અમરેલી : અજમેરની હોટલમાં આગ લાગતાં પતિ-પત્ની-પુત્ર જીવતા ભૂંજાયા, વતન લાઠીમાં ત્રણેયનો જનાજો નીકળતા શોકનો માહોલ...

અજમેરની હોટલમાં આગ લાગતા મોતને ભેટેલા અમરેલી-લાઠીના એક જ પરિવારના 3 સભ્યોનો આજે લાઠીમાં જનાજો નીકળ્યો હોટેલમાં આગની ઘટનામાં કુલ 4 લોકોના મોત નિપજ્યાં હતા

New Update
  • રાજસ્થાનના અજમેરની હોટલમાં આગ લાગવાનો મામલો

  • આ દુર્ઘટનામાં લાઠીના એક જ પરીવારના 3 સભ્યોના મોત

  • પતિ-પત્ની અને પુત્રના મૃતદેહ વતન લાઠી લાવવામાં આવ્યા

  • એક સાથે 3 જનાજા નિકળતા લાઠી શહેરમાં શોકનો માહોલ

  • એક જ પરીવારના 3 સભ્યોની દફનવિધિમાં માનવમેદની ઉમટી

રાજસ્થાનના અજમેરની હોટલમાં આગ લાગતા મોતને ભેટેલા અમરેલી-લાઠીના એક જ પરિવારના 3 સભ્યોનો આજે લાઠીમાં જનાજો નીકળ્યો હતો. ગત તા. 1 મેના રોજ આગની દુર્ઘટનામાં માતા-પિતા અને પુત્રનું મોત નિપજતા દફનવિધિ કરવામાં આવી હતી.

અમરેલી જિલ્લાના લાઠીમાં રહેતા અને ચશ્માની દુકાન ધરાવતા 30 વર્ષીય અલફાઝ હારૂનભાઈ નુરાની તેમની 26 વર્ષીય પત્ની શબનમ નુરાની અને 4 વર્ષના પુત્ર અરમાન નુરાની સાથે ગત તા. 27 એપ્રિલના રોજ રાજસ્થાનના અજમેર શરીફની યાત્રાએ ગયા હતા. આ પરિવાર દરગાહથી થોડે દુરઆવેલ હોટલ નાઝમાં રોકાયું હતું. અલફાઝભાઇનો પરિવાર તા. 1 મેના રોજ સવારે 10વાગ્યે હોટેલમાંથી ચેક આઉટકરી પરત લાઠી આવવાનીકળવાના હતા. જોકેઆ પરિવાર ચેકઆઉટ કરે તે પહેલાં જ સવારે આઠેકવાગ્યે 5 માળની હોટલનાએક રૂમમાં ધડાકા સાથેACનુંકોમ્પ્રેસર ફાટ્યું હતું.

જેના કારણેજોતજોતામાં ગ્રાઉન્ડ ફ્લોરથી5માં માળ સુધી બિલ્ડીંગઆગની ઝપેટમાં આવી ગયુંહતું. આ ઘટનામાં કુલ 4 વ્યક્તિના મોત થયા હતા. જેપૈકી 3 લાઠીના હતા. આજે વહેલી સવારે અલફાઝ નુરાની તેમના પત્ની શબનમ નુરાની અને પુત્ર અરમાન નુરાનીના મૃતદેહને વતન લાઠીમાં લાવતા શોકમય માહોલ સર્જાયો હતો. માતા-પિતા અને પુત્રનો એક સાથે જનાજો નીકળતા સમગ્ર લાઠી શહેરમાં શોકનો માહોલ છવાયો હતો.

Read the Next Article

ભરૂચ: ભારે વાહનો માટે બંધ આમોદ નજીક ઢાઢર નદી પરના બ્રિજનું લોડ ટેસ્ટિંગ કરાયુ, રિપોર્ટ આવ્યા બાદ લેવાશે નિર્ણય

પાદરા તાલુકાનાં ગંભીરાબ્રીજની દુઘટર્ના બાદ તંત્ર સફાળું જાગ્યુ હતું અને ગૂજરાતભરમાં આવેલાં જુના અને ખખડધજ બ્રીજની ચકાસણી કરવામાં આવી રહી છે

New Update
Dhadhar River Bridge
ભરૂચના આમોદ જંબુસરનો જોડતા ઢાઢર નદી પરના બ્રિજનું માર્ગ મકાન વિભાગ દ્વારા લોડ ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું.પાદરા તાલુકાનાં ગંભીરાબ્રીજની દુઘટર્ના બાદ તંત્ર સફાળું જાગ્યુ હતું અને ગૂજરાતભરમાં આવેલાં જુના અને ખખડધજ બ્રીજની ચકાસણી કરવામાં આવી રહી છે જેના ભાગરૂપે આ કામગીરી કરવામાં આવી હતી. આ અગાઉ ભરૂચ જિલ્લા કલેકટર દ્વારા ઢાઢર બ્રીજની ભયજનક સ્થિતિના પગલે  ભારદારી વાહનો માટે પ્રતિબંધનો હુકમ કરવામાં આવ્યો હતો.
અંદાજિત એક મહિનાથી ભારદારી વાહનો માટે બ્રિજને બંધ કરવામાં આવ્યો છે. માર્ગ અને મકાન વિભાગ દ્વારા એન.ડી. ટી. ટેસ્ટ અને બ્રિજના સ્લેબમાંથી કોર લેડલ ટેસ્ટ માટે બ્રિજના પિલ્લરમાં તેમજ કેપમાંથી મહાકાય ક્રેનની મદદથી કોર લેડલ સેમ્પલ લેવામાં આવ્યા હતા જેના પગલે બ્રિજના  સ્ટ્રક્ચરની મજબૂતી કેવી છે અને એના પરથી ભારદારી વાહનો પસાર થઈ શકશે કે કેમ તે અંગેનો રિપોર્ટ આવ્યા બાદ તંત્ર દ્વારા અગાઉના નિર્ણયો લેવાશે.