મુંબઈમાં મેઘરાજાની પધરામણી બાદ ગુજરાતમાં હવે વરસાદની વિધિવત શરૂઆત થવાના સંકેત

હવામાન વિભાગનું અનુમાન છે કે 12થી 18 જૂન સુધી પશ્ચિમી પવનો મજબૂત થતા ચોમાસુ ગુજરાત તરફ તેજીથી આગળ વધશે,અને વરસાદની સીઝનની વિધિવત શરૂઆત થશે.

New Update
  • ગુજરાતમાં વરસાદ આગમનના પડઘમ

  • મુંબઈમાં વિધિવત ચોમાસાની શરૂઆત

  • ગુજરાતમાં ચાતક નજરે ચોમાસાની જોવાતી રાહ

  • 12 જૂન પછી ગુજરાત તરફ આગળ વધશે ચોમાસુ

  • 12થી 18 જૂન સુધી વરસાદની છે આગાહી 

મુંબઈમાં વરસાદની મોસમની ધમાકેદાર શરૂઆત થઇ છે,ત્યારે હવામાન વિભાગનું અનુમાન છે કે 12થી 18 જૂન સુધી પશ્ચિમી પવનો મજબૂત થતા ચોમાસુ ગુજરાત તરફ તેજીથી આગળ વધશે,અને વરસાદની સીઝનની વિધિવત શરૂઆત થશે.

આંખોમાં બેઠેલા ચાતક કહે છે મારુ ચોમાસુ ક્યાંક આસપાસ છે,આ ગીતની એક પંક્તિ હાલમાં સૌ ગુજરાતવાસીઓના માનસપટ પર ગુંજીતી હશે.કારણ કે મુંબઈવાસીઓને મેઘરાજાએ વિધિવત રીતે પધરામણી કરીને સૌને તરબોળ કરી દીધા છે,ત્યારે મુંબઈથી હવે દક્ષિણ ગુજરાતના માર્ગે મેઘરાજા વહેલી તકે ગુજરાતમાં પણ વિધિવત રીતે આગમન કરે તેવા સંકેત વ્યક્ત કરવામાં આવ્યા છે.

હવામાન વિભાગના સૂત્રો દ્વારા જાણવા મળ્યા મુજબ હાલમાં વરસાદના આગમન અંગેના વાતાવરણમાં સંકેતો જોવા મળી રહ્યા છે. ત્યારે નર્મદાસુરતતાપીડાંગનવસારીવલસાડદમણ અને દાદરા નગર હવેલીમાં હળવો વરસાદ પાડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. આ ઉપરાંતદક્ષિણ સૌરાષ્ટ્રના રાજકોટબોટાદજૂનાગઢઅમરેલીભાવનગરદીવ અને ગીર સોમનાથમાં પણ હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે.

આગામી દિવસોની વાત કરીએ તો તારીખ 12 જૂનથી 13 અને 14 જૂન દરમિયાન ઉત્તર ગુજરાત અને પૂર્વ ગુજરાતમાં પણ હળવા વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.હવે વહેલી તકે વરસાદની વાજતે ગાજતે પધરામણી થાય અને સૌને અસહ્ય ગરમીમાંથી છુટકારો મળે તેવી લાગણી પણ મેઘમય લોકો કરી રહ્યા છે.

Read the Next Article

તાલાલા સહિત સમગ્ર ગીર પંથકમાં ભૂકંપનો આંચકો અનુભવાયો, તીવ્રતા રિક્ટર સ્કેલ પર 2.2 નોંધાઈ

ગીર સોમનાથથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. વાસ્તવમાં આજે તાલાલા સહિત સમગ્ર ગીર પંથકમાં ભૂકંપનો આંચકો અનુભવાયો છે. પ્રાથમિક વિગતો મુજબ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 2.2 નોંધાઈ હતી.

New Update
Pakistan Earthquake

ગીર સોમનાથથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. વાસ્તવમાં આજે તાલાલા સહિત સમગ્ર ગીર પંથકમાં ભૂકંપનો આંચકો અનુભવાયો છે. પ્રાથમિક વિગતો મુજબ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 2.2 નોંધાઈ હતી.

આ તરફ ભૂકંપનું એપી સેન્ટર તાલાલાથી 11 કિલોમીટર દૂર ઈસ્ટ-નોર્થ-ઈસ્ટ દિશામાં નોંધાયું છે. વિગતો મુજબ ભૂકંપનો આંચકો જમીનમાં 6 કિલોમીટરની ઊંડાઈએથી ઉદ્ભવ્યો હતો. જોકે હજી સુધી કોઈ જાનહાનિના સમાચાર સામે આવ્યા નથી.

  • ભૂકંપના ઝટકા જેવા આવે તુરંત વાર કર્યા વગર ઓફિસ કે ઘરની બહાર નિકળી જવું.
  • વીજળીના થાંભલા, ઝાડ અને ઉંચી ઈમારતથી દૂર ઉભા રહેવુ.
  • ઘર કે ઓફિસ બહાર જતી વખતે લીફ્ટનો ઉપયોગ ન કરવો, સીડીનો ઉપયોગ કરવો.
  • ઘર આસપાસ જો મેદાન ન હોય તો એવી જગ્યા શોધો જ્યા છૂપાઈને બેસી શકાય.
  • ભૂકંપ આવે ત્યારે ખાસ કરીને ઘરમાં રહેલી ભારે વસ્તુથી દૂર રહેવું.
  • ઘરમાં રહેલા ભારે સામાન અને કાચથી દૂર રહેવુ જેથી વાગવાની શક્યતા ન રહે.
  • ભાગવાનો સમય ન મળે તો ટેબલ, પલંગ, ડેસ્ક જેવી મજબૂત જગ્યા નીચે ઘૂસી જવું.
  • દરવાજા હોય ત્યા ન ઉભા રહેવું જેથી દરવાજો ખુલે કે પડે તો વાગે નહીં.