ભરૂચ અંકલેશ્વર વચ્ચે ટ્રકની ટકકરે બાઈક સવાર યુવાનનુ કમકમાટી ભર્યું મોત

ભરૂચ અંકલેશ્વર વચ્ચે  ટ્રક અને બાઇક વચ્ચે સર્જાયેલ અકસ્માતમાં બાઈક સવાર યુવાનનું ગંભીર ઇજાના પગલે ઘટના સ્થળે કમકમાટીભર્યું મોત નીપજ્યું,ભૂતમામાની ડેરી નજીક અકસ્માત સર્જાયો

New Update

ભરૂચ અંકલેશ્વર વચ્ચે સર્જાયો અકસ્માત
ભૂતમામાની ડેરી નજીક અકસ્માત સર્જાયો
ટ્રકની અડફેટે બાઈક સવાર યુવાનનું મોત
ગંભીર ઇજાના પગલે ઘટના સ્થળે જ મોત નિપજ્યુ
પોલીસે તપાસ શરૂ કરી

ભરૂચ અંકલેશ્વર વચ્ચે  ટ્રક અને બાઇક વચ્ચે સર્જાયેલ અકસ્માતમાં બાઈક સવાર યુવાનનું ગંભીર ઇજાના પગલે ઘટના સ્થળે કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું

બનાવ અંગેની મળતી વિગતો અનુસાર અંકલેશ્વરના ગડખોલ પાટીયા વિસ્તારમાં રહેતો અજીત કુશવાહા દહેજની એસ.આર.એફ .કંપનીમાં નોકરી કરે છે આજરોજ વહેલી સવારે તે ભરૂચ અંકલેશ્વર વચ્ચેથી બાઇક લઈને પસાર થઈ રહ્યો હતો આ દરમિયાન ભૂતમામાની ડેરી નજીક પૂરપાટ ઝડપે દોડી રહેલ ટ્રકની અડફેટે આવી જતા તેને ગંભીરતા પહોંચી હતી. ગંભીર ઇજાના પગલે તેનું ઘટના સ્થળે કમકમાટી ભર્યું મોતની નિપજ્યુ હતું. બનાવની જાણ થતાની સાથે જ લોકોના ટોળા ભેગા થઈ ગયા હતા અને પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસે તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી યુવાનના મૃતદેહને પોસ્ટમોર્ટ ખસેડી વધુ તપાસ કરી છે
Read the Next Article

અંકલેશ્વર: ત્રણ રસ્તા સર્કલથી રેલવે સ્ટેશન સુધી રૂ.75 લાખના ખર્ચે બનાવાયેલ આઇકોનીક રોડની કામગીરીમાં ભ્રષ્ટાચારના કોંગ્રેસના આક્ષેપ

રોડની કામગીરીમાં ગેરરીતી આચરાઈ હોવાના આક્ષેપ વિરોધ પક્ષના નેતા જહાંગીર પઠાણ દ્વારા કરવામાં આવ્યા છે અને તેઓ દ્વારા નગર સેવાસદનના ચીફ ઓફિસરને પત્ર લખવામાં આવ્યો

New Update
  • અંકલેશ્વર નગર સેવા સદન દ્વારા કરાયુ છે નિર્માણ

  • રૂ.75 લાખના ખર્ચે આઇકોનીક રોડનું નિર્માણ

  • રોડની કામગીરીમાં ગેરરીતિના આક્ષેપ

  • કોંગ્રેસ દ્વારા ચીફ ઓફિસરને લખાયો પત્ર

  • કોન્ટ્રાકટરને ચુકવણું ન કરવા માંગ

અંકલેશ્વર નગર સેવા સદન દ્વારા ત્રણ રસ્તા સર્કલથી રેલવે સ્ટેશન સુધી બનાવેલ આઇકોનિક રોડની કામગીરીમાં ભ્રષ્ટાચાર આચરાયો હોવાના આક્ષેપ સાથે વિરોધ પક્ષના નેતા દ્વારા ચીફ ઓફિસરને પત્ર લખી કોન્ટ્રાક્ટરનું બાકીનું પેમેન્ટ સ્ટોપ કરવાની માંગ કરવામાં આવી છે
અંકલેશ્વર નગર સેવાસદન દ્વારા રૂપિયા 75 લાખના ખર્ચે શહેરના ત્રણ રસ્તા સર્કલથી રેલવે સ્ટેશન સુધી નિર્મળ પથ રોડ એટલે કે આઇકોનિક રોડનું નિર્માણ કરવામાં આવ્યું છે રોડની કામગીરીમાં ગેરરીતી આચરાઈ હોવાના આક્ષેપ વિરોધ પક્ષના નેતા જહાંગીર પઠાણ દ્વારા કરવામાં આવ્યા છે અને તેઓ દ્વારા નગર સેવાસદનના ચીફ ઓફિસરને પત્ર લખવામાં આવ્યો છે.પત્રમાં જણાવ્યા અનુસાર રોડની કામગીરી અધુરી હોવા છતાં કમ્પલીશન સર્ટિફિકેટ આપવામાં આવ્યું છે.
આ ઉપરાંત રોડ પર સ્ટ્રીટ લાઇટના કેબલને કવર કરવામાં આવ્યા નથી જેનાથી અકસ્માત થવાની સંભાવના રહેલી છે. સાથે જ બ્લોકની કામગીરી પણ આડેધડ કરવામાં આવી છે જેનાથી ફૂટપાથ પર જતા લોકોને અગવડતાનો સામનો કરવો પડી રહ્યો છે. આ તરફ મોટાભાગની લાઈટ પણ બંધ હાલતમાં જોવા મળી રહી છે ત્યારે હવે પછી કોઈપણ બિલની પ્રક્રિયા કે ચુકવણું ના કરવાની વિરોધ પક્ષ દ્વારા માંગ કરવામાં આવી છે. આ અંગે નગર સેવાસદનના પ્રમુખ લલિતા રાજપુરોહિતનો સંપર્ક કરતા તેઓ તેઓએ કામમાં હોવાનું જણાવી હાલ આ અંગે કંઈ પણ કહેવાનો ઇન્કાર કર્યો હતો.