ગીર સોમનાથ: સુત્રાપાડાના લોઢવા ગામે શંકાસ્પદ સરકારી અનાજનો જંગી જથ્થો ઝડપાયો

ગીર સોમનાથ જિલ્લામાં ગરીબોના સરકારી અનાજને બરોબર સગેવગે કરવાનું ચાલતું કૌભાંડનો પર્દાફાશ થયો છે.

New Update

ગીર સોમનાથ જિલ્લામાં ગરીબોના સરકારી અનાજને બરોબર સગેવગે કરવાનું ચાલતું કૌભાંડનો પર્દાફાશ થયો છે.સુત્રાપાડાના લોઢવા ગામેથી શંકાસ્પદ સરકારી અનાજનો જંગી જથ્થોઝડપાતા અનાજ માફિયાઓમા ફફડાટ વ્યાપ્યો છે.

ગીર સોમનાથ જિલ્લામાં ગરીબોના સરકારી અનાજને બરોબર સગેવગે કરવાનું ચાલતું કૌભાંડનોપ પર્દાફાશ થયો છે.સુત્રાપાડાના લોઢવા ગામેથી શંકાસ્પદ સરકારી અનાજનો જંગી જથ્થો ઝડપાયોહોવાનું સામે આવ્યું છે. આ બાબતેજિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાને બાતમી મળતાદરોડા પાડયા હતા.પુરવઠા અધિકારીસ્થાનિક મામલતદાર સહિતની ટીમગોડાઉન પરત્રાટકીહતી. માહિતી અનુસારલોઢવા ગામે મહેશ ભોળા નામના વ્યક્તિના ગોડાઉનમાંથીઆ અનાજનો જથ્થો ઝડપાયોછે.

અનાજનો જથ્થો કન્ટેનરમાં ભરાતો હતો તે સમયે જ ટીમ ત્રાટકીહતી અને દરોડા પાડયા હતા.સ્થળ પર થી375 કટ્ટા ઘઉં, 07 કટ્ટા બાજરો, 24 કટ્ટા ઘઉંની કનકીનો શંકાસ્પદ જથ્થો મળી આવ્યોહતો.તંત્રએઆ અનાજના પુરવઠા અનેકન્ટેનર સહિત15.50 લાખનો મુદ્દામાલ સીઝ કર્યોછે. જોકેજિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાની કાર્યવાહીનાપગલે અનાજ માફિયાઓમાં દોડધામમચી જવા પામી છે.

Read the Next Article

ભાવનગર :  અયોધ્યા કેન્ટ સ્ટેશન સુધીની સાપ્તાહિક ટ્રેનનો કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવના હસ્તે કરાયો પ્રારંભ

ભાવનગર રેલવે સ્ટેશન ખાતે આજે સવારે કેન્દ્રીય રેલ મંત્રી સહિત ત્રણ કેન્દ્રીય મંત્રીઓની ઉપસ્થિતિમાં ભાવનગર- અયોધ્યા ટ્રેનનો શુભારંભ કરવામાં આવ્યો

New Update
  • સૌરાષ્ટ્રવાસીઓને નવી એક ટ્રેનની સુવિધા મળી 

  • અયોધ્યા જવા માટે ટ્રેન સુવિધાનો પ્રારંભ

  • રેલવે મંત્રીના હસ્તે કરાયો ટ્રેન સુવિધાનો પ્રારંભ

  • રેલવે અને પોર્ટ કન્ટેનર ટર્મિનલ બનાવવાની જાહેરાત

  • વ્યાપાર,વાણીજય,પ્રવાસનને વેગ મળવાની આશા

ભાવનગરથી અયોધ્યા કેન્ટ સ્ટેશન સુધીની સાપ્તાહિક ટ્રેનનો આજે કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવના હસ્તે પ્રારંભ કરાયો હતો.11 ઓગસ્ટથી આ ટ્રેન ભાવનગર અયોધ્યા વચ્ચે નિયમિત દોડશે.

સૌરાષ્ટ્રવાસીઓને અયોધ્યા જવા માટે નવી એક ટ્રેનની સુવિધા મળી છે.ભાવનગર આવેલા કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ અને કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયા દ્વારા ભાવનગરમાં બે નવા રેલવે અને પોર્ટ કન્ટેનર ટર્મિનલ બનાવવાની જાહેરાત કરવામાં આવી છે. આ ઉપરાંત પોરબંદર-રાજકોટ વાયા વાંસજાળિયા અને જેતલસર થઈને બે નવી ટ્રેન શરૂ કરવાની મંજૂરી આપવામાં આવશે. આ પૈકી એક ટ્રેન દરરોજ અને બીજી ટ્રેન અઠવાડિયામાં પાંચ દિવસ ચાલશે. આ ટ્રેન શરૂ થતા રાજકોટજૂનાગઢ અને પોરબંદર જિલ્લાના લોકોને લાભ થશે. ભાવનગરમાં યોજાયેલા કાર્યક્રમમાં સૌરાષ્ટ્રના અન્ય રેલવેના વિકાસ કામોની પણ જાહેરાત કરવામાં આવી છે.

ભાવનગર રેલવે સ્ટેશન ખાતે આજે સવારે કેન્દ્રીય રેલ મંત્રી સહિત ત્રણ કેન્દ્રીય મંત્રીઓની ઉપસ્થિતિમાં ભાવનગર- અયોધ્યા ટ્રેનનો શુભારંભ થયો હતો. ભાવનગરથી અયોધ્યા કેન્ટ વચ્ચેની સાપ્તાહિક ટ્રેનને આજે રવિવારના રોજ ભાવનગર ટર્મિનસ ખાતેથી સવારે 11 કલાકે કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવએ લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવ્યું હતું. આગામી 11 ઓગસ્ટથી આ ટ્રેન નિયમિત ભાવનગર-અયોધ્યા કેન્ટ વચ્ચે સાપ્તાહિક દોડશે.

આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી ડો.મનસુખ મંડાવીયાએ જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનાં વિકસીત ભારતના સ્વપ્નને પુરું કરવા તથા ભારતને વર્ષ 2030 સુધીમાં વિશ્વની 3જી મોટી ઈકોનોમી બનાવવાનાં લક્ષને પુરુ કરવા આર્થિક વિકાસની તકો ઉપલબ્ધ કરવી જરૂરી છે.આર્થિક ગતિવિધીઓ સુધારવા ઈન્ફ્રાસ્ટ્રકચર અને કનેકટીવીટી ખુબ જરૂરી છે. રાજકોટપોરબંદર અને જુનાગઢ જિલ્લામાં ઉભી થનાર આ સુવિધાથી આ વિસ્તારનાં લોકોનુ જીવન આસાન થશે સાથે જ વ્યાપારવાણીજય અને પ્રવાસનને પણ ખુબ મોટી ગતી મળશે.લોકો  માટે આગમન સુગમ અને સુવિધાયુક્ત બનશે તથા વિકસીત ભારતની સાથે જ વિકસીત રાજકોટવિકસીત પોરબંદર અને વિકસીત જુનાગઢનું સ્વપ્ન સાકાર થશે અને સંતુલિત વિકાસ થશે.

સૌરાષ્ટ્રવાસીઓને નવી ટ્રેન અને વિકાસલક્ષી આયામોની ભેટ મળતા આંદોલનકારી રાકેશ લાધલાનીએ ખુશી વ્યક્ત કરીને કેન્દ્ર સરકારનો આભાર માન્યો હતો.અને વિદ્યાર્થી આગેવાન તરીકે ટ્રેન સુવિધા માટે કરેલા આંદોલન અને સંઘર્ષનું વર્ષો લોકોની સુખાકારી માટે સુખદ સફળતા પૂર્વકનું પરિણામ મળ્યું છે.