/connect-gujarat/media/media_files/2024/12/12/8zSSrUXcJ85F2cBI3ey7.jpg)
બોલિવૂડ એક્ટ્રેસ અને લોકસભા સાંસદ કંગના રનૌતે બેંગલુરુ AI એન્જિનિયર અતુલ સુભાષના આત્મહત્યા કેસ પર નિવેદન આપ્યું છે. તેણે કહ્યું કે 99 ટકા લગ્નોમાં પુરૂષોની ભૂલ હોય છે. આ કેસની સમીક્ષા થવી જોઈએ અને આવી ઘટનાઓના નિરાકરણ માટે એક અલગ બોડીની પણ રચના થવી જોઈએ.
જો લોકો લગ્નને ધંધો બનાવી દેશે તો આવી સમસ્યાઓ આવશે. અતુલ સુભાષ પાસેથી કરોડો રૂપિયાની માગણી કરવામાં આવી રહી હતી જે તેની ક્ષમતાની બહાર હતી. આ નિંદાને પાત્ર છે. યુવાનો પર આ પ્રકારનો બોજ ન હોવો જોઈએ. તે તેના પગાર કરતા ત્રણ ગણાથી ચાર ગણા વધુ પૈસા આપતો હતો. હજુ પણ તેની પાસેથી વધુ પૈસાની માગ કરવામાં આવી રહી હતી. જેના દબાણમાં તેણે આત્મહત્યા કરી હતી.એક્ટ્રેસે આગળ કહ્યું- દેશ ચોંકી ગયો છે. સુભાષનો તે વિડીયો હ્રદયસ્પર્શી છે. જ્યાં સુધી લગ્ન આપણી ભારતીય પરંપરાઓ સાથે જોડાયેલા છે, ત્યાં સુધી તે સારું છે. પરંતુ સામ્યવાદ, સમાજવાદ અને એક રીતે નિંદનીય નારીવાદનો મુદ્દો એક સમસ્યારૂપ બાબત છે. ખોટી મહિલાઓને કારણે રોજેરોજ પરેશાન થતી મહિલાઓની સંખ્યાને આપણે નકારી શકીએ નહીં.