કંગના રનૌતે AI એન્જિનિયરના આપઘાત મામલે આપ્યું નિવેદન, કહ્યું 99% લગ્નોમાં પુરુષોની ભૂલ હોય છે !

બોલિવૂડ એક્ટ્રેસ અને લોકસભા સાંસદ કંગના રનૌતે બેંગલુરુ AI એન્જિનિયર અતુલ સુભાષના આત્મહત્યા કેસ પર નિવેદન આપ્યું છે. તેણે કહ્યું કે 99 ટકા લગ્નોમાં પુરૂષોની ભૂલ હોય છે.

New Update
a

બોલિવૂડ એક્ટ્રેસ અને લોકસભા સાંસદ કંગના રનૌતે બેંગલુરુ AI એન્જિનિયર અતુલ સુભાષના આત્મહત્યા કેસ પર નિવેદન આપ્યું છે. તેણે કહ્યું કે 99 ટકા લગ્નોમાં પુરૂષોની ભૂલ હોય છે. આ કેસની સમીક્ષા થવી જોઈએ અને આવી ઘટનાઓના નિરાકરણ માટે એક અલગ બોડીની પણ રચના થવી જોઈએ.

જો લોકો લગ્નને ધંધો બનાવી દેશે તો આવી સમસ્યાઓ આવશે. અતુલ સુભાષ પાસેથી કરોડો રૂપિયાની માગણી કરવામાં આવી રહી હતી જે તેની ક્ષમતાની બહાર હતી. આ નિંદાને પાત્ર છે. યુવાનો પર આ પ્રકારનો બોજ ન હોવો જોઈએ. તે તેના પગાર કરતા ત્રણ ગણાથી ચાર ગણા વધુ પૈસા આપતો હતો. હજુ પણ તેની પાસેથી વધુ પૈસાની માગ કરવામાં આવી રહી હતી. જેના દબાણમાં તેણે આત્મહત્યા કરી હતી.એક્ટ્રેસે આગળ કહ્યું- દેશ ચોંકી ગયો છે. સુભાષનો તે વિડીયો હ્રદયસ્પર્શી છે. જ્યાં સુધી લગ્ન આપણી ભારતીય પરંપરાઓ સાથે જોડાયેલા છે, ત્યાં સુધી તે સારું છે. પરંતુ સામ્યવાદ, સમાજવાદ અને એક રીતે નિંદનીય નારીવાદનો મુદ્દો એક સમસ્યારૂપ બાબત છે. ખોટી મહિલાઓને કારણે રોજેરોજ પરેશાન થતી મહિલાઓની સંખ્યાને આપણે નકારી શકીએ નહીં.

Read the Next Article

અજય દેવગણની શૈતાન ટુમાં કાજોલ પણ કેમિયો કરે તેવી ચર્ચા

અજય દેવગણ હવે 'શૈતાન ટૂ' બનાવી રહ્યો છે. તેમાં કાજોલ પણ કેમિયો કરશે તેવી અટકળો છે. ફિલ્મમાં અજય, આર. માધવન તથા જાનકી બોડીવાલા સહિતના કલાકારો રીપિટ થશે.

New Update
shaitaan 2

અજય દેવગણ હવે 'શૈતાન ટૂ' બનાવી રહ્યો છે. તેમાં કાજોલ પણ કેમિયો કરશે તેવી અટકળો છે.

ફિલ્મમાં અજય, આર. માધવન તથા જાનકી બોડીવાલા સહિતના કલાકારો રીપિટ થશે. આ ઉપરાંત કેટલાક નવા કલાકારો પણ ઉમેરાશે તેવી ચર્ચા છે. 

આ ફિલ્મના પ્લોટને મૂળ 'શૈતાન' સાથે કોઈ લેવાદેવા નહીં હોય. બિલકૂલ નવી  વાર્તા જ રજૂ કરાશે. અજય દેવગણને પોતાની જૂની ફિલ્મોના પાર્ટ ટુ , પાર્ટ થ્રી એમ ફ્રેન્ચાઈઝી સ્વરુપે  બનાવી  સફળતાનો શોર્ટકટ મેળવવાનું ફાવી ગયું છે. આ કિસ્સામાં પણ તે મૂળ 'શૈતાન' ફિલ્મની ગુડવિલને નીચોવી  લેવા ખાતર જ 'શૈતાન ટુ' એેવું ટાઈટલ રાખવાનો હોવાનું કહેવાય છે. 

જોકે, બોલીવૂડમાં આવું કરવાવાળો અજય દેવગણ એકલો નથી. તાજેતરમાં કરણ જોહરે પણ અક્ષય કુમારની સી. શંકરન નાયરની બાયોપિકને 'કેસરી ટૂ' તરીકે પેશ કરી હતી. વાસ્તવમાં તેને અક્ષય કુમારની મૂળ 'કેસરી' ફિલ્મની વાર્તા સાથે કોઈ લેવાદેવા જ ન હતી.