-
અંકલેશ્વરના બાકરોલ પ્રાથમિક શાળામાં કરાશે ઉજવણી
-
બાકરોલ પ્રા. શાળાને જઈ રહ્યા છે 100 વર્ષ પૂર્ણ થવા
-
તા. 15 ડિસે.ના રોજ સપનાના વાવેતર કાર્યક્રમ યોજાશે
-
રાજ્ય શિક્ષણ પ્રધાન પ્રફુલ પાનશેરીયા રહેશે ઉપસ્થિત
-
ભૂતપૂર્વ શિક્ષકો-વિદ્યાર્થીઓ, ગ્રામજનો ઉપસ્થિત રહેશે
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના બાકરોલ ગામની પ્રાથમિક શાળાને 100 વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યા છે, ત્યારે રવિવાર તા. 15 ડિસેમ્બરના રોજ રાજ્યના શિક્ષણ પ્રધાનની ઉપસ્થિતિમાં સપનાના વાવેતર કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના બાકરોલ ગામની પ્રાથમિક શાળાની વર્ષ 1924માં સ્થાપના કરવામાં આવી હતી. જે શાળા 100 વર્ષ પૂર્ણ કરી 101માં વર્ષમાં મંગળ પ્રવેશ કરતા સમગ્ર ગ્રામજનો દ્વારા રવિવાર તા. 15 ડિસેમ્બરના રોજ સપનાના વાવેતર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.
જે કાર્યક્રમમાં રાજ્ય કક્ષાના શિક્ષણ મંત્રી પ્રફુલ પાનશેરીયા, સાંસદ મનસુખ વસાવા, જીલ્લા પંચાયત પ્રમુખ મહેન્દ્ર વાસદીયા, ધારાસભ્ય ઈશ્વર પટેલ તેમજ ભૂતપૂર્વ શિક્ષકો, વિદ્યાર્થીઓ સહીત સમગ્ર ગ્રામજનો ઉપસ્થિત રહી આ પળને ઐતિહાસિક બનાવશે. જે કાર્યક્રમમાં પધારવા ગ્રામજનોએ સૌકોઈને નિમંત્રણ પાઠવ્યું છે.