/connect-gujarat/media/post_banners/1d7ef6ca871633e6482ad4f9ffef392f06da90af1d50d026ca07376ce0e22986.webp)
હજી સુરતમાં સામૂહિક આપઘાતની ઘટના ભૂલાતી નથી ત્યાં જ દાંતીવાડા ડેમમાં ઝંપલાવી એક જ પરિવારના ચાર લોકોએ આત્મહત્યા કરી હોવાની માહિતી સામે આવી છે. અગમ્ય કારણોસર પરિવારના ચારેય સભ્યોએ આત્મહત્યા કરી હોવાનું પ્રાથમિક અનુમાન લગાવાયું છે. ચારેય મૃતકો પાલનપુરના નાની ભટામલ ગામના રહેવાસી હતા. પોલીસને જાણ થતાં જ ઘટના સ્થળે પહોંચી હતી અને સ્થાનિક લોકોની મદદથી પોલીસે તમામને ડેમમાથી બહાર કાઢી મૃતદેહોને પાલનપુર સિવિલ હોસ્પિટલમાં પીએમ અર્થે ખસેડ્યાં હતા. સાસુ કનુબા ગેનસિંગ ચૌહાણ(ઉ.વ.55), વહુ નયનાબા નારણસિંગ ચૌહાણ (ઉ.વ.30), દીકરી સપનાબા નારણસિંગ ચૌહાણ(ઉ.વ.8) અને દીકરો વિરમસિંગ નારણસિંગ ચૌહાણ(ઉ.વ.5)એ સામુહિત ડેમમાં ઝંપલાવી મોતને ભેટ્યા હતા.