કચ્છ : અંજારમાં પ્રેમસંબંધનો કરૂણ અંજામ,CRPF જવાન પ્રેમીએ જ મહિલા ASIની કરી હત્યા

મરણ જનાર અરુણા જાદવ મૂળ સુરેન્દ્રનગરના દેરવાડાના વતની હતા અને અંજારમાં રહેતા હતા ગત મોડી રાત્રે અરુણા અને તેના પુરુષ મિત્ર દિલીપ ડાંગચીયા વચ્ચે કોઈક બાબતને લઈને જબરદસ્ત ઝઘડો થયો હતો.

New Update
  • અંજારમાં મહિલાASIની હત્યાથી ચકચાર

  • ઘટનાને પગલે પોલીસતંત્રમાં ચકચાર 

  • પ્રેમીએ ગળું દબાવીને કરી પ્રેમિકાની હત્યા

  • પારિવારિક ઝગડાએ લીધું ઉગ્ર સ્વરૂપ   

  • CRPFના જવાન પ્રેમીએ કર્યું પોલીસમાં સરેન્ડર

અંજાર પોલીસ સ્ટેશનમાં આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવતા 25 વર્ષીય અરુણા નટુભાઈ જાદવની રાત્રે તેના પ્રેમીએ ઘરમાં ગળું દબાવીને હત્યા કરી નાખતા પોલીસ બેડામાં ચકચાર મચી ગઈ હતી.

કચ્છ જિલ્લાના અંજાર પોલીસ સ્ટેશનમાં આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવતા 25 વર્ષીય અરુણા નટુભાઈ જાદવની ગત રાત્રે તેના પ્રેમીએ ઘરમાં ગળું દબાવીને હત્યા કરી નાખતા પોલીસ ખાતામાં ચકચાર મચી ગઈ હતી. મરણ જનાર અરુણા જાદવ મૂળ સુરેન્દ્રનગરના દેરવાડાના વતની હતા અને અંજારની ગંગોત્રી સોસાયટી-2માં રહે છે. ગત મોડી રાત્રે અરુણા અને તેના પુરુષ મિત્ર દિલીપ ડાંગચીયા વચ્ચે કોઈક બાબતને લઈને જબરદસ્ત ઝઘડો થયો હતો.

જેમાં દિલીપે પિત્તો ગુમાવીને અરુણાનું ગળું દબાવી હત્યા કરી નાખી હતી. દિલીપ મણિપુરમાંCRPFમાં ફરજ બજાવે છે. અરુણાની હત્યા કર્યા બાદ દિલીપ સામેથી અંજાર પોલીસ મથકે હાજર થઈ ગયો હતો. દિલીપ પણ સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF)માં ફરજ બજાવે છે અને મણિપુર ખાતે પોસ્ટિંગ થયેલું છે. દિલીપ અરુણાની બાજુના ગામનો વતની છે.

બંને લાંબા સમયથી એકમેકના પ્રેમસંબંધમાં હતા અને લગ્ન કરવાનું આયોજન કરતા હતા. રાત્રે પારિવારીક બાબતમાં બોલાચાલી થતાં અરુણાએ દિલીપની માતા વિશે એલફેલ બોલવાનું શરૂ કરતા દિલીપે હત્યા કરી નાખી હતી. બનાવના પગલે અંજાર પીઆઈ એ.આર. ગોહિલ સહિતની ટીમે તપાસ શરૂ કરી હતી.

Read the Next Article

ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા ભવ્ય તિરંગા યાત્રા યોજાય, દેશપ્રેમના રંગ જોવા મળ્યા

ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા માતરીયા તળાવથી સ્ટેચ્યુ પાર્ક સુધી ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. સ્વતંત્રતા પર્વની ઉજવણીના ભાગરૂપે ભરૂચમાં જિલ્લા

New Update

ભરૂચમાં કરવામાં આવ્યું આયોજન

ભાજપ દ્વારા આયોજન કરાયું

તિરંગા યાત્રાનું આયોજન

આગેવાનો અને કાર્યકરો જોડાયા

દેશભક્તિના રંગ જોવા મળ્યા

ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા માતરીયા તળાવથી સ્ટેચ્યુ પાર્ક સુધી ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. 

સ્વતંત્રતા પર્વની ઉજવણીના ભાગરૂપે ભરૂચમાં જિલ્લા ભાજપ દ્વારા ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી, ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, મહામંત્રી નિરલ પટેલ, શહેર પ્રમુખ જતીન શાહ સહિત પક્ષના અગ્રણીઓ, હોદ્દેદારો અને મોટી સંખ્યામાં યુવાનો જોડાયા હતા. હાથમાં તિરંગો લહેરાવતા કાર્યકરો દેશભક્તિના સૂત્રોચ્ચાર કરતા આગળ વધતા નજરે પડ્યા હતા.ભાજપ દ્વારા હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત યોજાયેલી આ યાત્રા દરમિયાન શહેરના મુખ્ય માર્ગો પર દેશપ્રેમનો જુસ્સો છલકાતો જોવા મળ્યો હતો. યાત્રામાં દેશભક્તિ ગીતો, સૂત્રોચ્ચારો અને તિરંગાની લહેરાટ સાથે ઉત્સાહનો માહોલ છવાયો હતો.