પાકિસ્તાનમાં ભારતના દુશ્મનનું મોત, 26/11નો માસ્ટર માઈન્ડ હતો આ આતંકી

લશ્કરના ઈન્ટેલિજન્સ ચીફ આઝમ ચીમા (70)નું ફૈસલાબાદમાં હાર્ટ એટેકથી અવસાન થયું. જો કે, તેમના મૃત્યુ અંગે પાકિસ્તાનના જેહાદી વર્તુળોમાં અટકળો ચાલુ છે.

New Update
પાકિસ્તાનમાં ભારતના દુશ્મનનું મોત, 26/11નો માસ્ટર માઈન્ડ હતો આ આતંકી

લશ્કરના ઈન્ટેલિજન્સ ચીફ આઝમ ચીમા (70)નું ફૈસલાબાદમાં હાર્ટ એટેકથી અવસાન થયું. જો કે, તેમના મૃત્યુ અંગે પાકિસ્તાનના જેહાદી વર્તુળોમાં અટકળો ચાલુ છે. હકીકતમાં તાજેતરના ભૂતકાળમાં લશ્કરના ઘણા આતંકવાદીઓની રહસ્યમય હત્યાઓ થઈ છે.એક મીડિયા રિપોર્ટ મુજબ પાકિસ્તાને ભારતીય એજન્સીઓ પર તાજેતરના દિવસોમાં પાકિસ્તાનના વિવિધ શહેરોમાં માર્યા ગયેલા આતંકવાદીઓની હત્યા કરવાનો આરોપ લગાવ્યો છે, પરંતુ ભારતે તમામ આરોપોને સખત રીતે ફગાવી દીધા છે. બંને દેશો વચ્ચે આરોપ-પ્રત્યારોપનો દોર ચાલી રહ્યો છે, ત્યારે લશ્કરના જાસુસી વડા આઝમ ચીમાનું પાકિસ્તાનના ફૈસલાબાદમાં મૃત્યુ થયું છે. તેમની ઉંમર લગભગ 70 વર્ષની હતી. આ પછી પાકિસ્તાનના જેહાદી વર્તુળોમાં ફરી અટકળોએ જોર પકડ્યું છે.

Advertisment

એક સૂત્રએ જણાવ્યું હતું કે, “તે ઘણીવાર છ બોડિગાર્ડ સાથે લેન્ડ ક્રુઝરમાં ફરતો જોવા મળતો હતો.” એક સૂત્રએ જણાવ્યું હતું કે, આ ચીમા જ હતો જે એક વાર બહાવલપુર શિબિરમાં હથિયારોનું પ્રશિક્ષણ લઈ રહેલા જેહાદીઓના બ્રેઈન વોશ કરવા માટે આઈએસઆઈના ભૂતપૂર્વ વડા જનરલ હમીદ ગુલ, બ્રિગેડિયર રિયાઝ અને કર્નલ રફીકને લાવ્યા હતા. તે ક્યારેક કરાચી જતો અને લાહોર ટ્રેનિંગ કેમ્પની મુલાકાત પણ લેતો.