અમરેલી : અજમેરની હોટલમાં આગ લાગતાં પતિ-પત્ની-પુત્ર જીવતા ભૂંજાયા, વતન લાઠીમાં ત્રણેયનો જનાજો નીકળતા શોકનો માહોલ...

અજમેરની હોટલમાં આગ લાગતા મોતને ભેટેલા અમરેલી-લાઠીના એક જ પરિવારના 3 સભ્યોનો આજે લાઠીમાં જનાજો નીકળ્યો હોટેલમાં આગની ઘટનામાં કુલ 4 લોકોના મોત નિપજ્યાં હતા

New Update
  • રાજસ્થાનના અજમેરની હોટલમાં આગ લાગવાનો મામલો

  • આ દુર્ઘટનામાં લાઠીના એક જ પરીવારના 3 સભ્યોના મોત

  • પતિ-પત્ની અને પુત્રના મૃતદેહ વતન લાઠી લાવવામાં આવ્યા

  • એક સાથે 3 જનાજા નિકળતા લાઠી શહેરમાં શોકનો માહોલ

  • એક જ પરીવારના 3 સભ્યોની દફનવિધિમાં માનવમેદની ઉમટી 

રાજસ્થાનના અજમેરની હોટલમાં આગ લાગતા મોતને ભેટેલા અમરેલી-લાઠીના એક જ પરિવારના 3 સભ્યોનો આજે લાઠીમાં જનાજો નીકળ્યો હતો. ગત તા. 1 મેના રોજ આગની દુર્ઘટનામાં માતા-પિતા અને પુત્રનું મોત નિપજતા દફનવિધિ કરવામાં આવી હતી.

અમરેલી જિલ્લાના લાઠીમાં રહેતા અને ચશ્માની દુકાન ધરાવતા 30 વર્ષીય અલફાઝ હારૂનભાઈ નુરાની તેમની 26 વર્ષીય પત્ની શબનમ નુરાની અને 4 વર્ષના પુત્ર અરમાન નુરાની સાથે ગત તા. 27 એપ્રિલના રોજ રાજસ્થાનના અજમેર શરીફની યાત્રાએ ગયા હતા. આ પરિવાર દરગાહથી થોડે દુર આવેલ હોટલ નાઝમાં રોકાયું હતું. અલફાઝભાઇનો પરિવાર તા. 1 મેના રોજ સવારે 10 વાગ્યે હોટેલમાંથી ચેક આઉટ કરી પરત લાઠી આવવા નીકળવાના હતા. જોકેઆ પરિવાર ચેકઆઉટ કરે તે પહેલાં જ સવારે આઠેક વાગ્યે 5 માળની હોટલના એક રૂમમાં ધડાકા સાથે ACનું કોમ્પ્રેસર ફાટ્યું હતું.

જેના કારણે જોતજોતામાં ગ્રાઉન્ડ ફ્લોરથી 5માં માળ સુધી બિલ્ડીંગ આગની ઝપેટમાં આવી ગયું હતું. આ ઘટનામાં કુલ 4 વ્યક્તિના મોત થયા હતા. જે પૈકી 3 લાઠીના હતા. આજે વહેલી સવારે અલફાઝ નુરાની તેમના પત્ની શબનમ નુરાની અને પુત્ર અરમાન નુરાનીના મૃતદેહને વતન લાઠીમાં લાવતા શોકમય માહોલ સર્જાયો હતો. માતા-પિતા અને પુત્રનો એક સાથે જનાજો નીકળતા સમગ્ર લાઠી શહેરમાં શોકનો માહોલ છવાયો હતો.

Read the Next Article

હવામાન વિભાગની આગાહી, રાજ્યમાં આવતા સપ્તાહથી વરસાદી સિસ્ટમ થશે સક્રિય

ગુજરાતમાં સતત વરસાદ વરસી રહ્યો છે. અનેક જિલ્લાઓમાં આજે પણ વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.  રાજ્યમાં આવતા સપ્તાહથી વરસાદી

New Update
Heavy rains in Karnataka, Tamil Nadu, Gujarat, Maharashtra and Goa, Meteorological department issued orange alert

ગુજરાતમાં સતત વરસાદ વરસી રહ્યો છે. અનેક જિલ્લાઓમાં આજે પણ વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.  રાજ્યમાં આવતા સપ્તાહથી વરસાદી સિસ્ટમ સક્રિય થશે.  

હવામાન  વિભાગની આગાહી મુજબ નવસારી, વલસાડ, દાદરાનગર હવેલી અને ડાંગમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સિવાય અમરેલી, ભાવનગર અને ગીર સોમનામાં પણ વરસાદી માહોલ રહેશે. 

હવામાન વિભાગની આગાહી અનુસાર,  આજે 10 મી તારીખે અને 11મી અને 12મી તારીખે વેધર મેપ પ્રમાણે, અમરેલી, ભાવનગર, ડાંગ, નવસારી, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી આપવામાં આવી છે. 

જ્યારે 13મી તારીખથી ફરી વરસાદનું જોર વધતું દેખાય છે. 13મીએ અમરેલી, ભાવનગર, તાપી, ડાંગ, સુરત, નવસારી, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. 

જ્યારે 14મી તારીખે અમરેલી, ભાવનગર, નર્મદા, તાપી, ડાંગ, સુરત, નવસારી, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.