નાના પાટેકરની ફિલ્મ 'વનવાસ'નું ટ્રેલર રિલીઝ, ફિલ્મ 20 ડિસેમ્બરે થશે રિલીઝ

ઉત્કર્ષ શર્મા મુખ્ય ભૂમિકામાં છે. ટ્રેલરની શરૂઆત તેના એક વોઇસઓવરથી થાય છે.ફિલ્મ 'વનવાસ' અનિલ શર્મા દ્વારા લખવામાં અને ડિરેક્ટ કરવામાં આવી છે.

New Update
Vanvas Trailor
નાના પાટેકરની ફિલ્મ 'વનવાસ'નું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. આ ફિલ્મમાં અનિલ શર્માનો પુત્ર અને 'ગદર 2'માં ચરણજીિતની ભૂમિકા ભજવનાર એક્ટર ઉત્કર્ષ શર્મા મુખ્ય ભૂમિકામાં છે. ટ્રેલરની શરૂઆત તેના એક વોઇસઓવરથી થાય છે.ફિલ્મ 'વનવાસ' અનિલ શર્મા દ્વારા લખવામાં અને ડિરેક્ટ કરવામાં આવી છે. તેઓ આ ફિલ્મનું નિર્માણ પણ કરી રહ્યા છે. આમાં નાના પાટેકરની સાથે તેમનો પુત્ર ઉત્કર્ષ શર્મા મહત્ત્વની ભૂમિકામાં જોવા મળશે.
નાનાની એક્ટિંગ સારી છે, ઉત્કર્ષ પણ તેના પાત્રમાં સારો લાગી રહ્યો છે. તે બનારસના એક છોકરાની ભૂમિકામાં છે, જે દરેક સમસ્યાનો ઉકેલ શોધે છે. ફિલ્મ 'વનવાસ'માં ઉત્કર્ષનો લુક સંપૂર્ણપણે દેશી બતાવવામાં આવ્યો છે.અનિલ શર્માએ 'ગદર એક પ્રેમકથા', 'ધ હીરો લવસ્ટોરી ઓફ અ સ્પાય' અને 'ગદર 2' જેવી બ્લોકબસ્ટર ફિલ્મોનું ડિરેક્શન કર્યું હતું. તેમની અગાઉની રિલીઝ 'ગદર 2' હતી, જે બોક્સ ઓફિસ પર બ્લોકબસ્ટર સાબિત થઈ હતી. હવે અનિલ શર્મા દ્વારા લખાયેલી નિર્મિત અને દિગ્દર્શિત 'વનવાસ' 20 ડિસેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થશે.
Read the Next Article

બિગ બોસની ઓફર શા માટે ઠુકરાવી? ઝરીન ખાને કર્યો ચોંકાવનારો ખુલાસો

અભિનેત્રી ઝરીન ખાને બોલિવૂડમાં ફિલ્મ 'વીર'થી ડેબ્યૂ કર્યું હતું. પરંતુ કેટરિના કૈફ સાથે સતત તેની તુલના થઈ રહી હતી જે તેના કારકિર્દી માટે મોટી અડચણ બની ગઈ હતી.

New Update
zareen khan

અભિનેત્રી ઝરીન ખાને બોલિવૂડમાં ફિલ્મ 'વીર'થી ડેબ્યૂ કર્યું હતું. પરંતુ કેટરિના કૈફ સાથે સતત તેની તુલના થઈ રહી હતી જે તેના કારકિર્દી માટે મોટી અડચણ બની ગઈ હતી.

તેને બીજી ફિલ્મો મળવાની બંધ થઈ ગઈ હતી. જો કે  'Bigg Boss' મેકર્સે પણ  તેને શો માટે અપ્રોચ કરી હતી. હોસ્ટ સલમાન પણ તેનાથી પરિચિત છે. જો કે, ઝરીને આ શૉની ઓફર ઠુકરાવી હતી. તેનું કહેવું છે કે ખોટી વાત તે સહન નથી કરી શકતી. શોમાં તે કોઈને પણ લાફો મારી શકે છે.

ઝરીન ખાને એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે તે વધારે સમય સુધી ઘરથી દૂર નથી રહી  શકતી. તેણે 'Bigg Boss' મેકર્સ દ્વારા મળેલી ઓફર વિશે કહ્યું કે 'મને  'Bigg Boss' શો ખૂબ પસંદ છે, મે શો ના માત્ર બે કે ત્રણ સિઝન જ મિસ કર્યા હશે બાકી બધા જોયા છે, મને પણ આ શોની ઓફર મળી હતી, પરંતુ મારા પર ઘણી મોટી જવાબદારીઓ છે એટલે હું ક્યાંય પણ જઇને મહિનાઓ સુધી રોકાવાનું ન વિચારી શકું.

મને નથી લાગતું કે માંરૂ ઘર મારા વગર ચાલી શકે છે, હું પૈસાની વાત નથી કરી રહી. મારે 10 હજાર કામો જોવા પડે છે. જો એક દિવસ માટે ટ્રાવેલ કરું તો મારી માતાને પાંચથી સાત વાર ફોન કરી તેમની તબિયત વિશે પૂછવું પડે છે. આ સૌથી મોટું કારણ છે.' 

ઝરીને  આગળ કહ્યું 'બીજી વસ્તુ એ પણ છે ઘણાં લોકો સાથે હું એક ઘરમાં રહી ના શકું. મને મિત્ર બનાવવામાં સમય નથી લાગતો, પણ ખબર નહીં કે હું  કેટલી સહજ રહી શકીશ.

બીજુ મોટું કારણ એ છે કે હું ઉલટી વાત કે ખોટું વર્તન જરાય સહન નથી કરી શકતી. કોઈ ઉલટી વાત કરશે, તો મારો તો તેની પર હાથ ઉઠી જશે, પછી મને એલિમિનેટ કરવામાં આવશે. એનાથી સારું છે કે હું જ આ શોમાં ન જાઉં.' 

CG Entertainment | Reality Show Big Bosss | Zareen Khan