વલસાડ : પારડી નજીક ઇથોઇલ ભરેલા ટેન્કરમાં લીકેજ સર્જાતા વાહનચાલકોમાં અફરાતફરી મચી,સદનસીબે મોટી દુર્ઘટના ટળી

ઇથોઇલ ભરેલા ટેન્કરમાં અચાનક લીકેજ થયું હતું.જેના કારણે વાહનચાલકોમાં અફરાતફરી મચી ગઈ હતી.જોકે ફાયર બ્રિગેડે ગણતરીના સમયમાં પરિસ્થિતિ પર કાબુ મેળવી લેતા સૌએ રાહતનો શ્વાસ લીધો

New Update
  • પારડી નજીક હાઇવે પર મોટી દુર્ઘટના ટળી

  • મોડી રાતે નેશનલ હાઇવે 48 પર બની હતી ઘટના

  • પોરબંદર જતા ઇથોઇલ ભરેલા ટેન્કરમાં સર્જાયું લીકેજ

  • વાહનચાલકોની સતર્કતાથી મોટી દુર્ઘટના ટળી

  • પોલીસ અને ફાયર બ્રિગેડે પરિસ્થિતિ પર મેળવ્યો કાબુ 

વલસાડ હાઇવે પર સદનસીબે એક મોટી દુર્ઘટના ટળી હતી. દાદરા નગર હવેલીના સેલવાસથી પોરબંદર તરફ જતા ઇથોઇલ ભરેલા ટેન્કરમાં અચાનક લીકેજ થયું હતું.જેના કારણે વાહનચાલકોમાં અફરાતફરી મચી ગઈ હતી.જોકે ફાયર બ્રિગેડે ગણતરીના સમયમાં પરિસ્થિતિ પર કાબુ મેળવી લેતા સૌએ રાહતનો શ્વાસ લીધો હતો.

વલસાડના પારડી પાસે નેશનલ હાઇવે પર દાદરા નગર હવેલીના સેલવાસથી પોરબંદર તરફ જતા ઇથોઇલ ભરેલા ટેન્કરમાં અચાનક લીકેજ થયું હતું.જેના કારણે વાહનચાલકોમાં અફરાતફરી મચી ગઈ હતી.પારડી નજીક હાઇવે પરથી પસાર થતા વાહનચાલકોએ ટેન્કરમાંથી રાસાયણિક પ્રવાહી વહેતું જોયું હતું.

વાહનચાલકોએ તરત જ ટેન્કર ચાલકને સાવધાન કર્યો હતો. ટેન્કરને નજીકની સુરક્ષિત જગ્યાએ ઉભું રાખવામાં આવ્યું હતું અને પારડી ફાયર બ્રિગેડ અને પોલીસને તાત્કાલિક જાણ કરવામાં આવી હતી. ટેન્કર ચાલકે સમજદારીપૂર્વક વાહનને પારડીના ચંદ્રપુર બ્રિજ નીચે લઈ જઈને નિયંત્રણમાં લીધું હતું.

સ્થળ પર પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમ પહોંચી ગઈ હતી. આગ લાગવાની સ્થિતિને ધ્યાનમાં રાખીને ફાયર વિભાગને એલર્ટ કરી દેવાયું હતું. બાદમાં અન્ય ટેન્કર મંગાવીને ઇથોઇલને ટ્રાન્સફર કરવાની કામગીરી શરૂ કરાઈ હતી. પારડી પોલીસ ટેન્કરમાં લીકેજ થવાના કારણોની તપાસ કરી રહી છે.વાહનચાલકોની સતર્કતા અને તંત્રની ઝડપી કાર્યવાહીને કારણે મોટી દુર્ઘટના ટાળી શકાય હતી.

Latest Stories