જૂનાગઢના સરગવાડા ગામના 3 યુવાનો અકસ્માતમાં મોતને ભેટતા ત્રણેયની એકસાથે અંતિમ યાત્રા નીકળી

અકસ્માતમાં ત્રણેય યુવાનો ઘટનાસ્થળે મોત નિપજ્યાં હતા  ત્યાર બાદ સરગવાડા ગામમાં શોકમય માહોલ છવાયો હતો. ત્રણેય મિત્રોનો એકસાથે જનાજો નીકળતાં ગામ હીબકે ચઢ્યું

New Update
saragvada Accident

જૂનાગઢ-ધોરાજી રોડ પર એક ભયાનક અકસ્માતમાં ત્રણ યુવાન મિત્રે જીવ ગુમાવ્યા છે. આ દુર્ઘટના બાઈક અને કાર વચ્ચે સામસામે ટકરાવાથી સર્જાઈ હતી. ત્રણેય યુવાન સાથે ઉર્સમાંથી પરત ફરતી વખતે આ ઘટના બની હતી. ઘટના વહેલી સવારે બની હતી. આ ગંભીર અકસ્માતમાં ત્રણેય યુવાનોના ઘટનાસ્થળે મોત નિપજ્યાં હતા ત્યાર બાદ સરગવાડા ગામમાં શોકમય માહોલ છવાયો હતો. ત્રણેય મિત્રોનો એકસાથે જનાજો નીકળતાં ગામ હીબકે ચઢ્યું હતું.

Advertisment

ટ્રિપલ સવારીમાં બાઇક પર જતા હતા મૃતક યુવાનોની ઓળખ આમિર મામદભાઈ અબડા, અલ્ફેઝ હનીફભાઈ કાઠી અને અરમાન મકસુદબાપુ સૈયદ તરીકે થઈ છે. તેઓ ટ્રિપલ સવારીમાં બાઈક પર હતા. 

Advertisment
Latest Stories