વલસાડ : વાપીના વંકાછ ગામે રાતા ખાડીમાં નાહવા પડેલા 2 યુવકોના મોત, 4 યુવકોનો આબાદ બચાવ...

વાપી તાલુકાના વંકાછ ગામે રાતા ખાડીમાં નાહવા પડેલા 6 યુવકોમાંથી 2 યુવકોના પાણીમાં ડૂબી જતાં કરુણ મોતને ભેટયા જ્યારે 4 યુવકોનો આબાદ બચાવ થયો

New Update
  • વાપી તાલુકાના વંકાછ ગામમાંથી કરુણ ઘટના સામે આવી

  • વંકાછ ગામમાં રહેત 6 મિત્રો ગયા હતા રાતા ખાડીમાં નાહવા

  • 2 યુવકોને તરતા ન આવડતું હોવાથી પાણીમાં ગરકાવ થયા

  • રાતા ખાડીમાં ડૂબી જતા 4 પૈકી 2 યુવકોના મોત નિપજ્યાં

  • પોલીસ-ફાયર બ્રિગેડએ સ્થળ પર પહોંચી કાર્યવહી હાથ ધરી

વલસાડ જિલ્લાના વાપી તાલુકાના વંકાછ ગામે રાતા ખાડીમાં 6 યુવકો નાહવા માટે ગયા હતાજ્યાં 4 પૈકી 2 યુવકોનું પાણીમાં ડૂબી જતાં કરુણ મોત નીપજ્યું હતું.

મળતી માહિતી અનુસારવલસાડ જિલ્લાના વાપી તાલુકાના વંકાછ ગામમાં આવેલ કોળીવાડની દિનેશભાઈની ચાલીમાં રહેતા બલદેવસિંહ માનસિંઘ અને કમલસિંઘ મોહનસિંઘ સહિત 6 મિત્રો વંકાછ ચેકડેમ પર રાતા ખાડીમાં નાહવા ગયા હતા. જેમાં બલદેવસિંહ અને કમલસિંઘ નાહવા માટે નદીની વચ્ચે ગયા હતાજ્યારે અન્ય 4 મિત્રો નદી કિનારે બેઠા હતા. આ દરમ્યાન બલદેવસિંહ અને કમલસિંઘને તરતા ન આવડતું હોવાથી તેઓ ઊંડા પાણીમાં ગરકાવ થયા હતાત્યારે કિનારે રહેલા મિત્રોએ તેમને ડૂબતા જોઈને સ્થાનિકોની મદદ માંગી હતી.

સ્થાનિક તરવૈયાઓ તાત્કાલિક મદદે દોડી આવ્યા હતા. તો બીજી તરફબનાવની જાણ થતાં જ વાપી ડુંગરા પોલીસ સહિત ફાયર બ્રિગેડની તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતીજ્યાં ફાયર ફાઇટરો સહિત સ્થાનિક તરવૈયાઓ ખાડીમાં ડૂબેલા યુવકોની શોધખોળ હાથ ધરી હતી. કલાકોની જહેમત બાદ બલદેવસિંહ માનસિંઘ નામના યુવકનો મૃતદેહ શોધવામાં સફળતા મળી હતી.

પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડ્યો હતોજ્યારે અન્ય યુવક કમલસિંઘ મોહનસિંઘની શોધખોળ યથાવત રાખવામાં આવી હતી. સમગ્ર મામલે પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Read the Next Article

અંકલેશ્વર: મહોરમનું પર્વ શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થતા તાજીયા કમિટી દ્વારા તંત્રનો આભાર વ્યક્ત કરાયો

અંકલેશ્વર શહેર-તાલુકા તાજીયા કમિટી દ્વારા વહીવટી તંત્ર, પોલીસ પ્રશાસન, ગુજરાત વિદ્યુત બોર્ડ અને અંકલેશ્વર નગરપાલિકાનો આભાર વ્યક્ત કરી સન્માન કરવામાં આવ્યું

New Update
Tajiya Commitee
અંકલેશ્વર શહેર-તાલુકા તાજીયા કમિટી દ્વારા વહીવટી તંત્ર, પોલીસ પ્રશાસન, ગુજરાત વિદ્યુત બોર્ડ અને અંકલેશ્વર નગરપાલિકાનો આભાર વ્યક્ત કરી સન્માન કરવામાં આવ્યું હતું. અંકલેશ્વરમાં મોહરમનું પર્વ શાંતિપૂર્ણ અને કોમી એખલાસભર્યા વાતાવરણમાં સંપન્ન થયું છે જે બદલ અંકલેશ્વર શહેર તાલુકા તાજીયા કમિટી દ્વારા પ્રાંત અધિકારી, મામલતદાર  કરણસિંહ રાજપૂત, નાયબ પોલીસ અધિક્ષક,ડો.કુશલ ઓઝા,પોલીસ ઇન્સ્પેકટર  પી જી ચાવડા, પાલિકા પ્રમુખ લલીતાબેન રાજપુરોહિત, શિક્ષણ સમિતિ ચેરમેન ગણેશ અગ્રવાલ, ભાજપ શહેર પ્રમુખ ધર્મેન્દ્ર પુષ્કર્ણા સહિતના આગેવાનોનો આભાર વ્યક્ત કરી તેઓનું સન્માન કરવામાં આવ્યું હતું.

Tajiya Commitee Ankleshwar

આ પ્રસંગે કમિટીના પ્રમુખ બખ્તિયાર પટેલ, સેક્રેટરી વસીમ ફડવાલા, ઉપપ્રમુખ અમન પઠાણ, નૂર કુરેશી, લીગલ એડવાઈઝર હારુન મલેક સહિતના આગેવાનો અને સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.