ગુજરાતમાં હાઈડ્રો પાવર પ્લાન્ટ થકી ઓગસ્ટ માસમાં કુલ આશરે 1067 મિલિયન યુનિટ વીજ ઉત્પાદન થયું

ગુજરાત રાજ્યએ વીજ ઉત્પાદન ક્ષેત્રે હરણફાળ ભરી છે,જેમાં હાઈડ્રો પાવર પ્લાન્ટ થકી ઓગસ્ટ માસમાં કુલ આશરે 1067 મિલિયન યુનિટ વીજ ઉત્પાદન થયું હોવાનું જાણવા મળ્યું છે. 

New Update

ગુજરાત રાજ્યએ વીજ ઉત્પાદન ક્ષેત્રે હરણફાળ ભરી છે,જેમાં હાઈડ્રો પાવર પ્લાન્ટ થકી ઓગસ્ટ માસમાં કુલ આશરે 1067 મિલિયન યુનિટ વીજ ઉત્પાદન થયું હોવાનું જાણવા મળ્યું છે. 

ગુજરાત રાજ્ય વીજ ઉત્પાદન નવી ઉંચાઈ સ્તર કરી છે,જાણવા મળ્યા મુજબ ગુજરાતમાં હાઈડ્રો પાવર પ્લાન્ટ થકી ઓગસ્ટ માસમાં કુલ આશરે 1067 મિલિયન યુનિટ વીજ ઉત્પાદન થયું છે.જ્યારે રાજ્યનું સરેરાશ હાઈડ્રો પાવર ઉત્પાદન 4600  મિલિયન યુનિટ છે, તેમજ રાજ્યનું કુલ હાઈડ્રો પાવર ઉત્પાદન 6170.456  મિલિયન યુનિટ નોંધાયું હતું.અને ગુજરાત રાજ્ય તેના નિર્ધારિત લક્ષ્યાંકો સિદ્ધ કરવા માટે હરણફાળ ભરી રહ્યું છે. વર્ષ 2021-22ના 2629.059 મિલિયન યુનિટની સરખામણીએ વીજ ઉત્પાદન 134 ટકા વધુ છે.વર્ષ 2023-24માં રાજ્યનું કુલ હાઈડ્રો પાવર ઉત્પાદન 4584.932 મિલિયન યુનિટ રહ્યું છે.સરદાર સરોવર રિવર બેડ પાવર હાઉસ અને કેનલ હેડ પાવર હાઉસ માંથી ઓગસ્ટ મહિનામાં કુલ ઉત્પાદન 891 મિલિયન યુનિટ થયું હતું.જ્યારે ઓગસ્ટ માસમાં ઉકાઈ ડેમમાંથી 143.1 મિલિયન યુનિટ, ઉકાઈ મિની ડેમમાંથી 1.9 મિલિયન યુનિટ, કડાણા ડેમમાંથી 30.9 મિલિયન યુનિટ વીજ ઉત્પાદન થયું હોવાની માહિતી પ્રાપ્ત થઇ હતી.
ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં 2019થી 2024 સુધીમાં રાજ્યનું સરેરાશ હાઈડ્રો પાવર ઉત્પાદન આશરે 4600 મિલિયન યુનિટ થયું છે.રાજ્યમાં પુનઃપ્રાપ્ય ઉર્જાના વિકાસ માટે પ્રોત્સાહન પ્રદાન કરતી નવીનીકરણીય ઉર્જા અંગેની નીતિઓ બહાર પાડનાર દેશનું પ્રથમ રાજ્ય ગુજરાત તેના નિર્ધારિત લક્ષ્યાંકો સિદ્ધ કરવા હરણફાળ ભરી રહ્યું છે.
Read the Next Article

અંકલેશ્વર: ખરોડ ગામે યુવાનની હત્યા કરનાર આરોપીની ક્રાઇમ બ્રાન્ચે કરી ધરપકડ, અગાઉ થયેલ માથાકૂટની રીસ રાખી હત્યા કરાય

અંકલેશ્વર તાલુકાના ખરોડ ગામેથી મળી આવેલ મૃતદેહના મામલામાં ચોકાવનારો ખુલાસો થયો છે પોલીસે યુવાનની હત્યા કરનાર આરોપીની ધરપકડ કરી તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

New Update

અંકલેશ્વરના ખરોડમાં મળી આવ્યો હતો મૃતદેહ

હત્યા થઈ હોવાનું આવ્યું બહાર

પોલીસે હત્યારાની કરી ધરપડક

અગાઉના ઝઘડાની રીસ રાખી કરાય હત્યા

પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી


અંકલેશ્વર તાલુકાના ખરોડ ગામેથી મળી આવેલ મૃતદેહના મામલામાં ચોકાવનારો ખુલાસો થયો છે પોલીસે યુવાનની હત્યા કરનાર આરોપીની ધરપકડ કરી તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અંકલેશ્વરના ખરોડ ગામની સીમમાં આવેલ બાકરોલ વગામાં ખેતરના શેઢા ઉપર અજાણ્યા વ્યક્તિનો મૃતદેહ વિકૃત હાલતમાં મળી આવ્યો હતો.આ બાબતે પાનોલી પોલીસે ગુનો નોંધી મૃત્યુનું કારણ જાણવા તપાસ શરૂ કરી હતી.આ તરફ ક્રાઇમ બ્રાન્ચ પણ તપાસમાં જોડાય હતી દરમ્યામ પોલીસને બાતમી મળી હતી કે આ ગુનામાં  અક્કલકુવાનો શંકર મોવરીયા વસાવા નામનો ઈસમ સંડોવાયો છે જે અંકલેશ્વર તથા પાનોલી વિસ્તારમા છુટક મજુરી કરે છે.પોલીસે હ્યુમન ઇન્ટેલીજન્સના આધારે આરોપીની ખરોડ નજીકથી ધરપકડ કરી હતી. પોલીસની પૂછપરછમાં ચોંકાવનારો ખુલાસો થયો હતો. આ મામલામાં મરણ જનાર ઇસમે થોડા દિવસ અગાઉ મારમારી 1500 રૂપિયા લૂંટી લીધા હતા જેની રીસ રાખી આરોપી શંકર વસાવાએ મૃતકને શોધી તેને મજૂરી કામ અપાવવાના બહાને ખરોડ ગામની સીમમાં લઈ ગયો હતો અને ત્યાં પથ્થરના ઘા મારી હત્યા કર્યા બાદ તેના વતન ફરાર થઇ ગયો હતો.પોલીસે આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.