ભરૂચ : સર્વપિતૃઓની સંતુષ્ટિ માટે શ્રી પરશુરામ સંગઠન દ્વારા ભૃગુઋષિ મંદિર ખાતે સમૂહ સર્વપિતૃ તર્પણ વિધિ યોજાય...

સર્વપિતૃઓની સંતુષ્ટિ માટે ભરૂચના પૌરાણિક શ્રી ભૃગુઋષિ મંદિર ખાતે ભાદરવા વદ અમાસના દિને "સમૂહ સર્વપિતૃ તર્પણ" વિધિનું આયોજન કરવામાં આવ્યું..

New Update
  • સમસ્ત ભાર્ગવ પંચ ટ્રસ્ટ-શ્રી પરશુરામ સંગઠનનો સહયોગ

  • શહેરના પૌરાણિક શ્રી ભૃગુઋષિ મંદિર ખાતે આયોજન કરાયું

  • શ્રી પરશુરામ સંગઠન દ્વારા સમૂહ સર્વપિતૃ તર્પણનું આયોજન

  • સર્વપિતૃ તર્પણ વિધિમાં 20થી વધુ યજમાનોએ લાભ લીધો

  • કર્મકાંડી તૃષાર ભટ્ટના વેદોક્ત મંત્રોચ્ચાર સાથે વિધિ સંપન્ન 

શ્રાદ્ધ પક્ષના પવિત્ર દિવસોમાં સર્વપિતૃઓની સંતુષ્ટિ માટે ભરૂચના પૌરાણિક શ્રી ભૃગુઋષિ મંદિર ખાતે ભાદરવા વદ અમાસના દિને "સમૂહ સર્વપિતૃ તર્પણ" વિધિનું આયોજન કરવામાં આવ્યું હતું.

મનુષ્ય માત્ર ઉપર ત્રણ પ્રકારના ઋણ છે દેવ ઋણઆચાર્ય ઋણ અને પિતૃ ઋણશાસ્ત્રોમાં શ્રાદ્ધની વ્યાખ્યા છે કેપિતૃઓ માટે આપણે જે કંઈ કાર્ય શ્રદ્ધાથી કરીએ એને જ શ્રાદ્ધ કહેવાય છેત્યારે તા. 21 સપ્ટેમ્બરને ભાદરવા વદ અમાસ શ્રાદ્ધપક્ષના અંતિમ દિવસે ભરૂચના દાંડિયા બજાર સ્થિત પૌરાણિક શ્રી ભૃગુઋષિ મંદિર ખાતે જાણીતા કર્મકાંડી તૃષાર ભટ્ટના વેદોક્ત મંત્રોચ્ચાર સાથે સમસ્ત ભાર્ગવ પંચ ટ્રસ્ટ સહયોગથી શ્રી પરશુરામ સંગઠન દ્વારા "સમૂહ સર્વપિતૃ તર્પણ"નું આયોજન કરવામાં આવ્યું હતું.

સમૂહ સર્વપિતૃ તર્પણ વિધિમાં 20થી વધુ યજમાનોએ લાભ લીધો હતો. આ પ્રસંગે શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મસમાજ ભરૂચ શહેર એકમના પ્રમુખ હેમંત શુક્લમહામંત્રી રાજુ ભટ્ટશ્રી પરશુરામ ક્રેડિટ સોસાયટીના સ્થાપક રજનીકાંત રાવલચેરમેન શૈલેષ દવેબ્રહ્મ શોષ્યલ ગ્રુપના પ્રમુખ યોગેશ જોષીબ્રહ્મ અગ્રણી રાજુ દેસાઈપાંજરાપોળના ટ્રસ્ટી મહેન્દ્ર કંસારાશ્રી પરશુરામ સંગઠનના સ્થાપક હરેશ પુરોહિતપ્રજ્ઞેશ ઉપાધ્યાયયશ પાઠકહેમલ દવે સહિતના સભ્યોએ ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

Latest Stories