Connect Gujarat
મનોરંજન 

ફિલ્મના રીલીઝ પહેલા શાહરુખ ખાન દીકરી સુહાના સાથે પહોચ્યા તિરુપતિ મંદિર, શ્રી વેંકટેશ્વર સ્વામીના લીધા આશીર્વાદ...

બોલિવૂડ એક્ટર શાહરૂખ ખાનની ફિલ્મ ‘જવાન’ થિયેટર્સમાં રીલિઝ માટે તૈયાર છે. લોકોમાં ફિલ્મને લઈને ઉત્તેજના વધી રહી છે.

ફિલ્મના રીલીઝ પહેલા શાહરુખ ખાન દીકરી સુહાના સાથે પહોચ્યા તિરુપતિ મંદિર, શ્રી વેંકટેશ્વર સ્વામીના લીધા આશીર્વાદ...
X

બોલિવૂડ એક્ટર શાહરૂખ ખાનની ફિલ્મ ‘જવાન’ થિયેટર્સમાં રીલિઝ માટે તૈયાર છે. લોકોમાં ફિલ્મને લઈને ઉત્તેજના વધી રહી છે. માત્ર એડવાન્સ બુકિંગ જોઈને કહી શકાય કે ફિલ્મ જવાન શાનદાર કલેક્શન કરવા જઈ રહી છે. ફિલ્મની રિલીઝ પહેલા શાહરૂખ ખાન પુત્રી સુહાના ખાન અને નયનતારા સાથે તિરુપતિના શ્રી વેંકટેશ્વર મંદિરમાં દર્શન કરવા પહોંચ્યા હતો. તેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. બોલિવૂડ સુપરસ્ટાર શાહરૂખ ખાને તિરુપતિમાં શ્રી વેંકટેશ્વર સ્વામી મંદિરની મુલાકાત લીધી હતી અને તેની આગામી ફિલ્મની રિલીઝ પહેલા પ્રાર્થના કરી હતી. તેમની મુલાકાતના ઘણા વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે. આ દરમિયાન શાહરૂખ તેની પુત્રી સુહાના, મેનેજર પૂજા અને આગામી ફિલ્મની કો-સ્ટાર નયનતારા અને તેના પતિ વિગ્નેશ શિવાન સાથે પણ જોવા મળ્યો હતો. એક અઠવાડિયા પહેલા શાહરૂખ પણ વૈષ્ણો દેવીના દર્શન કરવા પહોંચ્યો હતો. ત્યાંથી, તેનો એક વીડિયો વાયરલ થયો હતો જેમાં અભિનેતા વાદળી હૂડી અને માસ્ક પહેરેલો જોવા મળ્યો હતો. ગયા વર્ષે જાન્યુઆરીમાં 'પઠાન 'ની રિલીઝ વખતે શાહરૂખ વૈષ્ણોદેવી પણ પહોંચ્યો હતો.

Next Story