નર્મદા: વર્ષના અંતિમ દિવસે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પ્રવસીઓનું ઘોડાપુર ઉમટ્યું,5 દિવસમાં 2.21 લાખ લોકોએ લીધી SOUની મુલાકાત

31 ડિસેમ્બરની ઉજવણી માટે  સ્ટેચ્યુ ઓફ યુનિટી હાલ સજ્જ છે, પ્રવાસીઓને કોઈ તકલીફના પડે તે માટે SOU ઓથોરિટી દ્વારા પૂરતા પ્રયાસો પણ કરવામાં આવી રહ્યા છે

New Update
  • 31st ડિસે.SOU ખાતે પ્રવસીઓનો જમાવડો

  • 5 દિવસમાં 2.21 લાખ પ્રવસીઓSOU ખાતે નોંધાયા

  • 1.75 કરોડથી વધુ પ્રવાસીએSOUની મુલાકાત લીધી

  • પ્રવસી વધતાS.T. વિભાગની વધુ 30 બસો ફાળવવામાં આવી

  • 300 થી વધુ પોલીસ જવાનો બંદોબસ્તમાં જોડાયા  

આજે 31 ડિસેમ્બર એટલે અંગ્રેજી મહિનાનો છેલ્લો દિવસગુજરાત સહિત સમગ્ર દેશ અને દુનિયાના લોકોમાં નવા વર્ષની ઉજવણી માટેનો થનગનાટ જોવા મળી રહ્યો છે,ત્યારે પ્રવાસીઓ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત માટે મોટી સંખ્યામાં ઉમટી પડ્યા છે.

આજે વર્ષ 2024નો અંતિમ દિવસ અને આવતી કાલે 2025નું નવા વર્ષની શરૂઆત થશે.31 ડિસેમ્બરની ઉજવણી માટે  સ્ટેચ્યુ ઓફ યુનિટી હાલ સજ્જ છેપ્રવાસીઓને કોઈ તકલીફના પડે તે માટેSOU ઓથોરિટી દ્વારા પૂરતા પ્રયાસો પણ કરવામાં આવી રહ્યા છે,આજે દેશભરમાંથી હજારો પ્રવાસીઓ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ઉમટી રહ્યા છે.

યુવાધનમાં ખાસ નવા વર્ષની ઉજવણીનો ભારે ઉત્સાહ જોવા મળતો હોય છે,આજે મહારાષ્ટ્રના પ્રવાસીઓSOU પર પોતાનાં પરંપરાગત મરાઠી પહેરવેશ સાથે આવ્યા હતા. તેઓએ જણાવ્યું કે અમે અમારી જે સંસ્કૃતિ છે,જેને લઈSOU પર આવ્યા છે અને આ સ્ટેચ્યુ ઓફ યુનિટી અદ્દભુત બનાવવામાં આવી છે.

અહીં એકવાર આવીએ તો વારંવાર આવવાનું મન થાય છે.આજે 2024 ના અંતિમ દિવસે 31 ડિસેમ્બરની ઉજવણી કરવા હજારોની સંખ્યામાં લોકો ઉમટી પડ્યા છે.25 ડિસેમ્બરથી 31 ડિસેમ્બર સુધીમાં ઓનલાઇનના આંકડા જોઈએ તો આ પાંચ દિવસમાં 2.21 લાખ પ્રવાસીઓ આવ્યા છે અને આજે એક જ દિવસમાં 70 હજાર જેટલા પ્રવાસીઓ આવ્યા છે જેને લઈ એસટી બસની સુવિધામાં પણ વધારો કરવામાં આવ્યો છે.

Read the Next Article

ભરૂચ: સેવાયજ્ઞ સમિતિએ ભિક્ષુક વ્યક્તિને નવજીવન આપી પરિવાર સાથે કરાવ્યું મિલન

રાયગઢ જિલ્લાના વતની ભિક્ષુક સિક્યુરિટીની નોકરી કરી પરિવારનું ગુજરાન ચલાવતા હતા. આશરે 8 મહિના પહેલાં રોડ ઉપર અકસ્માત થવાથી તેમનો એક પગ કપાઈ ગયો હતો

New Update
  • ભરૂચની સેવાયજ્ઞ સમિતિનું સેવાકાર્ય

  • ભિક્ષુક વ્યક્તિને આપ્યું નવજીવન

  • સિવિલ હોસ્પિટલમાં કરાવી સારવાર

  • પરિવાર સાથે કરાવ્યું સુખદ મિલન

  • કાર્યની સૌ કોઈએ કરી પ્રસંશા

ભરૂચ સ્થિત સેવાયજ્ઞ સમિતિએ ભિક્ષુક વ્યક્તિને નવજીવન આપી એમના પરિવાર સાથે સુખદ મિલન કરાવતા લાગણી સભર દ્રશ્યો જોવા મળ્યા હતા મહારાષ્ટ્રના રાયગઢ જિલ્લાના રહેવાસી 45 વર્ષીય રાજેશ ક્રિષ્ના ચૌધરી થોડા મહિના પહેલાં અજાણી સેવાભાવી વ્યક્તિએ ફોન દ્વારા ભિક્ષુક હાલતમાં રેલવે સ્ટેશન પાસે પડેલા પગ કપાઇ ગયેલ વ્યક્તિ વિશે માહિતી આપતાં ભરૂચ સ્થિત સેવાયજ્ઞ સમિતિના કાર્યકરે એમને લઇ આવી અનાથ ઘરડા ઘરમાં રાખ્યાં હતાં.
સેવાયજ્ઞ સમિતિ સંસ્થાના સ્વયંસેવક હિમાંશુ પરીખે રાજેશભાઈ સાથે વાત કરી ત્યારે રાજેશભાઈ બીમાર અને માનસિક રીતે અસ્વસ્થ હતા. રાજેશભાઈ ના કહેવા મુજબ તે મહાડ, રાયગઢ જિલ્લાના વતની છે.તેમના પત્ની અને બે સંતાનો સાથે ત્યાં રહેતાં હતા. સિક્યુરિટીની નોકરી કરી પરિવારનું ગુજરાન ચલાવતા હતા. આશરે 8 મહિના પહેલાં રોડ ઉપર અકસ્માત થવાથી તેમનો એક પગ કપાઈ ગયો હતો. પોતે પથારીવસ થઈ ગયા હોવાથી તેમણે પત્ની અને બાળકોને તેમના ઘરે મોકલી આપ્યાં હતાં ત્યારબાદ રાજેશભાઈ નિરાધાર અને ભિક્ષુક હાલતમાં ભટકતાં ભટકતાં ભરૂચ આવી ગયા હતા.
સંસ્થાના સ્વયંસેવક  પૂનમચંદ કાપડિયાએ એમને સિવિલ હોસ્પિટલ ભરૂચમાં એડમિટ કરાવ્યા હતા અને સર્જરી કરાવી કુત્રિમ પગ લગાવી આપ્યો હતો ત્યારબાદ રેગ્યુલર એક્સરસાઇઝ અને ચાલવાની પ્રેક્ટિસ કરાવવાથી રાજેશભાઈ હવે ચાલતા અને પોતે નોકરી પર જઈ શકે તેમ સક્ષમ થઈ ગયા છે. સાથે સાથે સેવાયજ્ઞ સમિતિએ એમના પરિવારજનો સાથે સંપર્ક કરી એમનો પરિવાર સાથે મેળાપ કરાવ્યો હતો.