પ્રજાસત્તાક પર્વ પર દિલ્હીના કર્તવ્ય પથ પર દેખાશે જૂનાગઢની ઝાંખી, મેર સમાજની બહેનો રજૂ કરશે રાસ

જૂનાગઢની મેર સમાજની બહેનો મેરનો ભાતીગળ રાસ રજૂ કરશે જૂનાગઢની મેર સમાજની 16 બહેનો આગામી 26 જાન્યુઆરીએ મેર સમાજના ભાતીગળ રાસની પ્રસ્તુતિ કરી સૌને મંત્રમુગ્ધ કરશે.

New Update
  • પ્રજાસત્તાક પર્વની કરવામાં આવશે ઉજવણી

  • કર્તવ્ય પથ પર દેખાશે જૂનાગઢની ઝાંખી

  • 16 બહેનો રજૂ કરશે રાસ

  • બહેનોએ કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયા સાથે કરી મુલાકાત

  • બહેનો એક મહિનાથી કરી રહી છે પ્રેક્ટિસ

Advertisment W3.CSS
આગામી 26 જાન્યુઆરી પ્રજાસત્તાક પર્વના દિવસે દિલ્હીના કર્તવ્ય પથ પર જૂનાગઢની મેર સમાજની બહેનો મેરનો ભાતીગળ રાસ રજૂ કરશે જૂનાગઢની મેર સમાજની 16 બહેનો આગામી 26 જાન્યુઆરીએ મેર સમાજના ભાતીગળ રાસની પ્રસ્તુતિ કરી સૌને મંત્રમુગ્ધ કરશે. ત્યારે આ કર્તવ્ય પથ પર અલગ અલગ સાંસ્કૃતિક કાર્યક્રમો અને ફ્લોટ્સમાં ભાગ લેવા 5000 થી વધુ લોકો કર્તવ્ય પથ પર છેલ્લા એક મહિનાથી પ્રેક્ટિસ કરી રહ્યા છે.
ત્યારે આ મહેર સમાજની 16 બહેનો કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયા સાથે પણ મુલાકાત કરી હતી. આગામી 16 તારીખે દિલ્હી કર્તવ્ય પથ પર મેર સમાજના ભાતીગળ રાસની પ્રસ્તુતિ કરી દિલ્હી ખાતે જુનાગઢનું ગૌરવ વધારશે. જુનાગઢ મેર સમાજની બહેનો છેલ્લા એક મહિનાથી દિલ્હી ખાતે કર્તવ્ય પથ પર યોજાતી પરેડમાં સાંસ્કૃતિક કાર્યક્રમ માટે મેરાણી રાસની પ્રેક્ટિસ કરી રહી છે.
Read the Next Article

ભરૂચ: જંબુસરમાં રખડતા ઢોરે 3 વ્યક્તિઓને લીધા અડફેટે, એક ગાયને પાંજરે પુરાય

ભરૂચના જંબુસરમાં રખડતા ઢોરનો આતંક જોવા મળી રહ્યો છે. જંબુસરની અનેક સોસાયટીઓમાં બે થી ત્રણ વ્યક્તિઓને અડફેટે લેનાર ગાયને પાંજરે પુરવામાં આવી હતી.

New Update
Screenshot_2025-06-07-07-57-58-12_6012fa4d4ddec268fc5c7112cbb265e7

ભરૂચના જંબુસરમાં રખડતા ઢોરનો આતંક જોવા મળી રહ્યો છે. જંબુસરની અનેક સોસાયટીઓમાં બે થી ત્રણ વ્યક્તિઓને અડફેટે લેનાર ગાયને પાંજરે પુરવામાં આવી હતી.

Advertisment W3.CSS

આતીયાપાર્ક સોસાયટીમાં એક વ્યક્તિને રખડતા ઢોરે ભેટીએ ચઢાવ્યો હતો જેમાં તે ઇજાગ્રસ્ત થયો હતો. 

આ તરફ અન્ય એક મહિલા સહિત બે લોકોને પણ રખડતા ઢોરે શિંગડે ભેરવ્યા હતા ત્યારે નગર સેવા સદન  દ્વારા કાર્યવાહી કરી ગાયને પાંજરે પૂરવામાં આવી છે. રખડતા ઢોર પકડવાની ઝુંબેશ સમયાંતરે કરવામાં આવે તેવી સ્થાનિકો માંગ કરી રહ્યા છે.