New Update
-
માં રેવા-રેવા તારું પાણી નિર્મળ
-
પાવન સલીલા માં નર્મદાની પરિક્રમા
-
વિશ્વમાં એક માત્ર નદીની પરિક્રમાં કરવામાં આવે છે
-
નર્મદા પરિક્રમાનું અનેરું ધાર્મિક મહત્વ
-
સેંકડો લોકો નર્મદા પરિક્રમામાં જોડાય છે
વિશ્વમાં એકમાત્ર નર્મદા નદી એવી છે જેની પરિક્રમા થાય છે. પુરાણોમાં નર્મદા પરિક્રમાનું અનેરુ મહત્વ દર્શાવ્યું છે. મા રેવાની પ્રદક્ષિણા યાત્રામાં રહસ્યો, રોમાંચ અને જોખમોથી ભરેલી છે ત્યારે દર વર્ષે આંકડો શ્રદ્ધાળુઓ પાવનસલીલામાં નર્મદાની પરિક્રમા કરે છે.
નર્મદા નદી મધ્યપ્રદેશ અને ગુજરાતની જીવાદોરી છે, પરંતુ તેમાંથી મોટાભાગની નદી મધ્યપ્રદેશમાં જ વહે છે. તે મધ્ય પ્રદેશના તીર્થધામ અમરકંટકથી ઉદ્દભવે છે અને નેમાવર નગરમાં તેનું નાભિ સ્થળ છે. પછી ઓમકારેશ્વરમાંથી પસાર થઈને આ નદી ગુજરાતમાં પ્રવેશે છે અને ભરૂચ નજીક ખંભાતના અખાતમાં ભળી જાય છે.
નર્મદા નદીના કિનારે અનેક પ્રાચીન યાત્રાધામો અને શહેરો આવેલા છે. હિંદુ પુરાણોમાં તેને રેવા નદી કહેવામાં આવે છે. તેની પરિક્રમાનું ખૂબ મહત્વ માનવામાં આવે છે. નર્મદા પરિક્રમાનું અનેરું મહત્વ છે. કહેવાય છે કે ગંગા સ્નાને, યમુના પાને અને નર્મદા દર્શન માત્રથી પવિત્ર કરે છે.
વિશ્વની એક માત્ર નદી જેની પરિક્રમા થાય છે
નર્મદા વિશ્વની એક માત્ર એવી નદી છે કે જેની પરિક્રમા કરવામાં આવે છે. દર વર્ષે 3 લાખથી વધારે શ્રધ્ધાળુઓ મધ્યપ્રદેશમાં આવેલાં મા નર્મદાના ઉદગમ સ્થાનથી નર્મદાની અતિ કઠિન ગણાતી પરિક્રમાનો પગપાળા પ્રારંભ કરે છે. હવે વાહનો મારફતે નર્મદાની પરિક્રમા કરતાં શ્રધ્ધાળુઓની સંખ્યામાં પણ વધારો થયો છે.નર્મદા પરિક્રમા અથવા યાત્રા બે રીતે થાય છે. પ્રથમ, દર મહિને નર્મદા પંચક્રોશી યાત્રા યોજાય છે અને નર્મદાની પરિક્રમા કરવામાં આવે છે.
દર મહિને નીકળનારી પંચક્રોશી યાત્રાની તારીખ કેલેન્ડરમાં આપવામાં આવી છે. બીજી યાત્રાધામ અમરકંટક, ઓમકારેશ્વર અને ઉજ્જૈનથી શરૂ થાય છે. તે જ્યાં શરૂ થાય છે ત્યાં સમાપ્ત થાય છે.આ યાત્રા દેવ ઉઠી અગિયારસથી શરૂ થાય છે અને ઉનાળા સુધી ચાલે છે.આ પરિક્રમાને પુર્ણ કરવા માટે 3 વર્ષ, 3 મહિના અને 13 દિવસનો સમય લાગે છે.
વિઓ-3
આ ઋષિએ સૃષ્ટિ પર સૌ પ્રથમ શરૂ કરી હતી નર્મદા પરિક્રમા
નર્મદાના તટમાં કંકર એટલા શંકર અને આ કંકરની પ્રતિષ્ઠા કરવાની જરૂર નહિ પડે તેવા આર્શીવાદથી આપ્યાં. ત્યારથી જ નર્મદા નદીની પરીક્રમા કરવાની પરંપરા શરૂ થઇ. માન્યતા પ્રમાણે પહેલી નર્મદા પરીક્રમા માર્કેડે ઋષિએ કરી હતી.તપસ્યાંનું ઉચિત ફળ એકમાત્ર રેવા તટે જ મળતુ હોવાથી આદિ-અનાદીકાળથી મુનિ, સિદ્ધ અને યોગીઓ તપસ્યાં માટે નર્મદા કિનારાને જ પસંદ કરતા આવી રહ્યાં છે.
નર્મદા પરિક્રમા પર બની ફિલ્મ, દિગગજોએ પણ કરી પરિક્રમા !
લેખક ધ્રુવ ભટ્ટની વર્ષ 1998માં આવેલી ગુજરાતી નવલકથા ‘તત્વમસિ’ પરથી ગુજરાતી ફિલ્મ "રેવા" બની છે. નવલકથામાં જેમ જ રેવામાં નર્મદા માતા અને તેના આસપાસનું લોકજીવન , પ્રકૃતિ,આદિવાસી પ્રજાની ખુમારી અને સંસ્કૃતિને ખુબ જ સરસ શૈલીમાં રજુ કરવામાં આવી હતી. આ સાથે જ મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસના દિગ્ગજ નેતા દિગ્વિજયસિંહ એ પણ તેમની પત્ની સાથે નર્મદા પરિક્રમા કરી હતી
નર્મદા પરિક્રમાનો રૂટ
અમરકંટક, માઈ કી બગિયાથી નર્મદા કુંડ, મંડલા, જબલપુર, ભેડાઘાટ, બરમાનઘાટ, પટાઈઘાટ, માગરોલ, જોશીપુર, છાપાનેર, નેમાવર, નર્મદા સાગર, પમાખેડા, ધવરીકુંડ, ઓમકારેશ્વર, બાલ્કેશ્વર, ઈન્દોર, ખલેશ્વર, ધર્મરાઈ, કતારખેડા, શૂલપડી ઝાડી, હસ્તીસંગ, છાપેશ્વર, સરદાર સરોવર, ગરુડેશ્વર, ચાંદોદ, ભરૂચ, અંકલેશ્વર,સજોદ,હાંસોટ, કોટેશ્વર, વમલેશ્વર, મીઠી તલાઈ દહેજ થઈ પરત આગમનના રૂટ પર પૂર્ણ થાય છે
નર્મદા પરિક્રમાવાસીઓ માટે સુવિધાનો અભાવ
નર્મદા નદીની પરિક્રમાએ નીકળતાં પરિક્રમાવાસીઓ સરકારની અનદેખીનો દરરોજ અનુભવ કરી રહયાં છે. ગુજરાત સરકાર હોય કે પછી મધ્યપ્રદેશ સરકાર બંને સરકારો પરિક્રમાવાસીઓને માળખાકીય સુવિધાઓ પુરી પાડવામાં સદંતર નિષ્ફળ રહી છે. પરિક્રમાવાસીઓ ચાલી શકે તે માટે પાથ બનાવવામાં નથી આવ્યાં કે પછી નથી બન્યાં શૌચાલયો.પી.એમ. નરેન્દ્ર મોદી જયારે સી.એમ હતા ત્યારે પરિક્રમા વાસી માટે નર્મદા પથ બનાવવાની અને ચોક્કસ અંતર પર વિસામા માટે બેઠક વ્યવસ્થા પણ આયોજન કરાયું હતું.
જો કે આ પ્રોજેકટ આજદિન સુધી પુરો થઇ શકયો નથી.આજે પણ પરિક્રમાવાસીઓ ભગવાન ભરોસે જ તેની પરિક્રમા આગળ ધપાવી રહયાં છે.
સેવાભાવી સંસ્થાઓ તથા આશ્રમોના સહારે પરિક્રમાવાસીઓ હજારો કિલોમીટરની પરિક્રમા પુરી કરતાં હોય છે. પરિક્રમાવાસીઓ કયારેક કોઇના ઘરના ઓટલા ઉપર રાત ગુજારે છે તો કયારેક મંદિરો, મઠ કે આશ્રમોમાં આશરો લેતાં હોય છે.
નર્મદા પરિક્રમા દરમિયાન પરિક્રમાવાસીઓ અત્યંત ગાઢ જંગલમાંથી પણ પસાર થાય છે ત્યારે તેમના આરોગ્યને લઈને પણ અનેકવાર મામલાઓ સામે આવી ચૂક્યા છે.આ ઉપરાંત ભરૂચના વમલેશ્વર ખાતે પણ પરિક્રમાવાસીઓને માર મારવો, વમલેશ્વર થી દહેજ મીઠી તલાઈ જતી વખતે નર્મદા નદી અને સમુદ્રના સંગમ વચ્ચે બોટ ફસાઈ જવી સહિતને અનેક દુર્ઘટનાઓ બની ચુકી છે છતાં પણ તંત્ર આ બાબતે ધ્યાન નથી આપતું
અંકલેશ્વરના રામકુંડમાં ચાલે છે અન્નક્ષેત્ર, અન્ય સુવિધા આપવા માંગ નર્મદા પરિક્રમા વાસીઓ માટે અંકલેશ્વરના રામકુંડ ખાતે અન્નક્ષેત્ર ચાલે છે જ્યાં પરિક્રમાવાસીઓને બે સમય ભોજન તેમજ ચા નાસ્તો કરાવવામાં આવે છે પરંતુ પરિક્રમા વાસીઓને રહેવા તેમજ નાહવાની સમસ્યા ઊભી થાય છે જેના માટે સરકાર આગળ આવે તેવી રામકુંડના મહંત ગંગાદાસ બાપુ દ્વારા માંગ કરવામાં આવી છે.
નર્મદા પરિક્રમા દરમિયાન આવતા ઘાઢ જંગલો ખળખળ વહેતા ઝરણા અને ભારતીય સંસ્કૃતિની પ્રતીતિ કરાવતા ગામડાઓ આ તમામ વચ્ચેથી નર્મદા પરિક્રમાવાસીઓ પસાર થાય છે.અનેક પડકારો અને અનેક જોખમોનો તેઓ સામનો કરે છે ત્યારે આ પરિક્રમાવાસીઓની સુવિધામાં સહભાગી થવું એ પણ એક ધર્મ કાર્ય છે. મા નર્મદાને પ્રણામ કરવા જેટલું જ નર્મદા પરિક્રમાવાસીઓની સેવા કરવાનું મહત્વ છે.ત્વદીય પાદ પંકજમ નમામી દેવી નર્મદે....