-
રાજ્યમાં ઉત્તરાયણમાં 9 લોકોએ ગુમાવ્યા જીવ
-
દોરથી ગળું કપાતા,ધાબા પરથી પડી જતા નિપજ્યા મોત
-
108ને મળ્યા 4256 જેટલા મળ્યા ઇમરજન્સી કોલ
-
1400થી વધુ પશુ પક્ષીઓ થયા દોરથી ઘાયલ
-
કરૂણા એનિમલ એમ્બ્યુલન્સને 1402 ઈમરન્સી કોલ મળ્યા
ગુજરાત રાજ્યભરમાં ઉત્તરાયણ પર્વની ઉજવણી હર્ષોલ્લાસ સાથે કરવામાં આવી હતી,જોકે બીજી તરફ પતંગની દોરીથી ગળું કપાતા તેમજ ધાબા પરથી પડી જવા સહિતના કારણોસર 9 લોકોના કરૂણ મોત નિપજ્યા હતા.તેમજ 108 એમ્બ્યુલન્સને 4256 જેટલા ઇમર્જન્સી કોલ મળ્યા હોવાનું જાણવા મળ્યું છે.
ગુજરાતમાં ઉત્તરાયણ પર્વ આનંદ ઉલ્લાસભેર ઉજવામાં આવ્યો હતો,જોકે કેટલાક પરિવારો માટે તહેવાર માતમ સમાન બની ગયો છે.પતંગની કાતિલ દોરીથી ગળુ કપાતા,ધાબા પરથી પડી જવાના કારણો સહિતની ઘટનામાં 9 લોકોના મોત નિપજ્યા હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે.ઉતરાયણની મજા કેટલાક નાગરિક અને અબોલા પશુઓ માટે સજા પુરવાર થઇ છે.
રાજ્યમાં 108ને 4256 ઈમરજન્સી કોલ મળી ચૂક્યા છે, અમદાવાદમાં સૌથી વધુ 732 જ્યારે 320 કોલ સાથે સુરત બીજા ક્રમે રહ્યું છે. નાગરિકો સિવાય 1400 થી વધારે પશુ-પંખીઓ ઘાયલ થયા છે. કરૂણા એનિમલ એમ્બ્યુલન્સને 1402 ઈમરન્સી કોલ મળ્યા હતા.જેમાં 758 પશુના અને 644 પક્ષીઓના હતા.