છોટાઉદેપુર : કવાંટના વજેપુર ગામની 2 પ્રાથમિક શાળાઓમાં શિક્ષકની અછત, બાળકોના અભ્યાસ પર અસર…

વજેપુર ગામે અગાઉ જે શિક્ષકો હતા, તેઓ તેમની બદલી કરાવીને જતા રહ્યા હતા. જેને એક વર્ષ વીત્યા છતાં હજુ સુધી આ પ્રાથમિક શાળાની અંદર શિક્ષકોની ભરતી કરવામાં આવી નથી

New Update

કવાંટના અંતરિયાળ વિસ્તારની પ્રા. શાળામાં શિક્ષકનો મામલો

વજેપુર ગામની 2 પ્રાથમિક શાળાઓમાં શિક્ષકની અછત સર્જાય

તંત્ર દ્વારા વજેપુર શાળામાં હાલ 15-15 દિવસે એક શિક્ષક મુકાયા

શાળામાં કાયમી શિક્ષકો ન હોવાથી બાળકોના અભ્યાસ પર અસર

કાયમી શિક્ષકો મુકવામાં આવે તેવી વાલીઓ દ્વારા માંગ કરાય

 છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકાના અંતરિયાળ વિસ્તારના એક ગામમાં છેલ્લા એક વર્ષથી પ્રાથમિક શાળામાં શિક્ષકો જ નથી. પ્રાથમિક શાળામાં કાયમી શિક્ષકો ન હોવાના કારણે બાળકોના અભ્યાસ ઉપર અસર પડી રહી છે.

રાજ્યનો સરહદી અને આદિવાસી વિસ્તાર એટલે છોટાઉદેપુર જિલ્લો... છોટાઉદેપુર જિલ્લામાં શિક્ષણનું સ્તર ઊંચું આવે તે માટે સરકાર મોટા-મોટા દાવાઓ કરે છે. પરંતુ પ્રાથમિક શાળાઓની અંદર શિક્ષકો ન હોય તો કેવી રીતે શિક્ષણનું સ્તર ઊંચું આવશે. આમ તો સરકાર મોટા મોટા સ્લોગોનો આપતી હોય છે. જેવા કે ભનશે ગુજરાત આગળ વધશે ગુજરાત સૌ ભણે સૌ આગળ વધે સર્વ શિક્ષા અભિયાન બેટી બચાવો બેટી પઢાવો જેવા સ્લોગનો આપે છે. 

પરંતુ છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં આ સ્લોગનો પોકળ સાબિત થઈ રહ્યા છે. છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં આવેલ વજેપુર ગામે 2 પ્રાથમિક શાળા આવેલી છે. જેમાંની વજેપુર-2 પ્રાથમિક શાળામાં 1થી 5 ધોરણ ચાલે છે. જેમાં બાલવાટિકાથી લઈને ધોરણ 5 સુધી બાળકોની 36ની સંખ્યા આ પ્રાથમિક શાળાની અંદર છેજ્યારે આ પ્રાથમિક શાળાની અંદર શિક્ષકોની વાત કરીએ તો મહેકમ પ્રમાણે 2 શિક્ષકો હોવા જોઈએ. પરંતુ છેલ્લા 2 વર્ષથી આ પ્રાથમિક શાળાની અંદર કાયમી કે રેગ્યુલર શિક્ષકો જ નથી.

જોકેવજેપુર ગામે અગાઉ જે શિક્ષકો હતાતેઓ તેમની બદલી કરાવીને જતા રહ્યા હતા. જેને એક વર્ષ વીત્યા છતાં હજુ સુધી આ પ્રાથમિક શાળાની અંદર શિક્ષકોની ભરતી કરવામાં આવી નથી. જ્યારે ગામ લોકોએ વારંવાર કાયમી શિક્ષકોની ભરતી કરવાની માંગ કરી હતી. પરંતુ તેઓની કોઈ માંગ સ્વીકારવામાં આવી નથી. જ્યારે આ પ્રાથમિક શાળાનું મકાન પણ જર્જરિત હાલતમાં છે.

એટલે એક જ રૂમમાં બાળકોને અભ્યાસ કરાવવામાં આવી રહ્યો છે. અને હાલ ચોમાસાની ઋતુ ચાલી રહી હોય જેને લઈને આ શાળાની અંદર પાણી પણ ટપકી રહ્યું છે. જ્યારે તંત્ર દ્વારા વજેપુર પ્રાથમિક શાળા-2માં હાલ 15-15 દિવસે એક એક શિક્ષક મુકવામાં આવ્યા છે. પરંતુ તે પણ રેગ્યુલર ન આવતા બાળકોનો અભ્યાસ બગડી રહ્યો છે. જે સ્કૂલમાંથી શિક્ષકો વજેપુર પ્રાથમિક શાળા-2માં અભ્યાસ કરાવવા આવી રહ્યા છે. જે શિક્ષકને રેગ્યુલર જ્યાં ભરતી થઈ હોય તે સ્કૂલમાં પણ બાળકોને અભ્યાસ કરવવામાં મુશ્કેલી પડી રહી છેજ્યારે ગામ લોકોના જણાવ્યા પ્રમાણે વજેપુર પ્રાથમિક શાળા-2ની અંદર કાયમી શિક્ષક ન હોવાને લઈને બાળકોને ભારે મુશ્કેલી પડી રહી છે.

હાલમાં વજેપુર ગામે બીજી સ્કૂલોમાંથી શિક્ષકો 15-15 દિવસે આવી રહ્યા છે. પરંતુ શિક્ષકો રેગ્યુલર ન આવતા હોવાને લઈને ગામ લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. અને જો શિક્ષકોને ઉચ્ચ કક્ષાએ જો કોઈ કામગીરી સોંપવામાં આવે અને શિક્ષકો તે કામમાં જાય તો તે દિવસે આ પ્રાથમિક શાળાની અંદર શિક્ષક પણ હોતા નથી. અને ખુદ બાળકો અભ્યાસ જાતે કરે છે. અને જે શિક્ષક આવે છે. તે શિક્ષક ચાર્જમાં આવે છે.

અને ખુદ ચાર્જમાં આવેલ શિક્ષકો કબુલાત કરી રહ્યા છે. કે બાળકોને જેવો અભ્યાસ આપવો જોઈએ તેવો અભ્યાસ અમે પણ આપી શકતા નથી. જ્યારે ગામ લોકો તેવું પણ કહી રહ્યા છે. કે વજેપુર ગામની પ્રાથમિક શાળા રામ ભરોસે ચાલતી હોય એવું અમને લાગી રહ્યું છે.

જ્યારે ગામ લોકો હવે શિક્ષણ મંત્રી અને તંત્ર પાસે એક જ માંગ કરી રહ્યા છે. કે વજેપુર ગામની બે પ્રાથમિક શાળાની અંદર કાયમી શિક્ષકોની તાત્કાલિક ધોરણે ભરતી કરવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે. અને જો દિન સાતની અંદર તંત્ર કે શિક્ષણ વિભાગ માંગણી સ્વીકારે નહીં તો ગામ લોકોએ આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારી છે. અને જો ગાંધીનગર આંદોલન કરવાનું થાય તો ગાંધીનગર પણ આંદોલન કરવાની તેઓએ ચીમકી ઉચ્ચારી છે.

વજેપુર ગામમાં બીજી પણ એક શાળા આવેલી છે. જે શાળા વજેપુર એક પ્રાથમિક શાળા કહેવાય છે. જે શાળાની અંદર મહેકમ પ્રમાણે ત્રણ શિક્ષકો છે. પરંતુ એ શાળાની અંદર પણ બે જ શિક્ષકો અભ્યાસ કરાવે છે. એટલે એક શિક્ષકની અહીંયા પણ ઘટ્ટ છે. અને આ શાળામાં પણ ઓરડા જર્જરીત હાલતમાં છે. વજેપુર એક પ્રાથમિક શાળાની અંદર એક થી પાંચ ધોરણની શાળા આવેલી છે. જેમાં 62 જેટલા બાળકો અભ્યાસ કરી રહ્યા છે.

આ પ્રાથમિક શાળાની અંદર પણ બે ઓરડા જર્જરીત હાલતમાં છે. અને અહીંયા પણ પાણી રૂમની અંદર પડે છે. બાળકોને મુશ્કેલનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે હાલ તો શાળાના મુખ્ય શિક્ષિકા અને ગામ લોકો માંગ કરી રહ્યા છે. કે સરકાર અને શિક્ષણ વિભાગ આ બાબતે ગંભીર નોંધ લઈને તાત્કાલિક રીતે કામગીરી કરે અને શિક્ષકોની કાયમી ભરતી કરે તેવી માંગ કરી રહ્યા છે.

Read the Next Article

રેલ્વેમાં નોકરી મેળવવાની સુવર્ણ તક, 6374 જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે

રેલ્વે ટેકનિશિયનની કુલ 6374 જગ્યાઓ પર ભરતી કરશે. તેની વિગતવાર સૂચના ટૂંક સમયમાં બહાર પાડી શકાય છે. પસંદગી લેખિત પરીક્ષા વગેરે દ્વારા કરવામાં આવશે. આ જગ્યાઓ રેલ્વેના વિવિધ ઝોનમાં ભરવામાં આવશે.

New Update
railways

રેલ્વે ટેકનિશિયનની કુલ 6374 જગ્યાઓ પર ભરતી કરશે.

તેની વિગતવાર સૂચના ટૂંક સમયમાં બહાર પાડી શકાય છે. પસંદગી લેખિત પરીક્ષા વગેરે દ્વારા કરવામાં આવશે. આ જગ્યાઓ રેલ્વેના વિવિધ ઝોનમાં ભરવામાં આવશે.

રેલ્વેમાં નોકરી માટે તૈયારી કરી રહેલા ઉમેદવારો માટે સારા સમાચાર છે. રેલ્વે ભરતી બોર્ડ (RRB) એ જાહેરાત કરી છે કે ટેકનિશિયનની 6374 જગ્યાઓ ભરવામાં આવશે. આ ભરતી ઝુંબેશ ટેકનિશિયન ગ્રેડ-1 અને ટેકનિશિયન ગ્રેડ-3 ની જગ્યાઓ માટે હશે. બોર્ડ દ્વારા એ પણ સ્પષ્ટતા કરવામાં આવી છે કે આ સંખ્યા હજુ પ્રારંભિક છે અને અંતિમ સૂચનામાં તેમાં ફેરફાર શક્ય છે. એટલે કે, પોસ્ટ્સની સંખ્યા વધુ કે ઓછી હોઈ શકે છે.

ટૂંક સમયમાં ભરતી બોર્ડ આ ખાલી જગ્યાની વિગતવાર સૂચના બહાર પાડશે, જેમાં અરજી પ્રક્રિયા, લાયકાત અને પસંદગી પ્રક્રિયા વગેરે વિશેની બધી માહિતી પણ હશે. આ ભરતી રેલ્વેના તમામ ઝોનમાં કરવામાં આવશે. ઉમેદવારોએ ધ્યાનમાં રાખવું જોઈએ કે તેઓએ ફક્ત ઓનલાઈન મોડમાં જ અરજી કરવાની રહેશે.

કયા ઝોનમાં કેટલી જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે?

૧. પૂર્વીય રેલ્વે (ER): ૧,૧૧૯ જગ્યાઓ

૨. પશ્ચિમ રેલ્વે (WR): ૮૪૯ જગ્યાઓ

૩. ઇન્ટિગ્રલ કોચ ફેક્ટરી (ICF): ૪૦૪ જગ્યાઓ

૪. ઉત્તરીય રેલ્વે (NR): ૪૭૮ જગ્યાઓ

૫. ઉત્તર મધ્ય રેલ્વે (NCR): ૨૪૧ જગ્યાઓ

૬. મધ્ય રેલ્વે (CR): ૩૦૫ જગ્યાઓ

RRB ગ્રેડ-૧ ટેકનિશિયન પોસ્ટ્સ માટે, ઉમેદવારની ઉંમર ઓછામાં ઓછી ૧૮ વર્ષ અને મહત્તમ ૩૬ વર્ષ હોવી જોઈએ. તે જ સમયે, ગ્રેડ-૩ પોસ્ટ્સ માટે મહત્તમ વય મર્યાદા ૩૩ વર્ષ નક્કી કરવામાં આવી છે. અનામત શ્રેણીના ઉમેદવારોને સરકારના નિયમો અનુસાર મહત્તમ વય મર્યાદામાં પણ છૂટછાટ આપવામાં આવશે. તે જ સમયે, અરજદાર પાસે સંબંધિત ટ્રેડમાં B.Sc ડિગ્રી અથવા ડિપ્લોમા હોવો જોઈએ.