જામનગર : કેન્સર પીડિતો માટે મહિલાએ પોતાના વાળ ડોનેટ કર્યા, પહેલને બિરદાવાય..

જામનગરમાં એક મહિલા દ્વારા કેન્સર પીડિત મહિલાઓ માટે વાળ ડોનેટ કરવામાં આવ્યા હતા,

New Update
જામનગર : કેન્સર પીડિતો માટે મહિલાએ પોતાના વાળ ડોનેટ કર્યા, પહેલને બિરદાવાય..

જામનગરમાં એક મહિલા દ્વારા કેન્સર પીડિત મહિલાઓ માટે વાળ ડોનેટ કરવામાં આવ્યા હતા, આ વાળ કેન્સર પીડિત મહિલાઓ માટે વિગ બનાવી ડોનેટ કરવામાં આવે છે.

Advertisment

જામનગરમાં મહિલા દિન નિમિતે લાયન્સ કલબ ઓફ જામનગર સંસ્થાના સહયોગથી શહેરના મનીષા સાંકડેચા દ્વારા કેન્સર પીડિત મહિલાઓ માટે વાળ ડોનેટ કરવામાં આવ્યા હતા, મનીષા સાંકડેચાને વોટ્સએપમાં પેમ્પલેટ દ્વારા વાળ ડોનેટ કરવાની જાણકારી મળી હતી અને પોતે કેન્સર પીડિત મહિલા માટે વાળ ડોનેટ કરવાનો નિર્ણય લીધો હતો.

મનીષા દ્વારા લાયન્સ ક્લબના સહયોગથી હેવન બ્યુટી પાર્લર ખાતે નિયમનુસાર પોતાના 13 ઇંચ વાળ કાપી કેન્સર પીડિત મહિલાઓને દાન માટે લાયન્સ ક્લબને આપ્યા હતા. જે મુંબઈ ખાતે મધર્સ ટ્રસ્ટમાં મોકલવામાં આવશે અને ત્યાં વાળની વિગ બનાવી જરૂરિયાતમંદ કેન્સર પીડિત મહિલાઓને દાન કરાશે.

Read the Next Article

વલસાડ : દાદરાનગર હવેલીમાં સામૂહિક આપઘાતની આશંકા, પિતા અને બે બાળકોના મૃતદેહ મળતા ચકચાર

દાદરા નગર હવેલીના સામરવણી ગામમાં મૂળ મહારાષ્ટ્રીયન પરિવારના ત્રણ સભ્યોના મૃતદેહ મળી આવ્યા છે. ઘરમાંથી પિતા અને તેમના બે બાળકોના મૃતદેહ મળી આવ્યા

New Update
  • સામુહિક આપઘાતની ઘટનાથી ચકચાર

  • પિતા અને બે બાળકોના મળ્યા મૃતદેહ

  • પરિવારના ત્રણ સભ્યોના મોતથી ચકચાર

  • પોલીસ તપાસમાં સુસાઈડ નોટ મળી આવી 

  • આપઘાત પાછળનું કારણ જાણવા કવાયત  

Advertisment

દાદરા નગર હવેલીના સામરવણી ગામમાં એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છેજેમાં એક જ પરિવારના ત્રણ સભ્યોના મૃતદેહ મળી આવતા ચકચાર મચી ગઈ છે. ઘરમાંથી પિતા અને તેમના બે બાળકોના મૃતદેહ મળી આવ્યા છેજેને પગલે સામૂહિક આપઘાતની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.

દાદરા નગર હવેલીના સામરવણી ગામમાં મૂળ મહારાષ્ટ્રીયન પરિવારના ત્રણ સભ્યોના મૃતદેહ મળી આવ્યા છે. ઘરમાંથી પિતા અને તેમના બે બાળકોના મૃતદેહ મળી આવ્યા છેજેને પગલે સામૂહિક આપઘાતની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી.પોલીસ તપાસમાં સ્થળ પરથી એક સુસાઇડ નોટ પણ મળી છે. આ સુસાઇડ નોટ મૃત્યુ પાછળના કારણો પર પ્રકાશ પાડી શકે છે. હાલ પોલીસે મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા છે.

પોલીસના જણાવ્યા અનુસારપોસ્ટમોર્ટમ રિપોર્ટ અને સુસાઇડ નોટની તપાસ બાદ જ આ ઘટના સામૂહિક આપઘાત છે કે કોઈ અન્ય કારણથી મૃત્યુ થયું છેતે અંગેની હકીકત બહાર આવશે. હાલ પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.

Latest Stories