Connect Gujarat
ગુજરાત

હિંમતનગર-અમદાવાદ હાઇવે પર અકસ્માતમા પ્રાંતિજના વડવાસાના યુવકનુ મોત,પોલીસે તપાસ શરૂ કરી

હિંમતનગર-અમદાવાદ નેશનલ હાઈવેઆઠ ઉપર ગાંધીનગરના ચંદ્રાલા પાસે આવેલ પાલવ હોટલ પાસે અજાણ્યા વાહનની ટક્કર થી પ્રાંતિજના વડવાસાના બાઇક ચાલકનુ મોત નિપજયુ હતું.

હિંમતનગર-અમદાવાદ હાઇવે પર અકસ્માતમા પ્રાંતિજના વડવાસાના યુવકનુ મોત,પોલીસે તપાસ શરૂ કરી
X

હિંમતનગર-અમદાવાદ નેશનલ હાઈવેઆઠ ઉપર ગાંધીનગરના ચંદ્રાલા પાસે આવેલ પાલવ હોટલ પાસે અજાણ્યા વાહનની ટક્કર થી પ્રાંતિજના વડવાસાના બાઇક ચાલકનુ મોત નિપજયુ હતું.

ગાંધીનગર જિલ્લાના ચંદ્રાલા નજીક આવેલ પાલવ હોટલ પાસે થી પોતાનુ બાઇક લઇ ને જઇ રહેલ પ્રાંતિજ ના વડવાસા ના યુવક ને અકસ્માત નડયો હતો જેમા અકસ્માતમા યુવક નુ મોત નિપજયુ હતુ જેમાં પ્રાપ્ત વિગત અનુસાર વડવાસાનો યુવક પટેલ નીરવ ભાઈ મહેશભાઈ કે જે પોતાનુ બાઈક લઈને ચિલોડા તરફ જઈ રહ્યો હતો તે દરમ્યાન કોઈ અજણ્યા વાહન ચાલકે ટક્કર મારતા બાઈક ચાલક બાઇક સાથે રોડ ઉપર પટકાયો હતો અને તેને જીવલેણ ઈજાઓ પહોચતા તેનુ ધટના સ્થળેજ કમકમાટીભર્યુ મોત નિપજયુ હતુ તો અજણ્યો વાહન ચાલક બાઇક ચાલક ને ટક્કર મારી ધટના સ્થળે મોત નિપજાવી પોતાનુ વાહન લઇ ને ભાગી ગયો હતો તો અકસ્માત ને લઈ ને રોડ ઉપર અવરજવર કરતા લોકો સહિત આજુબાજુમા રહેતા લોકો સહિત સ્થળે લોકોના ટોળેટોળાં અકસ્માત સ્થળે ઉમટી પડ્યા હતા

Next Story