અમરેલી : અજમેરની હોટલમાં આગ લાગતાં પતિ-પત્ની-પુત્ર જીવતા ભૂંજાયા, વતન લાઠીમાં ત્રણેયનો જનાજો નીકળતા શોકનો માહોલ...

અજમેરની હોટલમાં આગ લાગતા મોતને ભેટેલા અમરેલી-લાઠીના એક જ પરિવારના 3 સભ્યોનો આજે લાઠીમાં જનાજો નીકળ્યો હોટેલમાં આગની ઘટનામાં કુલ 4 લોકોના મોત નિપજ્યાં હતા

New Update
  • રાજસ્થાનના અજમેરની હોટલમાં આગ લાગવાનો મામલો

  • આ દુર્ઘટનામાં લાઠીના એક જ પરીવારના 3 સભ્યોના મોત

  • પતિ-પત્ની અને પુત્રના મૃતદેહ વતન લાઠી લાવવામાં આવ્યા

  • એક સાથે 3 જનાજા નિકળતા લાઠી શહેરમાં શોકનો માહોલ

  • એક જ પરીવારના 3 સભ્યોની દફનવિધિમાં માનવમેદની ઉમટી 

રાજસ્થાનના અજમેરની હોટલમાં આગ લાગતા મોતને ભેટેલા અમરેલી-લાઠીના એક જ પરિવારના 3 સભ્યોનો આજે લાઠીમાં જનાજો નીકળ્યો હતો. ગત તા. 1 મેના રોજ આગની દુર્ઘટનામાં માતા-પિતા અને પુત્રનું મોત નિપજતા દફનવિધિ કરવામાં આવી હતી.

અમરેલી જિલ્લાના લાઠીમાં રહેતા અને ચશ્માની દુકાન ધરાવતા 30 વર્ષીય અલફાઝ હારૂનભાઈ નુરાની તેમની 26 વર્ષીય પત્ની શબનમ નુરાની અને 4 વર્ષના પુત્ર અરમાન નુરાની સાથે ગત તા. 27 એપ્રિલના રોજ રાજસ્થાનના અજમેર શરીફની યાત્રાએ ગયા હતા. આ પરિવાર દરગાહથી થોડે દુર આવેલ હોટલ નાઝમાં રોકાયું હતું. અલફાઝભાઇનો પરિવાર તા. 1 મેના રોજ સવારે 10 વાગ્યે હોટેલમાંથી ચેક આઉટ કરી પરત લાઠી આવવા નીકળવાના હતા. જોકેઆ પરિવાર ચેકઆઉટ કરે તે પહેલાં જ સવારે આઠેક વાગ્યે 5 માળની હોટલના એક રૂમમાં ધડાકા સાથે ACનું કોમ્પ્રેસર ફાટ્યું હતું.

જેના કારણે જોતજોતામાં ગ્રાઉન્ડ ફ્લોરથી 5માં માળ સુધી બિલ્ડીંગ આગની ઝપેટમાં આવી ગયું હતું. આ ઘટનામાં કુલ 4 વ્યક્તિના મોત થયા હતા. જે પૈકી 3 લાઠીના હતા. આજે વહેલી સવારે અલફાઝ નુરાની તેમના પત્ની શબનમ નુરાની અને પુત્ર અરમાન નુરાનીના મૃતદેહને વતન લાઠીમાં લાવતા શોકમય માહોલ સર્જાયો હતો. માતા-પિતા અને પુત્રનો એક સાથે જનાજો નીકળતા સમગ્ર લાઠી શહેરમાં શોકનો માહોલ છવાયો હતો.

Read the Next Article

ભરૂચ: ગ્રામપંચાયતોની ચૂંટણીનો ધમધમાટ, ચૂંટણી નિરીક્ષક એન.એન.માધુની અધ્યક્ષતામાં કલેકટર કચેરીમાં બેઠક યોજાય

ચૂંટણી નિરીક્ષક એન.એન.માધુના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરી ભરૂચ ખાતે મિંટીંગ યોજાઈ હતી.ચૂંટણીની આદર્શ આચાર સંહિતાનું ચુસ્તપણે પાલન કરવાની અપીલ કરી

New Update
ચૂંટણી કામગીરી
ભરૂચ જિલ્લામાં ગ્રામ પંચાયતોની સામાન્ય/ મધ્યમસત્ર પેટા ચૂંટણી કામે ચૂંટણીલક્ષી જુદી જુદી કામગીરી માટે નિમણૂંક થયેલા જિલ્લા કક્ષાના નોડલ અધિકારીઓ સાથે ચૂંટણી નિરીક્ષક એન.એન.માધુના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરી ભરૂચ ખાતે મિંટીંગ યોજાઈ હતી.ચૂંટણીની આદર્શ આચાર સંહિતાનું ચુસ્તપણે પાલન કરવાની અપીલ કરી હતી. ચૂંટણી સંદર્ભે ગ્રામ્ય વિસ્તારોની સ્થાનિક પરિસ્થિતિનો પૂરતો તાગ મેળવીને કાર્ય આયોજન હાથ ધરવાની પણ જિલ્લા ચૂંટણી અધિકારીએ સૂચના આપી હતી.
આ બેઠક દરમિયાન અધિક જિલ્લા ચૂંટણી અધિકારી અને નિવાસી અધિક કલેક્ટર  એન.આર.ધાધલે બેઠકનું સંચાલન કરતાં અગત્યના મુદાઓ જેવા કે, કાયદો અને વ્યવસ્થા તથા પોલીસ બંદોબસ્ત, મેન પાવર, તાલીમ, વાહન વ્યવસ્થા, RO અને ARO ની નિયુક્તિ, મતપત્રકો અને પ્રતિકોની ફાળવણી, મતપત્રો છપામણી કામગીરી તેમજ છાપકામ બાદ રદ/ ખરાબ થયેલા મતપત્રો નાશ કરવા અંગેની કામગીરી, પોલીંગ સ્ટાફ, મતગણતરી સ્ટાફને તાલીમ,મતદાન મથકો પર પ્રાથમિક સુવિધા, સ્ટ્રોંગરૂમ તથા કાઉન્ટીંગ હોલ, ચૂંટણીખર્ચના હિસાબોની ચકાસણી, વાહન ફાળવણી, ચૂંટણીના સ્ટાફને ટપાલ મતપત્રો આપવા અને આદર્શ આચાર સંહિતાના જેવા મુદ્દે વિસ્તૃત ચર્ચા હાથ ધરી હતી.