અમદાવાદ : જામનગરમાં ગોડસેની પ્રતિમાના વિવાદમાં યુથ કોંગ્રેસ આવ્યું મેદાનમાં

મહાત્મા ગાંધીજીના ગુજરાતમાં તેમના જ હત્યારા નાથુરામ ગોડસેની પ્રતિમાની સ્થાપના કરવાથી વિવાદનો મધપુડો છંછેડાયો છે.

New Update
અમદાવાદ : જામનગરમાં ગોડસેની પ્રતિમાના વિવાદમાં યુથ કોંગ્રેસ આવ્યું મેદાનમાં

મહાત્મા ગાંધીજીના ગુજરાતમાં તેમના જ હત્યારા નાથુરામ ગોડસેની પ્રતિમાની સ્થાપના કરવાથી વિવાદનો મધપુડો છંછેડાયો છે. ગોડસેના બાવલાની સ્થાપના કરનારાઓ સામે રાજદ્રોહનો ગુનો નોંધવાની માંગ સાથે અમદાવાદમાં યુથ કોંગ્રેસના કાર્યકરો યુનિવર્સિટી પોલીસ સ્ટેશન પહોંચ્યાં હતાં...

Advertisment

જામનગરમાં સોમવારે ગાંધીજીના હત્યારા નથુરામ ગોડસેના બાવલાંનું અનાવરણ થતાં ચારેકોર વિરોધ થઈ રહ્યો છે. યુથ કોંગ્રેસે આ પ્રવૃત્તિને રાષ્ટ્ર વિરોધી ગણાવી છે. અમદાવાદ યુથ કોંગ્રેસના કાર્યકરો નાથુરામ ગોડસેનું સ્ટેચ્યુ બનાવનાર અને તેનું અનાવરણ કરનાર 4 લોકો વિરુદ્ધ રાષ્ટ્રદ્રોહ ની ફરિયાદ કરવા યુનિવર્સીટી પોલીસ સ્ટેશન ખાતે પહોંચ્યા હતાં. યુથ કોંગ્રેસના નેતા પાર્થિવરાજ સિંહ કઠવાડિયા જણાવ્યું હતું કે, ચાર લોકો દ્વારા જામનગરમાં ગોડસેનું સ્ટેચ્યુ બનાવી અનાવરણ કરવામાં આવ્યું હોવા છતાં રાજય સરકાર તરફથી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી જેથી સરકારનું પણ સમર્થન લાગી રહ્યું છે.અમે આજે અમદાવાદમાં ફરિયાદ નોંધાવવા આવ્યા છીએ. હવે અન્ય જિલ્લા અને શહેરોમાં પણ યુથ કોંગ્રેસ ફરિયાદ નોંધાવવામાં આવશે.

જામનગરમાં હિન્દુ સેના દ્વારા છેલ્લા થોડા સમયથી ગોડસેની પ્રતિમા માટે જમીનની માંગ કરવામાં આવી હતી. જોકે તેના માટે જમીન ન મળતાં હિન્દુ સેના દ્વારા હનુમાન આશ્રમ ખાતે ગોડસેની પ્રતિમા સ્થાપિત કરવામાં આવી હતી. પ્રતિમા સ્થાપિત કરવામાં આવી હોવાની જાણ થતાં જ શહેર કોંગ્રેસે એનો વિરોધ કર્યો હતો. પ્રતિમા સ્થાપિત થયાના 24 કલાકમાં જ કોંગ્રેસ દ્વારા સૂત્રોચ્ચાર સાથે એને તોડી પાડવામાં આવી હતી.

Advertisment
Read the Next Article

ભરૂચ: ઓનલાઈન ગેમિંગમાં રૂ.10 લાખ હારી જતા યુવાને વાગરામાં જવેલરી શોપમાં કરી લૂંટ, પોલીસે ગણતરીના સમયમાં જ ઝડપી પાડ્યો

ભરૂચના વાગરામાં ધોળા દિવસે જ્વેલરી શોપમાં લૂંટ કરનાર આરોપીની પોલીસે ગણતરીના સમયમાં જ ધરપકડ કરી છે.આરોપી ઓનલાઈન ગેમિંગમાં રૂપિયા 10 લાખ હારી જતા

New Update

ભરૂચના વાગરામાં બન્યો હતો ચકચારી બનાવ

Advertisment

જવેલરી શોપમાં થઈ હતી લૂંટ

જવેલર્સની આંખમાં મરચાની ભૂકી નાંખી લૂંટ ચલાવવામાં આવી હતી

પોલીસે ગણતરીના સમયમાં જ આરોપીની કરી ધરપકડ

ઓનલાઈન ગેમિંગમાં રૂપિયા હારી જતા કરી લૂંટ

ભરૂચના વાગરામાં ધોળા દિવસે જ્વેલરી શોપમાં લૂંટ કરનાર આરોપીની પોલીસે ગણતરીના સમયમાં જ ધરપકડ કરી છે.આરોપી ઓનલાઈન ગેમિંગમાં રૂપિયા 10 લાખ હારી જતા તેણે લૂંટના ગુનાને અંજામ આપ્યો હોવાનો ચોકાવનારો ખુલાસો થયો છે.
Advertisment

ભરૂચના વાગરામાં ભરચક બજાર વિસ્તારમાં આવેલ ઓમ જ્વેલર્સ નામની જ્વેલરી શોપમાં લૂંટનો ચકચારી બનાવ બન્યો હતો જેમાં બુકાનીધારી ઇસમે જ્વેલર્સની આંખમાં મરચાની ભૂકી નાખી રૂપિયા 4 લાખના દાગીનાની લૂંટ કરી ફરાર થઈ ગયો હતો.આ અંગે વાગરા પોલીસ મથકે ગુનો નોંધાયા બાદ પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો જેમાં પોલીસને ગણતરીના સમયમાં જ સફળતા મળી છે.પોલીસે લૂંટના ચક્ચારી બનાવવામાં રોઝા ટંકારીયા ગામના રાકેશ પ્રજાપતિ નામના યુવાનની ધરપકડ કરી છે અને તેની પાસેથી લૂંટમાં ગયેલ રૂ.3.65 લાખના તમામ દાગીના રિકવર કરવામાં આવ્યા છે.આ સાથે જ રૂપિયા 70 હજારની કિંમતની બાઈક પણ કબજે લેવામાં આવી છે.આ સમગ્ર બનાવના સીસીટીવી ફૂટેજ પણ બહાર આવ્યા હતા ત્યારે પોલીસે આરોપીની કડક પૂછતાછ  કરતા ચોકાવનારો ખુલાસો થયો હતો.આરોપી ઓનલાઈન સટ્ટા ગેમિંગ રમતો હોય તો જેમાં તે રૂપિયા 10 લાખ હારી જતા લૂંટ અંગેનો પ્લાન બનાવ્યો હતો અને ઓમ જ્વેલર્સ નામની દુકાનમાં ત્રાટકી લુટના ગુનાને અંજામ આપ્યો હતો જોકે હાલ આરોપીએ જેલના સળીયા ગણવાનો વારો આવ્યો છે

Advertisment
Latest Stories