ગુજરાતમાં હાઈડ્રો પાવર પ્લાન્ટ થકી ઓગસ્ટ માસમાં કુલ આશરે 1067 મિલિયન યુનિટ વીજ ઉત્પાદન થયું

ગુજરાત રાજ્યએ વીજ ઉત્પાદન ક્ષેત્રે હરણફાળ ભરી છે,જેમાં હાઈડ્રો પાવર પ્લાન્ટ થકી ઓગસ્ટ માસમાં કુલ આશરે 1067 મિલિયન યુનિટ વીજ ઉત્પાદન થયું હોવાનું જાણવા મળ્યું છે. 

New Update

ગુજરાત રાજ્યએ વીજ ઉત્પાદન ક્ષેત્રે હરણફાળ ભરી છે,જેમાં હાઈડ્રો પાવર પ્લાન્ટ થકી ઓગસ્ટ માસમાં કુલ આશરે 1067 મિલિયન યુનિટ વીજ ઉત્પાદન થયું હોવાનું જાણવા મળ્યું છે. 

ગુજરાત રાજ્ય વીજ ઉત્પાદન નવી ઉંચાઈ સ્તર કરી છે,જાણવા મળ્યા મુજબ ગુજરાતમાં હાઈડ્રો પાવર પ્લાન્ટ થકી ઓગસ્ટ માસમાં કુલ આશરે 1067 મિલિયન યુનિટ વીજ ઉત્પાદન થયું છે.જ્યારે રાજ્યનું સરેરાશ હાઈડ્રો પાવર ઉત્પાદન 4600  મિલિયન યુનિટ છે, તેમજ રાજ્યનું કુલ હાઈડ્રો પાવર ઉત્પાદન 6170.456  મિલિયન યુનિટ નોંધાયું હતું.અને ગુજરાત રાજ્ય તેના નિર્ધારિત લક્ષ્યાંકો સિદ્ધ કરવા માટે હરણફાળ ભરી રહ્યું છે. વર્ષ 2021-22ના 2629.059 મિલિયન યુનિટની સરખામણીએ વીજ ઉત્પાદન 134 ટકા વધુ છે.વર્ષ 2023-24માં રાજ્યનું કુલ હાઈડ્રો પાવર ઉત્પાદન 4584.932 મિલિયન યુનિટ રહ્યું છે.સરદાર સરોવર રિવર બેડ પાવર હાઉસ અને કેનલ હેડ પાવર હાઉસ માંથી ઓગસ્ટ મહિનામાં કુલ ઉત્પાદન 891 મિલિયન યુનિટ થયું હતું.જ્યારે ઓગસ્ટ માસમાં ઉકાઈ ડેમમાંથી 143.1 મિલિયન યુનિટ, ઉકાઈ મિની ડેમમાંથી 1.9 મિલિયન યુનિટ, કડાણા ડેમમાંથી 30.9 મિલિયન યુનિટ વીજ ઉત્પાદન થયું હોવાની માહિતી પ્રાપ્ત થઇ હતી.
ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં 2019થી 2024 સુધીમાં રાજ્યનું સરેરાશ હાઈડ્રો પાવર ઉત્પાદન આશરે 4600 મિલિયન યુનિટ થયું છે.રાજ્યમાં પુનઃપ્રાપ્ય ઉર્જાના વિકાસ માટે પ્રોત્સાહન પ્રદાન કરતી નવીનીકરણીય ઉર્જા અંગેની નીતિઓ બહાર પાડનાર દેશનું પ્રથમ રાજ્ય ગુજરાત તેના નિર્ધારિત લક્ષ્યાંકો સિદ્ધ કરવા હરણફાળ ભરી રહ્યું છે.
Read the Next Article

અંકલેશ્વર: મહોરમનું પર્વ શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થતા તાજીયા કમિટી દ્વારા તંત્રનો આભાર વ્યક્ત કરાયો

અંકલેશ્વર શહેર-તાલુકા તાજીયા કમિટી દ્વારા વહીવટી તંત્ર, પોલીસ પ્રશાસન, ગુજરાત વિદ્યુત બોર્ડ અને અંકલેશ્વર નગરપાલિકાનો આભાર વ્યક્ત કરી સન્માન કરવામાં આવ્યું

New Update
Tajiya Commitee
અંકલેશ્વર શહેર-તાલુકા તાજીયા કમિટી દ્વારા વહીવટી તંત્ર, પોલીસ પ્રશાસન, ગુજરાત વિદ્યુત બોર્ડ અને અંકલેશ્વર નગરપાલિકાનો આભાર વ્યક્ત કરી સન્માન કરવામાં આવ્યું હતું. અંકલેશ્વરમાં મોહરમનું પર્વ શાંતિપૂર્ણ અને કોમી એખલાસભર્યા વાતાવરણમાં સંપન્ન થયું છે જે બદલ અંકલેશ્વર શહેર તાલુકા તાજીયા કમિટી દ્વારા પ્રાંત અધિકારી, મામલતદાર  કરણસિંહ રાજપૂત, નાયબ પોલીસ અધિક્ષક,ડો.કુશલ ઓઝા,પોલીસ ઇન્સ્પેકટર  પી જી ચાવડા, પાલિકા પ્રમુખ લલીતાબેન રાજપુરોહિત, શિક્ષણ સમિતિ ચેરમેન ગણેશ અગ્રવાલ, ભાજપ શહેર પ્રમુખ ધર્મેન્દ્ર પુષ્કર્ણા સહિતના આગેવાનોનો આભાર વ્યક્ત કરી તેઓનું સન્માન કરવામાં આવ્યું હતું.

Tajiya Commitee Ankleshwar

આ પ્રસંગે કમિટીના પ્રમુખ બખ્તિયાર પટેલ, સેક્રેટરી વસીમ ફડવાલા, ઉપપ્રમુખ અમન પઠાણ, નૂર કુરેશી, લીગલ એડવાઈઝર હારુન મલેક સહિતના આગેવાનો અને સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.