વલસાડ : વાપીના વંકાછ ગામે રાતા ખાડીમાં નાહવા પડેલા 2 યુવકોના મોત, 4 યુવકોનો આબાદ બચાવ...

વાપી તાલુકાના વંકાછ ગામે રાતા ખાડીમાં નાહવા પડેલા 6 યુવકોમાંથી 2 યુવકોના પાણીમાં ડૂબી જતાં કરુણ મોતને ભેટયા જ્યારે 4 યુવકોનો આબાદ બચાવ થયો

New Update
  • વાપી તાલુકાના વંકાછ ગામમાંથી કરુણ ઘટના સામે આવી

  • વંકાછ ગામમાં રહેત 6 મિત્રો ગયા હતા રાતા ખાડીમાં નાહવા

  • 2 યુવકોને તરતા ન આવડતું હોવાથી પાણીમાં ગરકાવ થયા

  • રાતા ખાડીમાં ડૂબી જતા 4 પૈકી 2 યુવકોના મોત નિપજ્યાં

  • પોલીસ-ફાયર બ્રિગેડએ સ્થળ પર પહોંચી કાર્યવહી હાથ ધરી 

વલસાડ જિલ્લાના વાપી તાલુકાના વંકાછ ગામે રાતા ખાડીમાં 6 યુવકો નાહવા માટે ગયા હતાજ્યાં 4 પૈકી 2 યુવકોનું પાણીમાં ડૂબી જતાં કરુણ મોત નીપજ્યું હતું.

મળતી માહિતી અનુસારવલસાડ જિલ્લાના વાપી તાલુકાના વંકાછ ગામમાં આવેલ કોળીવાડની દિનેશભાઈની ચાલીમાં રહેતા બલદેવસિંહ માનસિંઘ અને કમલસિંઘ મોહનસિંઘ સહિત 6 મિત્રો વંકાછ ચેકડેમ પર રાતા ખાડીમાં નાહવા ગયા હતા. જેમાં બલદેવસિંહ અને કમલસિંઘ નાહવા માટે નદીની વચ્ચે ગયા હતાજ્યારે અન્ય 4 મિત્રો નદી કિનારે બેઠા હતા. આ દરમ્યાન બલદેવસિંહ અને કમલસિંઘને તરતા ન આવડતું હોવાથી તેઓ ઊંડા પાણીમાં ગરકાવ થયા હતાત્યારે કિનારે રહેલા મિત્રોએ તેમને ડૂબતા જોઈને સ્થાનિકોની મદદ માંગી હતી.

સ્થાનિક તરવૈયાઓ તાત્કાલિક મદદે દોડી આવ્યા હતા. તો બીજી તરફબનાવની જાણ થતાં જ વાપી ડુંગરા પોલીસ સહિત ફાયર બ્રિગેડની તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતીજ્યાં ફાયર ફાઇટરો સહિત સ્થાનિક તરવૈયાઓ ખાડીમાં ડૂબેલા યુવકોની શોધખોળ હાથ ધરી હતી. કલાકોની જહેમત બાદ બલદેવસિંહ માનસિંઘ નામના યુવકનો મૃતદેહ શોધવામાં સફળતા મળી હતી.

પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડ્યો હતોજ્યારે અન્ય યુવક કમલસિંઘ મોહનસિંઘની શોધખોળ યથાવત રાખવામાં આવી હતી. સમગ્ર મામલે પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Read the Next Article

દ્વારકા : ઓખામાં બોટ રજિસ્ટ્રેશન કૌભાંડમાં પોલીસે બે એજન્ટ સહિત 11 આરોપીઓની કરી ધરપકડ,93 બોટના બનાવટી દસ્તાવેજો મળ્યા

ઓખા મંડળમાં માછીમારી બોટના રજિસ્ટ્રેશન અને કોલ લાયસન્સમાં મોટું કૌભાંડ પકડાયું છે. જિલ્લા એસઓજી પોલીસે આ કેસમાં બે મુખ્ય આરોપી સહિત 11 આરોપીની ધરપકડ કરી

New Update
  • ઓખામાં બોટ રજિસ્ટ્રેશન કૌભાંડનો મામલો

  • એસઓજી પોલીસે કરી કાર્યવાહી

  • બે મુખ્ય સહિત 11 આરોપીની ધરપકડ

  • ખોટા સોગંદનામા બનાવી આચર્યું કૌભાંડ 

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઓખા મંડળમાં માછીમારી બોટના રજિસ્ટ્રેશન અને કોલ લાયસન્સમાં મોટું કૌભાંડ પકડાયું છે. જિલ્લા એસઓજી પોલીસે આ કેસમાં બે મુખ્ય આરોપી સહિત 11 આરોપીની ધરપકડ કરી છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઓખા મંડળમાં માછીમારી બોટના રજિસ્ટ્રેશન અને કોલ લાયસન્સમાં મોટું કૌભાંડ પકડાયું છે.પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કેઆરોપીઓએ જૂની માછીમારી બોટ અને બિલ વગર ખરીદેલી બોટ માટે બનાવટી દસ્તાવેજો તૈયાર કર્યા હતા. તેઓ ખોટા સોગંદનામા બનાવીને ગેરકાયદેસર રીતે જૂની બોટ માટે નવા કોલ લાયસન્સ મેળવતા હતા.

મુખ્ય આરોપીઓમાં શાફીન સબીરભાઈ ભટ્ટી જે રહેમત ફિશિંગ કન્સલ્ટિંગના માલિક છે,અને સુનિલ મનસુખભાઈ નિમાવત જે રામદૂત ઝેરોક્ષના માલિક છેતેમનો સમાવેશ થાય છે.આમ મુખ્ય બે આરોપીઓ સહિત 11 આરોપીઓની પોલીસે ધરપકડ કરી છે.

જિલ્લા પોલીસવડા નિતેશ પાંડેયના માર્ગદર્શન હેઠળ એસઓજી વિભાગે આ કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. પોલીસે આરોપીઓની ઓફિસમાંથી શંકાસ્પદ કોલ લાયસન્સ અને બનાવટી બિલો જપ્ત કર્યા છે.

આ કૌભાંડની ગંભીરતાને ધ્યાનમાં રાખીનેપોલીસે દરિયાઈ વિસ્તારમાં પેટ્રોલિંગ અને ચેકિંગની કાર્યવાહી વધુ સઘન બનાવી છે. આ કૌભાંડની કુલ રકમ આશરે રૂપિયા ત્રણ કરોડ સુધી પહોંચી છે.