અમદાવાદ : દીવાલ ધરાશાયી થતાં વાહનો દબયા, અદાણી ગેસ લાઇનમાં પણ સર્જાયું ભંગાણ

વૈષ્ણોદેવી સર્કલ નજીક દિવાલ થઈ ધરાશાયી કાટમાળ નીચે વાહનો દબાતા મચી અફરાતફરી અદાણી ગેસ લાઇનમાં પણ સર્જાયું હતું લીકેજ

New Update
અમદાવાદ : દીવાલ ધરાશાયી થતાં વાહનો દબયા, અદાણી ગેસ લાઇનમાં પણ સર્જાયું ભંગાણ

અમદાવાદ શહેરના વૈષ્ણોદેવી સર્કલ નજીકની સોસાયટીમાં દિવાલ ધસી પડતાં કાટમાળ નીચે વાહનો દબયા હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. એટલું જ નહીં અહીથી પસાર થતી અદાણી ગેસ પાઇપલાઇનમાં પણ દીવાલ ધરાશાયી થવાના કારણે લીકેજ થયું હતું.

અમદાવાદ ફાયરબ્રિગેડ પાસેથી મળતી માહિતી અનુસાર, વૈષ્ણોદેવી સર્કલ નજીકની આવેલ જાસ્મિન ગ્રીન સોસાયટીમાં દિવાલ ધસી પડતાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. દિવાલ ધસી પડવાના કારણે કાટમાળ નીચે 3થી વધુ વાહનો દબયા હતા. એટલું જ નહીં અહીથી પસાર થતી અદાણી કંપનીની ગેસ લાઇનમાં પણ લીકેજ થયું હતું. બનાવની જાણ થતાં જ ફાયરવિભાગની 5થી 6 ટીમ ઘટના સ્થળે બચાવ કાર્ય માટે આવી પહોચી હતી. તો બીજી તરફ કોઈપણ વ્યક્તિ દબાયો હોય તેવા અહેવાલ મળ્યા નથી. ફાયરબ્રિગેડની ટીમે કાટમાળ નીચે દબાયેલ વાહનોને બહાર કાઢ્યા હતા. બનાવના પગલે સ્થાનિક પોલીસ પણ ઘટનાસ્થળે દોડી આવી હતી. જોકે, કયા કારણોસર અચાનક દીવાલ ધસી પડી હતી, તે મામલે પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે.

Read the Next Article

અંકલેશ્વર: ખરોડ ગામે યુવાનની હત્યા કરનાર આરોપીની ક્રાઇમ બ્રાન્ચે કરી ધરપકડ, અગાઉ થયેલ માથાકૂટની રીસ રાખી હત્યા કરાય

અંકલેશ્વર તાલુકાના ખરોડ ગામેથી મળી આવેલ મૃતદેહના મામલામાં ચોકાવનારો ખુલાસો થયો છે પોલીસે યુવાનની હત્યા કરનાર આરોપીની ધરપકડ કરી તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

New Update

અંકલેશ્વરના ખરોડમાં મળી આવ્યો હતો મૃતદેહ

હત્યા થઈ હોવાનું આવ્યું બહાર

પોલીસે હત્યારાની કરી ધરપડક

અગાઉના ઝઘડાની રીસ રાખી કરાય હત્યા

પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી


અંકલેશ્વર તાલુકાના ખરોડ ગામેથી મળી આવેલ મૃતદેહના મામલામાં ચોકાવનારો ખુલાસો થયો છે પોલીસે યુવાનની હત્યા કરનાર આરોપીની ધરપકડ કરી તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અંકલેશ્વરના ખરોડ ગામની સીમમાં આવેલ બાકરોલ વગામાં ખેતરના શેઢા ઉપર અજાણ્યા વ્યક્તિનો મૃતદેહ વિકૃત હાલતમાં મળી આવ્યો હતો.આ બાબતે પાનોલી પોલીસે ગુનો નોંધી મૃત્યુનું કારણ જાણવા તપાસ શરૂ કરી હતી.આ તરફ ક્રાઇમ બ્રાન્ચ પણ તપાસમાં જોડાય હતી દરમ્યામ પોલીસને બાતમી મળી હતી કે આ ગુનામાં  અક્કલકુવાનો શંકર મોવરીયા વસાવા નામનો ઈસમ સંડોવાયો છે જે અંકલેશ્વર તથા પાનોલી વિસ્તારમા છુટક મજુરી કરે છે.પોલીસે હ્યુમન ઇન્ટેલીજન્સના આધારે આરોપીની ખરોડ નજીકથી ધરપકડ કરી હતી. પોલીસની પૂછપરછમાં ચોંકાવનારો ખુલાસો થયો હતો. આ મામલામાં મરણ જનાર ઇસમે થોડા દિવસ અગાઉ મારમારી 1500 રૂપિયા લૂંટી લીધા હતા જેની રીસ રાખી આરોપી શંકર વસાવાએ મૃતકને શોધી તેને મજૂરી કામ અપાવવાના બહાને ખરોડ ગામની સીમમાં લઈ ગયો હતો અને ત્યાં પથ્થરના ઘા મારી હત્યા કર્યા બાદ તેના વતન ફરાર થઇ ગયો હતો.પોલીસે આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
Latest Stories