Connect Gujarat
ગુજરાત

ગુજરાતનાં રાજ’કારણ’માં નવાજૂનીના એંધાણ, આપ નેતા યુવરાજસિંહ જાડેજાએ કોંગ્રેસ નેતા સાથે ભોજન લેતા રાજકીય ગરમાવો તેજ

આ મુલાકાતથી યુવરાજસિંહ કોંગ્રેસમાં જોડાશે તેવી ચર્ચાએ જોર પકડ્યું છે. જો કે,આ મુલાકાત અંગે યુવરાજસિંહનું કોઈ નિવેદન સામે આવ્યું નથી

ગુજરાતનાં રાજ’કારણ’માં નવાજૂનીના એંધાણ, આપ નેતા યુવરાજસિંહ જાડેજાએ કોંગ્રેસ નેતા સાથે ભોજન લેતા રાજકીય ગરમાવો તેજ
X

લોકસભા ચૂંટણીને હલે ગણતરીના મહિનાઓ જ બાકી છે ત્યારે ગુજરાતના રાજકારણમાં ગરમાવો આવવા લાગ્યો છે. એક તરફ બીજેપીમાં આંતરિક જૂથવાદ સામે આવી રહ્યો છે તો બીજી તરફ આમ આદમી પાર્ટી પણ તૂટી રહી છે. તાજેતરમાં ઘણા આપ નેતા કોંગ્રેસમાં જોડાયા હતા. આ સાથેજ થરાદ ખાતે આપ નેતા યુવરાજસિંહ જાડેજા કોંગ્રેસના ધારાસભ્ય ગેનીબેન ઠાકોર અને પૂર્વ ધારાસભ્ય ગુલાબસિંહને મળ્યા હતા. મુલાકાત બાદ યુવરાજસિંહ જાડેજાએ કોંગ્રેસના નેતાઓ સાથે ભોજન પણ લીધું હતું. આ મુલાકાતથી યુવરાજસિંહ કોંગ્રેસમાં જોડાશે તેવી ચર્ચાએ જોર પકડ્યું છે. જો કે,આ મુલાકાત અંગે યુવરાજસિંહનું કોઈ નિવેદન સામે આવ્યું નથી. પરંતુ તેમની મુલાકાતથી અનેક અટકળો વહેતી થઈ છે.

Next Story