પ્રજાસત્તાક પર્વ પર દિલ્હીના કર્તવ્ય પથ પર દેખાશે જૂનાગઢની ઝાંખી, મેર સમાજની બહેનો રજૂ કરશે રાસ

જૂનાગઢની મેર સમાજની બહેનો મેરનો ભાતીગળ રાસ રજૂ કરશે જૂનાગઢની મેર સમાજની 16 બહેનો આગામી 26 જાન્યુઆરીએ મેર સમાજના ભાતીગળ રાસની પ્રસ્તુતિ કરી સૌને મંત્રમુગ્ધ કરશે.

New Update
  • પ્રજાસત્તાક પર્વની કરવામાં આવશે ઉજવણી

  • કર્તવ્ય પથ પર દેખાશે જૂનાગઢની ઝાંખી

  • 16 બહેનો રજૂ કરશે રાસ

  • બહેનોએ કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયા સાથે કરી મુલાકાત

  • બહેનો એક મહિનાથી કરી રહી છે પ્રેક્ટિસ

આગામી 26 જાન્યુઆરી પ્રજાસત્તાક પર્વના દિવસે દિલ્હીના કર્તવ્ય પથ પર જૂનાગઢની મેર સમાજની બહેનો મેરનો ભાતીગળ રાસ રજૂ કરશે જૂનાગઢની મેર સમાજની 16 બહેનો આગામી 26 જાન્યુઆરીએ મેર સમાજના ભાતીગળ રાસની પ્રસ્તુતિ કરી સૌને મંત્રમુગ્ધ કરશે. ત્યારે આ કર્તવ્ય પથ પર અલગ અલગ સાંસ્કૃતિક કાર્યક્રમો અને ફ્લોટ્સમાં ભાગ લેવા 5000 થી વધુ લોકો કર્તવ્ય પથ પર છેલ્લા એક મહિનાથી પ્રેક્ટિસ કરી રહ્યા છે.
ત્યારે આ મહેર સમાજની 16 બહેનો કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયા સાથે પણ મુલાકાત કરી હતી. આગામી 16 તારીખે દિલ્હી કર્તવ્ય પથ પર મેર સમાજના ભાતીગળ રાસની પ્રસ્તુતિ કરી દિલ્હી ખાતે જુનાગઢનું ગૌરવ વધારશે. જુનાગઢ મેર સમાજની બહેનો છેલ્લા એક મહિનાથી દિલ્હી ખાતે કર્તવ્ય પથ પર યોજાતી પરેડમાં સાંસ્કૃતિક કાર્યક્રમ માટે મેરાણી રાસની પ્રેક્ટિસ કરી રહી છે.
Read the Next Article

હાર્દિક પટેલે મુખ્યમંત્રીને કહ્યું કામ નહી થાય તો ઉપવાસ આંદોલન પર બેસી જઇશ

ગુજરાતમાં હાલમાં એટલી ભયાનક અરાજકતાની સ્થિતિ છે કે, ધારાસભ્ય હોય કે સાંસદ હોય કોઇ કોઇનું માનતું નથી. ગુજરાતમાં બધુ જ રામભરોસે ચાલી રહ્યું છે. કોઇ કોઇને કંઇ કહેતું નથી કોઇ કોઇનું સાંભળતું નથી

New Update
images

ગુજરાતમાં હાલમાં એટલી ભયાનક અરાજકતાની સ્થિતિ છે કે, ધારાસભ્ય હોય કે સાંસદ હોય કોઇ કોઇનું માનતું નથી. ગુજરાતમાં બધુ જ રામભરોસે ચાલી રહ્યું છે. કોઇ કોઇને કંઇ કહેતું નથી કોઇ કોઇનું સાંભળતું નથી.

19

બસ બધુ એની રીતે ચાલ્યા કરે છે. નાગરિકો જે ભોગવતા હોય તે ભોગવ્યા કરે છે. જે લોકો મોજ કરે છે તે મોજ કર્યા કરે છે અને ભગવાન ભરોસે અઠેગઠે બધુ ચાલ્યા જ કરે છે. કોઇ કોઇને કાંઇ કહેતું નથી કોઇ કોઇનું કાંઇ પણ માનતું નથી. આવી સ્થિતિમાં કોઇને સમસ્યા થાય તો પોતાના સંતોષ ખાતર અરજી કરે છે. જો કે કંઇ પણ થતું નથી

વિરમગામ ધારાસભ્ય હાર્દિક પટેલનો મુખ્યમંત્રીને પત્ર લખીને પોતાનો બળાપો ઠાલવ્યો હતો. ચિંતા આક્રોશ અને વિનંતી સાથે મુખ્યમંત્રીને પત્ર લખ્યો હતો. શહેરમાં ઉભરાતી ગટરો, ગંદા પાણી અંગે મુખ્યમંત્રીને પત્ર લખ્યો હતો. વર્ષોથી ઉભરાતી ગટના કારણે વિરમગામ શરમ અનુભવી રહ્યું હોવાનો પણ ઉલ્લેખ કર્યો છે. આ ઉપરાંત મુખ્યમંત્રીને ધમકી આપતા લખ્યું કે, જો સમસ્યાનો ઉકેલ નહી આવે તો જનતાની સમસ્યા માટે થઇને તેણે સરકારની વિરુદ્ધ જ ઉપવાસનું આંદોલન કરવું પડશે.

હાર્દિક પટેલે કહ્યું કે, જો સમસ્યાનો ઉકેલ નહી આવે તો વિરમગામના લોકો સાથે મારે મજબૂતાઈથી ઉભા રહેવું પડશે. શહેરમાં કોન્ટ્રાક્ટરો દ્વારા કામ કરવામાં નથી આવી રહ્યા. અધિકારીઓ દાદાગીરી કરી રહ્યા છે. જો કામ ન થાય તો જરૂર પડે જનતા સાથે ઉપવાસ આંદોલનમાં પણ જોડાવુ પડશે તેવી ચિમકી ઉચ્ચારી હતી.