અમદાવાદ : ભગવાન જગન્નાથજીની રથયાત્રા પહેલા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કર્યું રૂટનું નિરીક્ષણ...

 અમદાવાદમાં આગામી તા. 27 જૂન-2025ના યોજાનારી ભગવાન જગન્નાથજીની 148મી રથયાત્રાને 2 દિવસ બાકી છે, ત્યારે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ નેત્રોત્સવ વિધિ બાદ રથયાત્રાના

New Update

તા. 27 જૂનના રોજ ભગવાન જગન્નાથજીની 148મી રથયાત્રા

દેશમાં બીજા નંબરની સૌથી મોટી રથયાત્રાની તડામાર તૈયારી

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી નેત્રોત્સવ વિધિમાં સહભાગી થયા

16 કિમીના રૂટ પર ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીનું ફૂટ પેટ્રોલિંગ

રથયાત્રાના રૂટ ઉપર સુરક્ષા વ્યવસ્થા અંગેની સમીક્ષા કરાય

અમદાવાદમાં આગામી તા. 27 જૂન-2025ના યોજાનારી ભગવાન જગન્નાથજીની 148મી રથયાત્રાને 2 દિવસ બાકી છેત્યારે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ નેત્રોત્સવ વિધિ બાદ રથયાત્રાના રૂટનું નિરીક્ષણ કર્યું હતું. તેમની સાથે રાજ્ય પોલીસ વડા અને શહેર પોલીસ કમિશનર પણ જોડાયા હતા. પોલીસ અધિકારીઓ સાથે ગૃહ રાજ્યમંત્રીએ 16 કિમીના રૂટ પર ફૂટ પેટ્રોલિંગ કર્યું હતું. આ સાથે જ રથયાત્રા રૂટ પર સુરક્ષા વ્યવસ્થા અને પોલીસ બંદોબસ્તની સમીક્ષા કરી હતી. આ અવસરે જમાલપુર-ખાડીયાના ધારાસભ્ય ઇમરાન ખેડાવાળા સહિત મુસ્લિમ સમાજના આગેવાનો દ્વારા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીનું ફૂલહારથી સ્વાગત કરવામાં આવ્યું હતુંત્યારે હાલ તો દેશમાં બીજા નંબરની સૌથી મોટી ભગવાન જગન્નાથજીની રથયાત્રાને લઈ અમદાવાદમાં તડામાર તૈયારીઓ ચાલી રહી છે.

Read the Next Article

સુરતના એકમાત્ર “પ્લાસ્ટિક મુક્ત” અલથાણ પોલીસ સ્ટેશનનું ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે લોકાર્પણ કરાયું...

સુરત જિલ્લાના નાગરિકોને ઝડપી ન્યાય મળે અને સરળતાથી પોલીસ સેવા સુલભ બને તે માટે અલથાણ પોલીસ સ્ટેશનનું ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

New Update

નાગરિકો માટે પોલીસ સેવા સુલભ બને તેવું આયોજન

સુરતનું એકમાત્ર પ્લાસ્ટિક મુક્ત અલથાણ પોલીસ સ્ટેશન

અલથાણ પોલીસ સ્ટેશનનો લોકાર્પણ કાર્યક્રમ યોજાયો

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના વરદ હસ્તે લોકાર્પણ કરાયું

પોલીસ સ્ટેશનમાં રેઇન વોટર હારવેસ્ટિંગની વિશેષ વ્યવસ્થા

સુરત જિલ્લાના નાગરિકોને ઝડપી ન્યાય મળે અને સરળતાથી પોલીસ સેવા સુલભ બને તે માટે અલથાણ પોલીસ સ્ટેશનનું ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. અલથાણ પોલીસ સ્ટેશન સુરતનું એકમાત્ર પ્લાસ્ટિક મુક્ત પોલીસ સ્ટેશન તેમજ સોલાર પાવર સિસ્ટમથી સંચાલિત છેત્યારે આ પોલીસ સ્ટેશનમાં રેઇન વોટર હારવેસ્ટિંગની પણ વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે.

ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ અલથાણ પોલીસ સ્ટેશનનું નિરીક્ષણ કર્યું હતું. ગૃહ રાજ્યમંત્રીએ રાજ્યમાં શાંતિસુરક્ષા સલામતીના મૂળમાં ઉત્તમ કાયદો અને વ્યવસ્થા તેમજ ન્યાયની આશામાં પોલીસ સ્ટેશને આવતા ફરિયાદી તથા આમ નગારિક નિરાશ ન થાય તેમજ નાગરિકોની સમસ્યાઓફરિયાદોમાં અલથાણ પોલીસ સ્ટેશન મદદરૂપ થાય તેવી અપેક્ષા વ્યક્ત કરી હતી. આ લોકાર્પણ કાર્યક્રમમાં રાજ્ય સરકારના મંત્રી મુકેશ પટેલસંદીપ દેસાઈધારાસભ્ય સંગીતા પાટીલસુરત શહેર પોલીસ કમિશનર સહિત પોલીસ અધિકારીઓસામાજિક આગેવાનો  સહિત મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.