જૂનાગઢના સરગવાડા ગામના 3 યુવાનો અકસ્માતમાં મોતને ભેટતા ત્રણેયની એકસાથે અંતિમ યાત્રા નીકળી

અકસ્માતમાં ત્રણેય યુવાનો ઘટનાસ્થળે મોત નિપજ્યાં હતા  ત્યાર બાદ સરગવાડા ગામમાં શોકમય માહોલ છવાયો હતો. ત્રણેય મિત્રોનો એકસાથે જનાજો નીકળતાં ગામ હીબકે ચઢ્યું

New Update
saragvada Accident

જૂનાગઢ-ધોરાજી રોડ પર એક ભયાનક અકસ્માતમાં ત્રણ યુવાન મિત્રે જીવ ગુમાવ્યા છે. આ દુર્ઘટના બાઈક અને કાર વચ્ચે સામસામે ટકરાવાથી સર્જાઈ હતી. ત્રણેય યુવાન સાથે ઉર્સમાંથી પરત ફરતી વખતે આ ઘટના બની હતી. ઘટના વહેલી સવારે બની હતી. આ ગંભીર અકસ્માતમાં ત્રણેય યુવાનોના ઘટનાસ્થળે મોત નિપજ્યાં હતા ત્યાર બાદ સરગવાડા ગામમાં શોકમય માહોલ છવાયો હતો. ત્રણેય મિત્રોનો એકસાથે જનાજો નીકળતાં ગામ હીબકે ચઢ્યું હતું.

ટ્રિપલ સવારીમાં બાઇક પર જતા હતા મૃતક યુવાનોની ઓળખ આમિર મામદભાઈ અબડા, અલ્ફેઝ હનીફભાઈ કાઠી અને અરમાન મકસુદબાપુ સૈયદ તરીકે થઈ છે. તેઓ ટ્રિપલ સવારીમાં બાઈક પર હતા. 

Latest Stories
Read the Next Article

ભરૂચ: વાલિયાથી વાડીને જોડતા મુખ્યમાર્ગ પર વૃક્ષ ધરાશાયી, વાહનવ્યવહારને અસર

ભરૂચના વાલિયા-વાડી વચ્ચે બાવળનું વૃક્ષ મુખ્ય માર્ગ ઉપર ધરાશાયી થતા વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો હતો.

New Update
sdhgifg

ભરૂચના વાલિયા-વાડી વચ્ચે બાવળનું વૃક્ષ મુખ્ય માર્ગ ઉપર ધરાશાયી થતા વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો હતો.

છેલ્લા 4 દિવસથી ભરૂચના વાલિયા તાલુકામાં અવિરત વરસાદ વરસતા વૃક્ષો ધરાશાયી થવાનો ઘટનાઓ સામે આવી છે ત્યારે વાલિયા-વાડી વચ્ચે બાવળનું વૃક્ષ મુખ્ય માર્ગ ઉપર ધરાશાયી થયું છે.જેને પગલે વાહન વ્યવહારને અસર થઈ છે.વાહન ચાલકો મુશ્કેલી અનુભવી રહ્યા છે. ગતરોજ સાંજે વાલિયા પોલીસને જાણ થતાં સ્ટાફ દ્વારા પોલીસ મથકના પી.આઈ. એમ.બી.તોમરના માર્ગ દર્શન હેઠળ વૃક્ષને માર્ગની બાજુમાં ખસેડવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.
Latest Stories