જેઈઈ એડવાન્સનું પરિણામ થયું જાહેર,ઉતીર્ણ થયેલ પરીક્ષાર્થી આઈઆઈટીમાં મેળવશે પ્રવેશ

જેઈઈ મેઈન્સ અને જેઈઈ એડવાન્સ એમ બે તબક્કામાં આ પ્રવેશ પરીક્ષા લેવાય છે. જેઈઈ મેઈન્સ પાસ કરનાર વિદ્યાર્થી માત્ર એનઆઈટીમાં પ્રવેશ મેળવી શકે છે.

New Update
aa

ધોરણ 12 વિજ્ઞાનપ્રવાહ માટે જોઈન્ટ એન્ટ્રન્સ એક્ઝામ(JEE) નામની પ્રવેશ પરીક્ષા આપવાની રહે છે.

જેઈઈ મેઈન્સ અને જેઈઈ એડવાન્સ એમ બે તબક્કામાં આ પ્રવેશ પરીક્ષા લેવાય છે. જેઈઈ મેઈન્સ પાસ કરનાર વિદ્યાર્થી માત્ર એનઆઈટીમાં પ્રવેશ મેળવી શકે છે. જ્યારે જેઈઈ એડવાન્સમાં સારું પરિણામ મેળવનાર વિદ્યાર્થી દેશની કોઈપણ આઈઆઈટીમાં પ્રવેશ મેળવી શકે છે. આજે જેઈઈ એડવાન્સ 2025નું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે.

આજે ઉત્તીર્ણ થનાર વિદ્યાર્થીઓનું આઈઆઈટીમાં પ્રવેશ મેળવવાનું સપનું સાકાર થયું છે. આઈઆઈટી કાનપુર દ્વારા આજે એટલે કે 2 જૂન 2025ના રોજ જેઈઈ એડવાન્સ 2025ની ફાઈનલ આન્સર કી અને પરિણામ જાહેર કર્યું છે. પરીક્ષા આપી હોય એવા ઉમેદવારો jeeadv.ac.in વેબસાઇટ પર પોતાનો રજીસ્ટ્રેશન નંબર તથા જન્મ તારીખ દાખલ કરીને પોતાનું પરિણામ જોઈ શકે છે. પરીક્ષામાં પાસ થનાર સફળ ઉમેદવારો આઈઆઈટીમાં પ્રવેશ મેળવવા માટે અરજી કરી શકશે. તેમના કાઉન્સેલિંગ માટેની રજીસ્ટ્રેશન પ્રક્રિયા 3 જૂનથી શરૂ થશે.