અમદાવાદ: કેજરીવાલનો ધડાકો ભાજપ,-કોંગ્રેસ મળેલા છે, 2022ની ચૂંટણીને લઈ કહી આ વાત
ગુજરાતની રાજનીતિમાં આમ આદમી પાર્ટીની સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીમાં સત્તાવાર રીતે એન્ટ્રી થઈ હતી અને સુરતમાંસારો દેખાવ કર્યો હતો
ગુજરાતમાં 2022માં વિધાનસભા ચૂંટણી આવી રહી છે ત્યારે આમ આદમી પાર્ટી જેમેણે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં સફળતા મેળવી હતી ત્યારે હવે આપ વિધાનસભા ચૂંટણી માટે સક્રિય થઇ છે ત્યારે પાર્ટી સંગઠનને વધુ મજબૂત કરવા અરવિંદ કેજરીવાલ આજે અમદાવાદની મુલાકાતે આવ્યા હતા અને અનેક કાર્યક્રમોમાં હાજરી આપી હતી
ગુજરાતની રાજનીતિમાં આમ આદમી પાર્ટીની સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીમાં સત્તાવાર રીતે એન્ટ્રી થઈ હતી અને સુરત મહાનગર પાલિકાની ચૂંટણીમાં સારો દેખાવ કર્યો હતો ત્યાર બાદ આજે આમ આદમી પાર્ટીના સંયોજક અને દિલ્હીના સી.એમ. અરવિંદ કેજરીવાલ ગુજરાત મુલાકાતે હતા અને તેઓનું એરપોર્ટ પર ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતુ. આ બાદ ગુજરાતની રાજનીતિમાં નવું પરીવર્તન આવ્યું હતું અને જાણીતા પત્રકાર ઈશુદાન ગઢવીએ આમ આમ આદમી પાર્ટીનો ખેસ સી.એમ અરવિંદ કેજરીવાલના હાથે ધારણ કર્યો હતો. AAP માં વિધિવત્ રીતે જોડાયા બાદ ઈશુદાન ગઢવી એ જણાવ્યુ હતું કે ગુજરાતમાં બદલાવ લાવવાનો છે અને તેની માટે જ રાજકારણમાં આવ્યો છું.
અરવિંદ કેજરીવાલે ગુજરાત સરકાર અને બીજેપી પર આરોપ લગાવતા કહ્યું કે છેલ્લા 27 વર્ષથી ગુજરાતમાં ભાજપનું શાસન છે અને ગુજરાતમાં એવુ કહેવાય છે કે કોંગ્રેસ ભાજપના ખિસ્સામાં છે. ભાજપને જ્યારે જરૂર પડે ત્યારે કોંગ્રેસ સપ્લાય કરે છે. તો આ સાથે જ કેજરીવાલે એવો પણ આક્ષેપ કર્યો હતો કે, ગુજરાતના ખેડૂતો આત્મહત્યા કરી રહ્યા છે, ગુજરાતની જનતા પરેશાન છે, વેપારીઓ ડરેલા છે. પત્રકાર પરિષદ સંબોધન કરતા દિલ્હીના મુખ્યમંત્રી મોટી જાહેરાત કરી હતી. કેજરીવાલે કહ્યું કે, આગામી સમયમાં ગુજરાત વિધાનસભાની ચૂંટણી આવી રહી છે ત્યારે AAP 2022 ની ચૂંટણીમાં 182 બેઠક પર ચૂંટણી લડશે. ગુજરાત વિધાનસભાની દરેક બેઠક પર આમ આદમી પાર્ટીના ઉમેદવાર ઊભો રાખવામાં આવશે એવી જાહેરાત કરવામાં આવી હતી
ભરૂચ: દેશના સૌથી મોટા ડ્રગ્સ કૌભાંડનો ખુલાસો,પાનોલીની કંપનીમાંથી...
16 Aug 2022 1:51 PM GMTઅમદાવાદ: પુત્ર CAની પરીક્ષામાં પ્રથમ પ્રયત્ને પાસ થતા રાઠી પરિવારે...
15 Aug 2022 12:05 PM GMTઅંકલેશ્વર : ઓરિસ્સાના 4 યુવાનો ટ્રાવેલ બેગમાં ગાંજાના મોટા જથ્થા સાથે...
10 Aug 2022 10:54 AM GMTઆઝાદીના અમૃતકાળના પર્વ પર અંકલેશ્વરની આ હોટલમાં આપને મળશે માત્ર 75...
11 Aug 2022 12:40 PM GMTઅંકલેશ્વર : સરગમ હોસ્પિટલની ગંભીર બે'દરકારી, ઇન્જેક્શન આપ્યા બાદ...
14 Aug 2022 9:38 AM GMT
દાહોદ : દામાવાવ નજીક એસટી બસ અને ખાનગી બસ સહિત અન્ય વાહન વચ્ચે સર્જાયો...
16 Aug 2022 4:37 PM GMTરાજ્યમાં આજે કોરોનાના 425 નવા કેસ નોધાયા, એક દર્દીનુ થયું મોત
16 Aug 2022 4:04 PM GMTસુરત : બત્રીસ ગંગા ખાડી ઉભરાતા બલેશ્વર ગામ બેટમાં ફેરવાયું, પાણીમાં...
16 Aug 2022 2:35 PM GMTભરૂચ: દેશના સૌથી મોટા ડ્રગ્સ કૌભાંડનો ખુલાસો,પાનોલીની કંપનીમાંથી...
16 Aug 2022 1:51 PM GMTકચ્છ : દિલ્હીના CM અરવિંદ કેજરીવાલની ગુજરાત મુલાકાત, કેન્દ્ર અને...
16 Aug 2022 1:36 PM GMT