અમદાવાદ : 3 દાયકાથી પત્રકારત્વ ક્ષેત્રે કાર્યરત જામનગરના વરિષ્ઠ પત્રકાર જગત રાવલને “દુર્ગાધામ એવોર્ડ”થી સન્માનિત કરાયા...

આ તકે સમાજમાં ચોથી જાગીરનું બિરુદ પ્રાપ્ત કરનાર મીડિયા કર્મીઓને સન્માનિત કરવાના કાર્યક્રમમાં જામનગરના વરિષ્ઠ પત્રકાર જગત રાવલનું વિશિષ્ટ સન્માન કરવામાં આવ્યું હતું.

New Update
a

અમદાવાદના બાવળા નજીક દુર્ગાધામ ખાતે સનાતનનો શંખનાદ કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 20 હજારથી વધુ બ્રાહ્મણોની હાજરીમાં સામાજિક એકતાસાંસ્કૃતિક વિરાસત અને ધાર્મિક મૂલ્યોનો પરિચય કરાવવામાં આવ્યો હતો. આ તકે સમાજમાં ચોથી જાગીરનું બિરુદ પ્રાપ્ત કરનાર મીડિયા કર્મીઓને સન્માનિત કરવાના કાર્યક્રમમાં જામનગરના વરિષ્ઠ પત્રકાર જગત રાવલનું વિશિષ્ટ સન્માન કરવામાં આવ્યું હતું.

Advertisment

જામનગરના વરિષ્ઠ પત્રકાર જગત રાવલનું વિશિષ્ટ સન્માન કરવામાં આવ્યું

અમદાવાદના બાવળા ખાતે દુર્ગાધામમાં યોજાયેલા કાર્યક્રમમાં સંતો મહંતોરાજકીય આગેવાનો અલગ અલગ 36 જ્ઞાતિના આગેવાનો તેમજ બ્રહ્મ સમાજના ગણમાન્ય વ્યક્તિઓ ઉપસ્થિત રહ્યા હતાઆ ઉપરાંત રાજ્ય અને રાજ્ય બહારથી અંદાજે 20 હજારથી વધુ બ્રહ્મ સમાજના ભાઈ-બહેનોએ હાજરી આપી હતી. તમામ આગેવાનોની ઉપસ્થિતિમાં જામનગરમાં 30 વર્ષથી મીડિયા ક્ષેત્રે કાર્યરત વરિષ્ઠ પત્રકાર જગત રાવલને ઇલેક્ટ્રોનિક મીડિયા ક્ષેત્રે શ્રેષ્ઠ રિપોર્ટિંગ માટે દુર્ગાધામ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો.

મીડિયા ક્ષેત્રનો વિશિષ્ટ દુર્ગાધામ એવોર્ડ મેળવ્યા બાદ પત્રકાર જગત રાવલે તેમની પ્રતિક્રિયામાં જણાવ્યું હતું કે, પત્રકારે ક્યારેય પણ પક્ષકાર ન બનવું જોઈએ. તેમનું કાર્ય સમાજમાં બનેલી ઘટના અને તેના કારણોને લોકો સુધી મુકવાનું છે. આજે લોકોને તેમના પ્રશ્નો માટે અને તેમના કાર્યો લોકો સુધી પહોંચાડવામાં મીડિયાને શ્રેષ્ઠ માધ્યમ માનવામાં આવી રહ્યું છે. ઇલેક્ટ્રોનિક મીડિયા, પ્રિન્ટ મીડિયા અને સોશિયલ મીડિયાના પત્રકારો આ અંગે તેઓની મહત્તમ ફરજ બજાવી રહ્યા છે.

ત્વરિત અને સચોટ સાતત્ય પૂર્ણ સમાચારો એ પત્રકારનો ધર્મ છે. 30 વર્ષની પત્રકારત્વની યાત્રાની નોંધ લેવા માટે દુર્ગાધામ અને તેમના પ્રમુખ ભાવેશ રાજ્યગુરુ, વિશ્વાસ શુક્લ તેમજ તમામ ટીમ મેમ્બરનો પત્રકાર જગત રાવલે આભાર માન્યો છે. ઉલ્લેખનીય છે કે, જામનગરને જ 3 દાયકાથી કર્મભૂમિ બનાવનાર પત્રકાર જગત રાવલે પ્રેસ ફોટોગ્રાફરથી શરૂ કરેલી કારકિર્દી બાદ આજે તેઓ અનેક સમાચાર ચેનલનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે, અને તેમની પોતાની યુટ્યુબ ચેનલ અર્થાત ન્યૂઝના તેઓ એડિટર પણ છે.

Advertisment
Read the Next Article

સંઘપ્રદેશ દમણમાં થયેલી રૂ. 1.33 કરોડની ચોરીનો ભેદ પોલીસે ઉકેલી કાઢ્યો, દાહોદથી 3 તસ્કરોની ધરપકડ

તસ્કરોએ રાત્રે 2 વાગ્યા બાદ ઘરમાં પ્રવેશ કરી ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો. તસ્કરોએ સોનું અને 8 હજાર UK પાઉન્ડની રોકડ રકમની ચોરી કરી ફરાર થઈ ગયા હતા

New Update
  • સંઘપ્રદેશ દમણ ક્રાઇમ બ્રાન્ચ પોલીસને મળી સફળતા

  • 20 દિવસમાં જ રૂ. 1.33 કરોડની ચોરીનો ભેદ ઉકેલ્યો

  • દાહોદ ખાતેથી 3 આંતરરાજ્ય તસ્કરોની ધરપકડ કરી

  • સોનું અને 8 હજાર UK પાઉન્ડ રોકડની થઈ હતી ચોરી

  • પોલીસે 18 લાખ રૂપિયાનું 26 તોલા સોનું રિકવર કર્યું 

Advertisment

સંઘપ્રદેશ દમણ પોલીસે માત્ર 20 દિવસમાં જ મોટી દમણમાં થયેલી રૂ. 1.33 કરોડની ચોરીનો ભેદ ઉકેલી કાઢી 3 આંતરરાજ્ય તસ્કરોની ધરપકડ કરી રૂ. 18.17 લાખની કિંમતનું 261.530 ગ્રામ સોનું જપ્ત કર્યું છે.

ગત તા. 28 ફેબ્રુઆરી-2025ના રોજ સંઘપ્રદેશ દમણના મોટી દમણ વિસ્તારમાં આવેલ મંદિર શેરી વિસ્તારમાં રહેતા ઇશ્વરભાઈ ટંડેલના ઘરમાંથી ચોરી થઈ હતી. ટંડેલ પરિવાર લંડનથી ભારત આવ્યો હતોત્યારે તસ્કરોએ રાત્રે 2 વાગ્યા બાદ ઘરમાં પ્રવેશ કરી ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો. તસ્કરોએ સોનું અને 8 હજાર UK પાઉન્ડની રોકડ રકમની ચોરી કરી હતી. આ સાથે જ શ્રી રણછોડરાયજી મંદિરની દાનપેટીમાં રહેલ 20થી 25 હજારની રોકડ પર હાથફેરો કર્યો હતો. સમગ્ર મામલે દમણ ક્રાઇમ બ્રાન્ચના PSI ભરત પરમારના નેતૃત્વમાં તપાસ શરૂ કરવામાં આવી હતી.

જેમાં ટેકનિકલ એનાલિસિસ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે દાહોદથી 3 આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. ચોરીને અંજામ આપનાર મુખ્ય આરોપી ભરત મોતીલાલ પંચાલ જે 50થી વધુ ગુનાઓમાં સંડોવાયેલો છે. તે ગુજસીટોક હેઠળ સજા પણ ભોગવી ચૂક્યો છેજ્યારે અન્ય 2 આરોપીઓમાં જિજ્ઞેશ રાજુભાઈ પંચાલ અને પંકજકુમાર ઉર્ફે પુનીત ભરતભાઈ સોનીનો સમાવેશ થાય છે.

પોલીસે આરોપીઓ પાસેથી 18 લાખ રૂપિયાનું 26 તોલા સોનું પણ રિકવર કર્યું છે. હાલ સમગ્ર મામલામાં વધુ લોકો સામેલ હોય તેવું પોલીસ જણાવી રહી છેત્યારે આગામી તપાસમાં વધુ લોકોને પોલીસ દ્વારા પકડવાની હિલચાલ શરૂ કરવામાં આવી છે. દમણ પોલીસની ઝડપી કાર્યવાહીથી સ્થાનિક લોકોમાં પોલીસ પ્રત્યે વિશ્વાસ વધ્યો છે.

Advertisment
Latest Stories