નર્મદા: વર્ષના અંતિમ દિવસે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પ્રવસીઓનું ઘોડાપુર ઉમટ્યું,5 દિવસમાં 2.21 લાખ લોકોએ લીધી SOUની મુલાકાત

31 ડિસેમ્બરની ઉજવણી માટે  સ્ટેચ્યુ ઓફ યુનિટી હાલ સજ્જ છે, પ્રવાસીઓને કોઈ તકલીફના પડે તે માટે SOU ઓથોરિટી દ્વારા પૂરતા પ્રયાસો પણ કરવામાં આવી રહ્યા છે

New Update
  • 31st ડિસે.SOU ખાતે પ્રવસીઓનો જમાવડો

  • 5 દિવસમાં 2.21 લાખ પ્રવસીઓ SOU ખાતે નોંધાયા

  • 1.75 કરોડથી વધુ પ્રવાસીએ SOUની મુલાકાત લીધી

  • પ્રવસી વધતા S.T. વિભાગની વધુ 30 બસો ફાળવવામાં આવી

  • 300 થી વધુ પોલીસ જવાનો બંદોબસ્તમાં જોડાયા  

 આજે 31 ડિસેમ્બર એટલે અંગ્રેજી મહિનાનો છેલ્લો દિવસગુજરાત સહિત સમગ્ર દેશ અને દુનિયાના લોકોમાં નવા વર્ષની ઉજવણી માટેનો થનગનાટ જોવા મળી રહ્યો છે,ત્યારે પ્રવાસીઓ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત માટે મોટી સંખ્યામાં ઉમટી પડ્યા છે.

આજે વર્ષ 2024નો અંતિમ દિવસ અને આવતી કાલે 2025નું નવા વર્ષની શરૂઆત થશે.31 ડિસેમ્બરની ઉજવણી માટે  સ્ટેચ્યુ ઓફ યુનિટી હાલ સજ્જ છેપ્રવાસીઓને કોઈ તકલીફના પડે તે માટે SOU ઓથોરિટી દ્વારા પૂરતા પ્રયાસો પણ કરવામાં આવી રહ્યા છે,આજે દેશભરમાંથી હજારો પ્રવાસીઓ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ઉમટી રહ્યા છે.

યુવાધનમાં ખાસ નવા વર્ષની ઉજવણીનો ભારે ઉત્સાહ જોવા મળતો હોય છે,આજે મહારાષ્ટ્રના પ્રવાસીઓ SOU પર પોતાનાં પરંપરાગત મરાઠી પહેરવેશ સાથે આવ્યા હતા. તેઓએ જણાવ્યું કે અમે અમારી જે સંસ્કૃતિ છે,જેને લઈ SOU પર આવ્યા છે અને આ સ્ટેચ્યુ ઓફ યુનિટી અદ્દભુત બનાવવામાં આવી છે.

અહીં એકવાર આવીએ તો વારંવાર આવવાનું મન થાય છે.આજે 2024 ના અંતિમ દિવસે 31 ડિસેમ્બરની ઉજવણી કરવા હજારોની સંખ્યામાં લોકો ઉમટી પડ્યા છે.25 ડિસેમ્બરથી 31 ડિસેમ્બર સુધીમાં ઓનલાઇનના આંકડા જોઈએ તો આ પાંચ દિવસમાં 2.21 લાખ પ્રવાસીઓ આવ્યા છે અને આજે એક જ દિવસમાં 70 હજાર જેટલા પ્રવાસીઓ આવ્યા છે જેને લઈ એસટી બસની સુવિધામાં પણ વધારો કરવામાં આવ્યો છે.

Read the Next Article

ભરૂચ જિલ્લાની 67 ગ્રામપંચાયતોમાં રવિવારે ચૂંટણી યોજાશે, કુલ 18 પંચાયત સમરસ જાહેર

ગ્રામ પંચાયતો માટે સામાન્ય અને પેટાચૂંટણી યોજાનાર છે.  જે પૈકી ભરૂચ જિલ્લામાં ૦૯ તાલુકામાં ૬૭ ગ્રામ પંચાયતોમાં સામાન્ય/મધ્યસત્ર/પેટા ચૂંટણી યોજાશે. જયારે ૧૮ ગ્રામ પંચાયતો સંપૂર્ણ બિનહરીફ જાહેર થઈ

New Update
Bharuch Grampanchayat Election
રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા રાજ્યમાં ૨૨મી જૂનના રોજ આઠ હજારથી વધુ ગ્રામ પંચાયતો માટે સામાન્ય અને પેટાચૂંટણી યોજાનાર છે.  જે પૈકી ભરૂચ જિલ્લામાં ૦૯ તાલુકામાં ૬૭ ગ્રામ પંચાયતોમાં સામાન્ય/મધ્યસત્ર/પેટા ચૂંટણી યોજાશે. જયારે ૧૮ ગ્રામ પંચાયતો સંપૂર્ણ બિનહરીફ જાહેર થઈ હતી.ભરૂચ જિલ્લાના વિવિધ તાલુકાઓમાં તા.૦૧/૦૪/૨૦૨૨થી તા.૩૦/૦૬/૨૦૨૫ સુધીની મુદત પુરી થતી પંચાયતો ભરૂચ જિલ્લાની ૨૧૩ ગ્રામ પંચાયતોની ચૂંટણી પૈકી ૬૩ સામાન્ય,  ૦૫ વિસર્જન, અને પેટા ૧૪૫ મળી કુલ ૨૧૩ ગ્રામ પંચાયતોમાં ચૂંટણી યોજાનાર હતી. 
      
આગામી તા.૨૨/૦૬/૨૦૨૫ના રોજ ભરૂચ જિલ્લાના તાલુકાઓમાં કુલ ૬૭ ગ્રામ પંચાયતો માટેની ચૂંટણી યોજાનાર છે. તેમજ કુલ-૬૮ પંચાયતો પૈકી ૧૮ ગ્રામ પંચાયતો સંપૂર્ણ બિનહરીફ વિજેતા થઈ છે. જેમાં આમોદ તાલુકાની ૦૩, વાગરાની ૦૧, ભરૂચ તાલુકાની ૦૧ અંકલેશ્વરની ૦૪, હાંસોટ તાલુકાની ૦૭, ઝઘડીયા તાલુકાની ૦૨  ગ્રામ પંચાયતોમાં બિનહરીફ જીત જાહેર થઈ છે. કુલ ૧૭૪ મતદાન મથકોમાં મતદાન યોજાશે. આ ચૂંટણીમાં નોટાનો અમલ કરવામાં આવશે.આ ચૂંટણીમાં બેલેટ પેપરનો ઉપયોગ કરવામાં આવશે..