વલસાડ : કાંજણ રણછોડમાં સ્મશાન જવાના રસ્તે કીચડનું સામ્રાજ્ય સર્જાતા,અંતિમ સંસ્કાર માટે પણ હાલાકી

વલસાડ તાલુકાના કાંજણ રણછોડ ગામના લોકો માટે ખરાબ અને કાદવ કીચડ યુક્ત રસ્તાના કારણે અંતિમ સંસ્કાર માટે સ્મશાનમાં જવું પણ મુશ્કેલરૂપ બની ગયું છે.

New Update
  • અંતિમ સંસ્કાર માટે પણ વેઠવાની હાલાકી

  • કાંજણ રણછોડ ગામના લોકોની લાચારી

  • પગદંડી માર્ગ કાદવ કીચડથી ખદબદી રહ્યો છે

  • અંતિમ સંસ્કાર માટે સ્મશાનમાં જવા માટે પણ હાલાકી

  • રસ્તા માટે તંત્રમાં રજૂઆત બાદ પણ પરિણામ શૂન્ય   

વલસાડ તાલુકાના કાંજણ રણછોડ ગામના વણજાર ફળિયામાં રહેતા 83 વર્ષીય જોગીભાઈ પટેલનું ગતરોજ મૃત્યુ થયું હતું. તેમના મૃતદેહને સ્મશાન સુધી લઈ જવા માટે ડાધુઓએ કીચડમાંથી પસાર થવું પડ્યું હતું.

વલસાડ તાલુકાના કાંજણ રણછોડ ગામના લોકો માટે ખરાબ અને કાદવ કીચડ યુક્ત રસ્તાના કારણે અંતિમ સંસ્કાર માટે સ્મશાનમાં જવું પણ મુશ્કેલરૂપ બની ગયું છે. વણજાર ફળિયામાં રહેતા 83 વર્ષીય જોગીભાઈ પટેલનું ગતરોજ મૃત્યુ થયું હતું. તેમના મૃતદેહને સ્મશાન સુધી લઈ જવા માટે ડાધુઓએ કીચડમાંથી પસાર થવું પડ્યું હતું.

ગામની બાજુમાંથી પસાર થતી ઔરંગા નદી પર માર્ગ મકાન વિભાગે નવો બ્રિજ બનાવ્યો છે. આ બ્રિજ કાંજણ રણછોડથી ઠક્કર વાડા ગામને જોડે છે. પરંતુ વણજાર ફળિયામાંથી સ્મશાન જવાનો રસ્તો ન હોવાથી લોકોએ કીચડમાંથી પસાર થવું પડે છે.

સ્થાનિક લોકોએ માત્ર 300 મીટરના રસ્તા માટે માર્ગ અને મકાન વિભાગને વારંવાર રજૂઆતો કરી છે. પરંતુ વિભાગ દ્વારા આ રજૂઆતોની અવગણના કરવામાં આવી રહી છે. આ કારણે સ્થાનિક લોકોને ભારે હાલાકી ભોગવવી પડે છે.

કીચડમાંથી મૃતદેહ લઈ જતા દ્રશ્યો સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે. આ દ્રશ્યોએ વિકાસના અભાવને ઉજાગર કર્યો છે. સ્થાનિક લોકોએ માર્ગ અને મકાન વિભાગ સામે નારાજગી વ્યક્ત કરી છે. તંત્ર વહેલી તકે વણજાર ફળિયા પાસેથી પસાર થતો રસ્તો બનાવે અને લોકોને આ લાચારીમાંથી મુક્તિ અપાવે તેવી માંગ કરી રહ્યા છે.

Latest Stories