનું આ મંદિર છે.શ્રાવણ વદ સાતમ આજના દિવસે ઠંડુ ખાવાનો રિવાજ છે.સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રામાં આવેલ શીતળા માતાનું મંદિર 215 વર્ષ  જુનું છે
આજે વહેલી સવારથી લાંબી લાઇનો આ મંદિરે જોવા  મળી હતી.શ્રાવણ વદ સાતમ આઠમ નોમ અને દશમ એમ ચાર દિવસ મેળો ભરાય છે. જેમાં, હજારો ની સંખ્યામાં માણસો આવે છે. સાતમના દિવસે મંદિરે દર્શને આવતા લોકો માતાજીને શ્રીફળ, ચુંદડી, નેણા-ફુલા, માતાજીની આંખ, જીભ, તેમજ ચોટલો પણ ચડાવે છે. પોતાના બાળકોનું સારા આરોગ્ય અને લાંબા આયુષ્ય માટે બાળકની માતાઓ માતાજી પાસે પ્રાર્થના કરે છે.
Read the Next Article

અંબાજી ભાદરવી પૂનમ મહામેળો આજથી શરુ, જાણો આરતી અને દર્શનનો સમય?

બનાસકાંઠા કલેક્ટર મિહિર પટેલે માતાજીનો રથ ખેંચીને અંબાજી ભાદરવી પૂનમ મેળાનો પ્રારંભ કરાવ્યો છે. આ મહામેળો 7 સપ્ટેમ્બર 2025 સુધી ચાલશે.

New Update
melo

બનાસકાંઠા કલેક્ટર મિહિર પટેલે માતાજીનો રથ ખેંચીને અંબાજી ભાદરવી પૂનમ મેળાનો પ્રારંભ કરાવ્યો છે. આ મહામેળો 7 સપ્ટેમ્બર 2025 સુધી ચાલશે.

ભાદરવો મહિનો શરૂ થયો છે. શક્તિપીઠ અંબાજી ખાતે દર વર્ષની જેમ આ વર્ષે પણ ભાદરવી પૂનમનો મેળો યોજાયો છે. જેની શરૂઆત આજથી એટલે કે સોમવારથી શરુ થયો છે. બનાસકાંઠા કલેક્ટર મિહિર પટેલે માતાજીનો રથ ખેંચીને મેળાનો પ્રારંભ કરાવ્યો છે. આ મહામેળો 7 સપ્ટેમ્બર 2025 સુધી ચાલશે. ભાદરવી પૂનમના દિવસે લાખો ભક્તો અંબાજી માતાના દર્શન કરી ધન્યતા અનુભવે છે. તંત્ર દ્વારા પણ ભાદરવી પૂનમ મેળાને ધ્યાનમાં રાખીને સુરક્ષાથી લઈને દરેક પ્રકારની વ્યવસ્થાઓ કરી છે.

અંબાજી ભાદરવી પૂનમ મહામેળામાં ગુજરાત સહિત દેશની વિવિધ જગ્યાઓથી ભક્તો અંબાજી આવે છે. લાખો ભક્તો ચાલીને પગપાળા સંઘ લઈને પણ આવે છે. આ દિવસોમાં બોલ માડી અંબે જય જય અંબેના નાદથી સમગ્ર અંબાજી ગૂંજી ઉઠે છે. અંબાજી ગબ્બર અને અંબાજી મંદિર દર્શન કરવા ભક્તોનું કીડિયારું ઊભરાય છે.

અંબાજી ભાદરવી પૂનમ મહામેળા દરમિયાન અંબાજી મંદિર તંત્ર દ્વારા ભક્તોની આસ્થાને ધ્યાનમાં રાખી સમયમાં ફેરફાર કર્યા છે. મહામેળા દરમિયાન આ પ્રમાણેનો સમય રહેશે.

  • સવારે 6થી 6.30ના આરતી
  • સવારે 6થી 11.30 વાગ્યા સુધી દર્શન
  • સવારે 1130થી 12.30ના દર્શન બંધ રહેશે
  • બપોરે 12.30થી સાંજના 5 વાગા સુધી દર્શન
  • સાંજે 5થી રાત્રે 12 વાગ્યા સુધી દર્શન
  • રાત્રે 12 વાગ્યાથી લઈને સવારે 6 વાગ્યા સુધી દર્શન બંધ

અંબાજી ભાદરવી પૂનમ મેળો શું ખાસ રહેશે?

  • પ્રસાદ વિતરણ માટે કૂલ 28 પ્રસાદ કેન્દ્રો ઊભા કરાયા
  • મેળા દરમિયાન 30 લાખથી વધારે પ્રસાદના પેકેટ વિતરણ કરાશે
  • યાત્રિકો માટે કૂલ ચાર સ્થળોએ નિઃશુક્લ ભોજન વ્યવસ્થા કરાઈ છે
  • સુરક્ષા માટે ત્રણ સ્તરના પોલીસ બંદોબસ્ત સાથે 5000 જવાનો તૈનાત
  • 332થી વધુ કેમેરા થકી સમગ્ર મેળાનું મોનિટરિંગ કરાશે
  • 1,83,855 ચોરસ મીટર એરિયામાં કૂલ 35 જેટલા પાર્કિંગ ઊભા કરાયા
  • 22541 કરતા વધારે વાહનો પાર્ક થાય તેવી વ્યવસ્થા ગોઠવાઈ
  • શ્રદ્ધાળુઓ ઘરે બેઠા પાર્કિંગ બુક કરી શકે તે માટે show my parking એપ્લિકેશનની ઓનલાઈન સુવિધાન
  • પાર્કિંગથી મંદિર ખાતે જવા આવવા માટે મંદિર ટ્રસ્ટ તરફથી વિના મૂલ્યે મીની બસ સેવા
  • ડ્રોન લાઈટ શો સહિતના આયોજનો કરાયા