Connect Gujarat
ગુજરાત

રાજ્યમાં આજે 93 નવા પોઝિટિવ કેસ નોંધાયા, 326 લોકોએ કોરોનાને આપી મ્હાત

રાજ્યમાં આજે 93 નવા પોઝિટિવ કેસ નોંધાયા, 326 લોકોએ કોરોનાને આપી મ્હાત
X

રાજ્યમાં આજે કોરોનાના 93 નવા પોઝિટિવ કેસ નોંધાયા છે, જ્યારે 2 વ્યક્તિનાં મોત થયા છે. રાજ્યમાં આજે 326 લોકોએ કોરોનાને મ્હાત આપી હતી. હાલ રાજ્યમાં એક્ટિવ કેસની સંખ્યા 3230 છે. જે પૈકી 11 દર્દી વેન્ટીલેટર પર છે. રાજ્યમાં એક દિવસમાં 326 દર્દીઓ સ્વસ્થ થયા હતા. રાજ્યમાં અત્યાર સુધીમાં આરોગ્ય વિભાગના સઘન પ્રયાસોના લીધે 8,10,147 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે.

અમદાવાદ કોર્પોરેશનમાં 20 કેસ, વડોદરા કોર્પોરેશનમાં 8 કેસ, સુરત કોર્પોરેશનમાં 18 કેસ, રાજકોટ કોર્પોરેશનમાં 7 કેસ, સુરતમાં 4 અને વડોદરામાં 7 કેસ, નવસારીમાં 3 અને બનાસકાંઠામાં 3 કેસ, આણંદમાં 3, ગાંધીનગર કોર્પોરેશનમાં 1 કેસ, ગીર સોમનાથમાં 1 કેસ, જામનગર કોર્પોરેશનમાં 2 કેસ, જુનાગઢમાં 3 તથા, સુરેન્દ્રનગરમાં 1 કેસ, અમરેલીમા 4 કેસ નોંધાયા છે. જામનગરમાં બે કેસ, ભરૂચમાં ત્રણ નોંધાયા હતા. તે સિવાય દેવભૂમિ દ્ધારકા, કચ્છ, રાજકોટ, સુરેન્દ્રનગરમાં એક-એક કેસ નોંધાયા હતા. તે સિવાય 21 જિલ્લાઓમાં કોરોનાનો એક પણ કેસ નોંધાયો નહોતો. તે સિવાય અમદાવાદ કોર્પોરેશન, અને તાપીમાં એક-એક દર્દીના કોરોનાથી નિધન થયા હતા.

રાજ્યમાં હાલ એક્ટિવ કેસની સંખ્યા 3230 છે. જેમાંથી હાલ 3219 લોકો સ્ટેબલ છે. 11 લોકો વેન્ટીલેટર પર છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 810147 લોકો કોરોનાને મ્હાત આપી ચુક્યા છે. જ્યારે કુલ મૃત્યુઆંક 10056 પર પહોંચ્યો છે. રાજ્યમાં રિકવરી રેટ 98.39 ટકા છે.

રાજ્ય સરકારે જાહેર કરેલા આંકડા પ્રમાણે રવિવારે સાંજે 5 વાગ્યા સુધીમાં કુલ 2,65,614 વ્યક્તિઓનું રસીકરણ કરવામાં આવ્યું છે. આ સાથે રાજ્યમાં કુલ રસીકરણનો આંક 2,53,93,866 પર પહોંચ્યો છે.

Next Story
Share it