Connect Gujarat
ફેશન

રાતે સૂતા પહેલા ચહેરા પર લગાવો આ 4 માંથી એક વસ્તુ, ફેશ પર આવશે ઇન્સ્ટન્ટ ગ્લો.........

સુકાઈ ગયેલા અને નિર્જીવ ચહેરાથી છુટકારો મેળવવા માટે દરેક વ્યક્તિ કોઈને કોઈ ઉપાય કરે છે. ખાસ કરીને જ્યારે સિઝન ચેન્જ થાય છે ત્યારે મુશ્કેલીઓ વધી જાય છે.

રાતે સૂતા પહેલા ચહેરા પર લગાવો આ 4 માંથી એક વસ્તુ, ફેશ પર આવશે ઇન્સ્ટન્ટ ગ્લો.........
X

સુકાઈ ગયેલા અને નિર્જીવ ચહેરાથી છુટકારો મેળવવા માટે દરેક વ્યક્તિ કોઈને કોઈ ઉપાય કરે છે. ખાસ કરીને જ્યારે સિઝન ચેન્જ થાય છે ત્યારે મુશ્કેલીઓ વધી જાય છે. આ સમયે ત્વચાની હાલત ખરાબ થવા લાગે છે. બજારની બ્યુટી પ્રોડક્ટસ યુઝ કરવાને બદલે કેટલાક ઘરેલુ ઉપાયો અજમાવી લેવાથી સરળતા રહેશે. દિવસભર સૂર્યપ્રકાશ, ધૂળ અને ગંદકીના કારણે આપણી ત્વચાને ખૂબ જ નુકશાન થાય છે. ગ્લોઇંગ સ્કીન મેળવવા માટે તમે રાતે કેટલાક ઉપાયો અજમાવી શકો છો. આ માટે તમે રાતે ચહેરાને ધોઈ સ્કીન કેર રૂટિનને અનુસરી શકો છો. તેનાથી ચહેરાની તમામ અશુધ્ધિઓ અને મૃત ત્વચાના કોષો દૂર થાય છે. તો જાણો રાતે સૂતા પહેલા ચહેરા પર કઈ વસ્તુઓ લગાવવી જોઈએ.

· એલોવેરા જેલ : દરરોજ રાતે સૂતા પહેલા એલોવેરા જેલ તમારા ચહેરા પર લગાવો. આમ કરવાથી ત્વચા હાઈડ્રેટ થઈ જશે. તેની સાથે જ ત્વચાને લગતી તમામ સમસ્યાઓ દૂર થઈ જશે જેમ કે.. પિંપલ્સ વગેરે. એલોવેરા જેલની અસર ખૂબ જ જલ્દી જોવા મળે છે.

· નારિયેળ તેલ : નારીયેળ તેલ સ્વાસ્થ્ય સાથે ત્વચા માટે પણ ખૂબ જ ફાયદાકારક છે. જો ચોમાસાની ઋતુમાં તમારી ત્વચા ખૂબ જ શુષ્ક થવા લાગી હોય તો તમારે સૂતા પહેલા ચહેરા પર નારિયેળનું તેલ લગાવીને સૂવું જોઈએ. આ રીતે તમારી ત્વચાને રાતોરાત ભેજ મળશે. જેના કારણે ચહેરો એંટીબેક્રટેરિયલ ગુણોથી ભરપૂર બને છે અને ત્વચા ચમકદાર બને છે.

· કાચું દૂધ : સૂર્યના સંપર્કમાં આવવાથી મોટાભાગના લોકોને ટેનિંગની સમસ્યા થતી હોય છે. આવી સ્થિતિમાં તેનો ચહેરો કુદરતી રીતે ધીમો પડી જાય છે. આવી સ્થિતિમાં ચહેરા પરથી મૃત ત્વચાના કોષોને દૂર કરવા માટે રાતે સૂતા પહેલા ચહેરાને સારી રીતે ધોઈને કાચું દૂધ લગાવો. કોટનની મદદથી ચહેરા પર હળવા હાથે લેયર બનાવો. તેને આખી રાત રહેવા દો અને પછી સવારે ઊઠીને ચહેરાને ધોઈ નાખો.

· ગુલાબ જળ : જ્યારે પણ તમે રાતે સૂવો છો એ પહેલા ચહેરા પર ગુલાબ જળ લગાવો. તેનાથી તમારો ચહેરો સાફ થઈ જશે અને ગંદકીના કણો દૂર થાય છે. તમે તેનો ઉપયોગ ટોનર તરીકે પણ કરી શકો છો.

Next Story