'આઇ એમ ધ કેબિનેટ', કંગના રનૌતની 'ઇમરજન્સી'નું બીજું ટ્રેલર રિલીઝ થયું

જો આપણે નવા વર્ષની મોસ્ટ અવેટેડ ફિલ્મની વાત કરીએ તો તેમાં અભિનેત્રી અને સાંસદ કંગના રનૌતની ફિલ્મ ઈમરજન્સીનું નામ સામેલ થશે.

New Update
આ

જો આપણે નવા વર્ષની મોસ્ટ અવેટેડ ફિલ્મની વાત કરીએ તો તેમાં અભિનેત્રી અને સાંસદ કંગના રનૌતની ફિલ્મ ઈમરજન્સીનું નામ સામેલ થશે. લાંબા સમયથી વિવાદમાં રહેલી આ ફિલ્મની રિલીઝનો રસ્તો સાફ થઈ ગયો છે અને હવે કંગનાની ફિલ્મનું બીજું લેટેસ્ટ ટ્રેલર મેકર્સ દ્વારા રિલીઝ કરવામાં આવ્યું છે.

દેશના પૂર્વ વડાપ્રધાનના કાર્યકાળ દરમિયાનના કટોકટીના સમયગાળાને ઈમરજન્સીમાં દર્શાવવામાં આવ્યો છે. ચાલો હવે આ ફિલ્મના લેટેસ્ટ ટ્રેલર (ઇમર્જન્સી ટ્રેલર 2) પર એક નજર કરીએ.

ઈમરજન્સીનું બીજું વિસ્ફોટક ટ્રેલર રિલીઝ

6 જાન્યુઆરીએ ફિલ્મ ઈમરજન્સીનું વધુ એક નવું ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું છે. પૂર્વ વડાપ્રધાન ઈન્દિરા ગાંધીનું પાત્ર ભજવી રહેલી કંગના રનૌત પોતાની તાકાત બતાવતી જોવા મળી રહી છે. 1 મિનિટ 50 સેકન્ડનું આ બીજું ટ્રેલર જોઈને સ્પષ્ટ થઈ ગયું છે કે ફિલ્મમાં ઈમરજન્સીની અંદરની વાર્તા બતાવવામાં આવશે.

ઈમરજન્સી ક્યારે રિલીઝ થશે?

ફિલ્મ ઈમરજન્સીની રિલીઝને લઈને ભૂતકાળમાં ઘણો વિવાદ થયો છે. પહેલા આ ફિલ્મ 14 જાન્યુઆરી, 2024ના રોજ રીલિઝ થવાની હતી, બાદમાં તેને 6 સપ્ટેમ્બરની તારીખ મળી, પરંતુ સેન્સર બોર્ડે તેને લીલી ઝંડી ન આપી અને મામલો કોર્ટમાં ગયો 17 જાન્યુઆરી, 2025 ના રોજ સ્ક્રીન. પ્રકાર તૈયાર.
તમને જણાવી દઈએ કે પંજાબના શીખ સમુદાય દ્વારા ઈમરજન્સીને લઈને વાંધો ઉઠાવવામાં આવ્યો હતો, જેના કારણે કંગનાની ફિલ્મ કાનૂની મુશ્કેલીમાં ફસાઈ ગઈ હતી.

Read the Next Article

બિગ બોસની ઓફર શા માટે ઠુકરાવી? ઝરીન ખાને કર્યો ચોંકાવનારો ખુલાસો

અભિનેત્રી ઝરીન ખાને બોલિવૂડમાં ફિલ્મ 'વીર'થી ડેબ્યૂ કર્યું હતું. પરંતુ કેટરિના કૈફ સાથે સતત તેની તુલના થઈ રહી હતી જે તેના કારકિર્દી માટે મોટી અડચણ બની ગઈ હતી.

New Update
zareen khan

અભિનેત્રી ઝરીન ખાને બોલિવૂડમાં ફિલ્મ 'વીર'થી ડેબ્યૂ કર્યું હતું. પરંતુ કેટરિના કૈફ સાથે સતત તેની તુલના થઈ રહી હતી જે તેના કારકિર્દી માટે મોટી અડચણ બની ગઈ હતી.

તેને બીજી ફિલ્મો મળવાની બંધ થઈ ગઈ હતી. જો કે  'Bigg Boss' મેકર્સે પણ  તેને શો માટે અપ્રોચ કરી હતી. હોસ્ટ સલમાન પણ તેનાથી પરિચિત છે. જો કે, ઝરીને આ શૉની ઓફર ઠુકરાવી હતી. તેનું કહેવું છે કે ખોટી વાત તે સહન નથી કરી શકતી. શોમાં તે કોઈને પણ લાફો મારી શકે છે.

ઝરીન ખાને એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે તે વધારે સમય સુધી ઘરથી દૂર નથી રહી  શકતી. તેણે 'Bigg Boss' મેકર્સ દ્વારા મળેલી ઓફર વિશે કહ્યું કે 'મને  'Bigg Boss' શો ખૂબ પસંદ છે, મે શો ના માત્ર બે કે ત્રણ સિઝન જ મિસ કર્યા હશે બાકી બધા જોયા છે, મને પણ આ શોની ઓફર મળી હતી, પરંતુ મારા પર ઘણી મોટી જવાબદારીઓ છે એટલે હું ક્યાંય પણ જઇને મહિનાઓ સુધી રોકાવાનું ન વિચારી શકું.

મને નથી લાગતું કે માંરૂ ઘર મારા વગર ચાલી શકે છે, હું પૈસાની વાત નથી કરી રહી. મારે 10 હજાર કામો જોવા પડે છે. જો એક દિવસ માટે ટ્રાવેલ કરું તો મારી માતાને પાંચથી સાત વાર ફોન કરી તેમની તબિયત વિશે પૂછવું પડે છે. આ સૌથી મોટું કારણ છે.' 

ઝરીને  આગળ કહ્યું 'બીજી વસ્તુ એ પણ છે ઘણાં લોકો સાથે હું એક ઘરમાં રહી ના શકું. મને મિત્ર બનાવવામાં સમય નથી લાગતો, પણ ખબર નહીં કે હું  કેટલી સહજ રહી શકીશ.

બીજુ મોટું કારણ એ છે કે હું ઉલટી વાત કે ખોટું વર્તન જરાય સહન નથી કરી શકતી. કોઈ ઉલટી વાત કરશે, તો મારો તો તેની પર હાથ ઉઠી જશે, પછી મને એલિમિનેટ કરવામાં આવશે. એનાથી સારું છે કે હું જ આ શોમાં ન જાઉં.' 

CG Entertainment | Reality Show Big Bosss | Zareen Khan