અમરેલી : અજમેરની હોટલમાં આગ લાગતાં પતિ-પત્ની-પુત્ર જીવતા ભૂંજાયા, વતન લાઠીમાં ત્રણેયનો જનાજો નીકળતા શોકનો માહોલ...

અજમેરની હોટલમાં આગ લાગતા મોતને ભેટેલા અમરેલી-લાઠીના એક જ પરિવારના 3 સભ્યોનો આજે લાઠીમાં જનાજો નીકળ્યો હોટેલમાં આગની ઘટનામાં કુલ 4 લોકોના મોત નિપજ્યાં હતા

New Update
  • રાજસ્થાનના અજમેરની હોટલમાં આગ લાગવાનો મામલો

  • આ દુર્ઘટનામાં લાઠીના એક જ પરીવારના 3 સભ્યોના મોત

  • પતિ-પત્ની અને પુત્રના મૃતદેહ વતન લાઠી લાવવામાં આવ્યા

  • એક સાથે 3 જનાજા નિકળતા લાઠી શહેરમાં શોકનો માહોલ

  • એક જ પરીવારના 3 સભ્યોની દફનવિધિમાં માનવમેદની ઉમટી 

Advertisment

રાજસ્થાનના અજમેરની હોટલમાં આગ લાગતા મોતને ભેટેલા અમરેલી-લાઠીના એક જ પરિવારના 3 સભ્યોનો આજે લાઠીમાં જનાજો નીકળ્યો હતો. ગત તા. 1 મેના રોજ આગની દુર્ઘટનામાં માતા-પિતા અને પુત્રનું મોત નિપજતા દફનવિધિ કરવામાં આવી હતી.

અમરેલી જિલ્લાના લાઠીમાં રહેતા અને ચશ્માની દુકાન ધરાવતા 30 વર્ષીય અલફાઝ હારૂનભાઈ નુરાની તેમની 26 વર્ષીય પત્ની શબનમ નુરાની અને 4 વર્ષના પુત્ર અરમાન નુરાની સાથે ગત તા. 27 એપ્રિલના રોજ રાજસ્થાનના અજમેર શરીફની યાત્રાએ ગયા હતા. આ પરિવાર દરગાહથી થોડે દુર આવેલ હોટલ નાઝમાં રોકાયું હતું. અલફાઝભાઇનો પરિવાર તા. 1 મેના રોજ સવારે 10 વાગ્યે હોટેલમાંથી ચેક આઉટ કરી પરત લાઠી આવવા નીકળવાના હતા. જોકેઆ પરિવાર ચેકઆઉટ કરે તે પહેલાં જ સવારે આઠેક વાગ્યે 5 માળની હોટલના એક રૂમમાં ધડાકા સાથે ACનું કોમ્પ્રેસર ફાટ્યું હતું.

જેના કારણે જોતજોતામાં ગ્રાઉન્ડ ફ્લોરથી 5માં માળ સુધી બિલ્ડીંગ આગની ઝપેટમાં આવી ગયું હતું. આ ઘટનામાં કુલ 4 વ્યક્તિના મોત થયા હતા. જે પૈકી 3 લાઠીના હતા. આજે વહેલી સવારે અલફાઝ નુરાની તેમના પત્ની શબનમ નુરાની અને પુત્ર અરમાન નુરાનીના મૃતદેહને વતન લાઠીમાં લાવતા શોકમય માહોલ સર્જાયો હતો. માતા-પિતા અને પુત્રનો એક સાથે જનાજો નીકળતા સમગ્ર લાઠી શહેરમાં શોકનો માહોલ છવાયો હતો.

Advertisment
Read the Next Article

હવામાન વિભાગની આગાહી: પાંચ દિવસ માછીમારોને દરિયો ન ખેડવા ચેતવણી

સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં મધ્યમ મેઘગર્જના અને ભારે વરસાદને લઈને ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. આ ઉપરાંત બાકીના જિલ્લાઓમાં યલો એલર્ટ આપવામાં આવ્યું

New Update
હવામાન વિભાગની આગાહી

હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી 7 દિવસ સુધી સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. 25થી 28 મે દરમિયાન સમગ્ર રાજ્યમાં વરસાદ અને મેઘગર્જનને લઈને યલો એલર્ટ આપવામાં આવ્યું છે, સાથે જ 40થી 60 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની સંભાવના વ્યક્ત કરી છે. આજે વહેલી સવારથી નવસારી, વલસાડ, તાપી, સુરત સહિતના જિલ્લાઓમાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો હતો સાથેજ દરિયામાં કરંટ હોવાથી મોજા ઊછળી રહ્યાં છે. તકેદારીના ભાગરૂપે જાફરાબાદના બંદરે એક નંબરનું સિગ્નલ લગાવી દેવામાં આવ્યું છે. 

Advertisment

આજે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં મધ્યમ મેઘગર્જના અને ભારે વરસાદને લઈને ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. આ ઉપરાંત બાકીના જિલ્લાઓમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે, જેમાં સુરત, વલસાડ, નવસારી, તાપી, નર્મદા, ભરૂચ, દમણ અને દાદરા અને નગર-હવેલીમાં ભારે વરસાદ સાથે ઓરેન્જ એલર્ટની આગાહી આપવામાં આવી છે. તો રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, ભાવનગર, દીવમાં ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. આ ઉપરાંત ઉત્તર-મધ્ય ગુજરાત અને કચ્છમાં છૂટાછવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે.

આજથી કેરળમાં વિધિવત્ ચોમાસું બેઠું છે. સામાન્ય રીતે 1 જૂને કેરળમાં ચોમાસું બેસતું હોય છે. વેલ માર્ક લો પ્રેશર આજે ડિપ્રેશનમાં પરિવર્તિત થયું છે. ડિપ્રેશન હાલ મહારાષ્ટ્ર રત્નાગિરિથી 40 કિમી દૂર સક્રિય છે. આગામી 5 દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. ગુજરાતમાં ચોમાસું સમાન્ય રીતે 15 જૂનની આસપાસ બેસે છે.

Advertisment