વલસાડ : ધરમપુર ખાતે આમ આદમી પાર્ટીનું કાર્યકર્તા સંમેલન યોજાયું,ધારાસભ્ય ચૈતર વસાવા રહ્યા ઉપસ્થિત

ધરમપુર ખાતે આમ આદમી પાર્ટીનું કાર્યકર્તા સંમેલન યોજાયું હતું,આ પ્રસંગે ડેડીયાપાડાના ધારાસભ્ય અને આપના અગ્રણી નેતા ચૈતર વસાવા ઉપસ્થિત રહ્યા...

New Update
  • ધરમપુરમાં આપનું યોજાયું સંમેલન

  • MLA ચૈતર વસાવાએ આપી હાજરી

  • કોંગ્રેસ પર ચૈતરે કર્યા આક્ષેપ

  • બાંગ્લાદેશીઓ સામેની કાર્યવાહીને ગણાવી યોગ્ય

  • કોંગ્રેસીઓ ભાજપના સંપર્ક હોવાનો ચૈતરનો દાવો 

Advertisment

વલસાડ જિલ્લાના ધરમપુર ખાતે આમ આદમી પાર્ટીનું કાર્યકર્તા સંમેલન યોજાયું હતું,આ પ્રસંગે ડેડીયાપાડાના ધારાસભ્ય અને આપના અગ્રણી નેતા ચૈતર વસાવા ઉપસ્થિત રહ્યા હતા.

વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકા ખાતે આમ આદમી પાર્ટી દ્વારા કાર્યકર્તા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં ડેડીયાપાડા ધારાસભ્ય અને આમ આદમી પાર્ટીના નેતા ચૈતર વસાવાએ હાજરી આપી હતી.આગામી જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત અને ગ્રામ પંચાયતની ચૂંટણીને લઈને આમ આદમી પાર્ટીએ કાર્યક્રમનું આયોજન કર્યું હતું.

કાર્યક્રમ બાદ મીડિયા સાથે વાતચીત કરતા ચૈતર વસાવાએ જણાવ્યું હતું કે વિસાવદરની ચૂંટણીને લઈને કોંગ્રેસે પોતાનો ઉમેદવાર ઉતારતા આમ આદમી પાર્ટી અને કોંગ્રેસનું ગઠબંધન તૂટ્યું છે.કોંગ્રેસ પોતાનું 2027નું સપનું લઈને જે પ્રમાણે આગળ ચાલી રહી છે,એ શક્ય નથી કારણ કે ઘણા કોંગ્રેસી નેતાઓ ભાજપના નેતાઓના સંપર્કમાં છે.પોતાના બિઝનેસ અને કોન્ટ્રાક્ટને લઈને એકબીજાની સાથે સાંઠગાંઠ હોવાના આક્ષેપ પણ તેઓએ કર્યા હતા. વધુમાં બાંગ્લાદેશીઓ પર જે પ્રમાણે કાર્યવાહી થઈ રહી છે તેને યોગ્ય ગણાવી હતી.

Advertisment
Read the Next Article

ભરૂચ: નર્મદા મૈયા બ્રિજની બન્ને તરફ રૂ.1.84 કરોડના ખર્ચે જાળી લગાવવામાં આવશે, રાજ્ય સરકાર દ્વારા અપાઈ મંજૂરી

ગુજરાતની જીવાદોરી તરીકે ઓળખાય છે પરંતુ ભરૂચમાં નર્મદા નદી પર બનાવેલા નર્મદા મૈયા બ્રિજ લોકો માટે મોતને વ્હાલું કરવા માટેની ઓળખ બની ગયો છે..

New Update
  • ભરૂચનો નર્મદા મૈયા બ્રિજ બન્યો સ્યુસાઇડ પોઇન્ટ

  • બ્રિજની બન્ને તરફ જાળી લગાવવાની ઉઠી માંગ

  • રૂ.1.84 કરોડના ખર્ચે બ્રિજની બન્ને તરફ લગાવાશે જાળી

  • રાજ્ય સરકાર દ્વારા મંજૂરી આપવામાં આવી

  • ટૂંક સમયમાં કામગીરી શરૂ કરાશે

Advertisment
ભરૂચના નર્મદા મૈયા બ્રિજ પરથી આત્મહત્યાના વધતા બનાવો અટકાવવા સામાજિક કાર્યકરો દ્વારા બ્રિજની બન્ને તરફ જાળી લગાવવાની માંગ કરવામાં આવી હતી ત્યારે રાજ્ય સરકાર દ્વારા રૂ.1.84 કરોડના ખર્ચે બ્રિજની બન્ને તરફ જાળી લગાવવા માટે મંજૂરી આપવામાં આવી છે.
ભરૂચની નર્મદા નદી ગુજરાતની જીવાદોરી તરીકે ઓળખાય છે પરંતુ ભરૂચમાં નર્મદા નદી પર બનાવેલા નર્મદા મૈયા બ્રિજ લોકો માટે મોતને વ્હાલું કરવા માટેની ઓળખ બની ગયો છે આત્મહત્યા કરવા માટે લોકોની પસંદગી બની ગઈ છે ત્યારે ભરૂચના સામાજીક કાર્યકરોએ બ્રિજની બન્ને તરફ જાળી લગાવવા માંગ કરી હતી.
આપઘાતના વધતા બનાવોને ધ્યાનમાં લઈ વહીવટી તંત્ર હરકતમાં આવ્યું હતું. ભરૂચ માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક ઈજનેર બ્રિજની બંને તરફ રૂપિયા 1.84 કરોડના ખર્ચે જાળી લગાવવા માટેની વહીવટી મંજૂરી વડોદરા માર્ગ અને મકાન વિભાગના અધિક્ષક ઇજનેર પાસે માંગી હતી ત્યાર બાદ રાજ્ય સરકાર દ્વારા બ્રિજની બંને તરફ જાળી લગાવવા માટેની સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી છે.
Advertisment
નર્મદા મૈયા બ્રિજના રીવર પોર્શનમાં પ્રોવાઈડીંગ એન્ડ ફીક્સીંગ  વાયરમેશ જાળી ફોર પ્રોટેક્શન સેફ્ટી ગ્રિલ નાખવા માટે મોકલેલી દરખાસ્તને સૈદ્ધાંતિક મંજૂરી મળી જતા બ્રિજના રીવર પોર્શનમાં બંને તરફ અંદાજિત રૂ.1.84 કરોડના ખર્ચથી સમયમર્યાદામાં અને ગુણવત્તાસભર ૧.૪૬૨ કીમી  બ્રિજની બંને તરફ લાંબી સેફ્ટી ગ્રિલ બનાવવામાં આવશે..
Advertisment