સુરેન્દ્રનગર : ચોટીલામાં 100 અશ્વો સવારી સાથે વરરાજાની અનોખી જાન નીકળી,લોકોમાં સર્જાયું કુતુહલ

મહાવીરએ પોતાની જાન બધાથી જુદી જ રીતે જોડવાનો નિર્ણય કર્યો હતો, અને રજવાડી ઠાઠ સાથે ઘોડા પર સવાર થઈને જાન જોડવાનું નક્કી થયું હતું.જે બાદ એક 100 જેટલા ઘોડે સવારો જાનમાં જોડાયા હતા.

New Update
  • વરરાજાની અનોખી જાન બની આકર્ષણનું કેન્દ્ર

  • 100 અશ્વો સવારી સાથેની નીકળી જાન

  • લોકોમાં લગ્નની જાન બની આકર્ષણનું કેન્દ્ર

  • 100 અશ્વો પર નીકળેલી જાનથી સર્જાયું કુતુહલ

  • જાન જોવા માટે લોક ટોળા થયા ભેગા 

સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા ખાતે એક અનોખી જાન લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બની હતી,વરરાજા સહિત જાનૈયાઓ 100 અશ્વો પર સવાર થઈને જાનમાં જોડાયા હતા.જે જાને લોકોમાં કુતૂહલ સર્જી દીધું હતું.

સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલાના ખેરડી ગામના ખાચર દરબાર દાદબાપુ ઘુસાબાપુ પરિવારના મંગળુ દાદભાઈના દીકરા મહાવીર ખાચરના લગ્ન પીપળીયા ધાધલ ગામના વતની અને હાલ ચોટીલામાં રહેતા અનકુ દડુભાઈની દીકરી સાથે નક્કી થયા હતા.મહાવીરએ પોતાની જાન બધાથી જુદી જ રીતે જોડવાનો નિર્ણય કર્યો હતોઅને રજવાડી ઠાઠ સાથે ઘોડા પર સવાર થઈને જાન જોડવાનું નક્કી થયું હતું.જે બાદ એક 100 જેટલા ઘોડે સવારો જાનમાં જોડાયા હતા.

ખેરડીથી નીકળેલી જાન ચોટીલા પહોંચતા આકર્ષણનું કેન્દ્ર બની હતી.રોડ પર એકસાથે 100 જેટલા અશ્વો પર પસાર થતા જાનૈયાઓને જોઈને રોડ પરથી આવતા જતા લોકો પણ દંગ રહી ગયા હતા.રજવાડી પોશાક સાથે ઘોડી પર સવાર વરરાજા મહાવીર ખાચર પર જાનૈયાઓ રૂપિયાનો વરસાદ કરતા જતા હતા. મહાવીરની જાન જોવા માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા.

Read the Next Article

ભરૂચ: આમોદના રોંધ ગામ નજીક કાર અને ટ્રક વચ્ચે અકસ્માત, કારમાં સવાર 6 લોકોને ઇજા

ભરૂચના આમોદ તાલુકામાં ગમખ્વાર માર્ગ અકસ્માતમાં છ વ્યક્તિઓ ઇજાગ્રસ્ત થયા હતા. રોધ ગામના પાટિયા પાસે એક ઇકો ગાડી અને ટ્રક વચ્ચે જોરદાર ટક્કર થતા આ દુર્ઘટના સર્જાઈ હતી,

New Update
MixCollage-27-Jul-2025-09-14-PM-1191

ભરૂચના આમોદ તાલુકામાં ગમખ્વાર માર્ગ અકસ્માતમાં છ વ્યક્તિઓ ઇજાગ્રસ્ત થયા હતા. રોધ ગામના પાટિયા પાસે એક ઇકો ગાડી અને ટ્રક વચ્ચે જોરદાર ટક્કર થતા આ દુર્ઘટના સર્જાઈ હતી, જેના કારણે થોડા સમય માટે ટ્રાફિક પણ ખોરવાઈ ગયો હતો.

સાંજના સમયે બનેલી આ ઘટનામાં જંબુસર તાલુકાના ઉચ્છદ ગામના રહેવાસીઓ ઇકો ગાડીમાં સવાર હતા તેઓ દેથાણ ગામેથી પરત ફરી રહ્યા હતા ત્યારે રોધ ગામના પાટિયા પાસે તેમની ગાડી ટ્રક સાથે ધડાકાભેર અથડાઈ હતી.આ અકસ્માતમાં ઇકો ગાડીને ભારે નુકસાન થયું હતું અને તેમાં સવાર તમામ છ લોકોને ગંભીર ઇજાઓ પહોંચી હતી. અકસ્માત થતા જ આસપાસના લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને મદદ માટે ૧૦૮ એમ્બ્યુલન્સને જાણ કરી હતી. ૧૦૮ની ટીમ તાત્કાલિક પહોંચી ઇજાગ્રસ્તોને આમોદ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યા હતા.જોકે ઇજાની ગંભીરતા જોતા, વધુ સારવાર અર્થે તેમને જંબુસરની હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યા હતા.