સરદાર સરોવર નર્મદા ડેમના તમામ દરવાજા બંધ, ડેમની જળસપાટી 138.57 મીટર

ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમના 11 ઓગસ્ટ બાદ પ્રથમ વાર તમામ દરવાજા બંધ કરવામાં આવ્યા છેમ નર્મદા ડેમની જળ સપાટી 138.57 મીટરે પહોંચી છે

New Update

ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમ

ડેમના તમામ દરવાજા બંધ કરાયા

ડેમની જળ સપાટી 138.57 મીટર

ઉપરવાસમાંથી આવકમાં ઘટાડો

ડેમમાં 2 વર્ષ સુધી ચાલે એટલું પાણી

ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમના 11 ઓગસ્ટ બાદ પ્રથમ વાર તમામ દરવાજા બંધ કરવામાં આવ્યા છેમ નર્મદા ડેમની જળ સપાટી 138.57 મીટરે પહોંચી છે
ઉપરવાસમાં વરસેલા ભારે વરસાદના પગલે ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમમાં વિપુલમાત્રામાં પાણીની આવક થઈ હતી જેના પગલે ડેમ તેની મહત્તમ સપાટી 138.68 મીટરે પહોંચ્યો હતો ત્યારે ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે નર્મદાના નીરના વધામણા પણ કર્યા હતા જોકે હવે ઉપરવાસમાંથી પાણીની આવકમાં ઘટાડો થઈ રહ્યો છે. ઉપરવાસમાંથી નર્મદા ડેમમાં માત્ર 2984 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે જેની સામે 45000 ક્યુસેક પાણીની જાવક છે ત્યારે  નર્મદા ડેમની જળ સપાટીમાં ઘટાડો નોંધાયો છે. ડેમની જળ સપાટી 138.57 મીટરે પહોંચી છે.11 મી ઓગસ્ટ બાદ પ્રથમ વખત નર્મદા ડેમના તમામ દરવાજા બંધ કરવામાં આવ્યા છે.સરદાર સરોવર નર્મદા ડેમ 100 ટકા સુધી ભરાઈ જતા આગામી બે વર્ષ સુધી પીવા અને સિંચાઈના પાણી માટે ગુજરાતવાસીઓને તંગી નહીં પડે ત્યારે નર્મદા ડેમ સાચા અર્થમાં ગુજરાતની દીવા દોરી સાબિત થયો છે
Read the Next Article

ભરૂચ જિલ્લા પંચાયત ડ્રાઇવર એસોસિએશન દ્વારા નિવૃત ડ્રાઇવરો માટે સન્માન સમારોહ યોજાયો...

ભરૂચ જિલ્લાના પંચાયત સભાખંડ ખાતે જિલ્લા પંચાયત ડ્રાઇવર એસોસિએશન દ્વારા નિવૃત ડ્રાઇવરો માટે સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું.

New Update
  • જિલ્લા પંચાયત સભાખંડ ખાતે યોજાયો વિશેષ કાર્યક્રમ

  • જિલ્લા પંચાયત ડ્રાઇવર એસોસિએશન દ્વારા આયોજન

  • નિવૃત ડ્રાઇવરો માટે સન્માન સમારોહનું આયોજન કરાયું

  • ડ્રાઇવર એસોસિએશનના અધ્યક્ષ રહ્યા વિશેષ ઉપસ્થિત

  • સરકાર સમક્ષ ડ્રાઇવર વર્ગની સમસ્યા રજૂ કરવાનો ઉદ્દેશ્ય

ભરૂચ જિલ્લાના પંચાયત સભાખંડ ખાતે જિલ્લા પંચાયત ડ્રાઇવર એસોસિએશન દ્વારા નિવૃત ડ્રાઇવરો માટે સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું.

ભરૂચ જિલ્લાના પંચાયત સભાખંડમાં જિલ્લા પંચાયત ડ્રાઇવર એસોસિએશન દ્વારા વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની શરૂઆતમાં અવસાન પામેલા ડ્રાઇવરોના સ્મરણાર્થે 2 મિનિટનું મૌન પાળવામાં આવ્યું હતું. ત્યારબાદ ભરૂચ જિલ્લા પંચાયત ડ્રાઇવર એસોસિએશનના અધ્યક્ષ કનુ વાળંદ અને ભુપેન્દ્ર પરમારની આગેવાની હેઠળ નિવૃત ડ્રાઇવરો માટે સન્માન સમારોહ યોજાયો હતો. આ સાથે જ ડ્રાઇવર કેડરના ઘટતા પ્રમાણ અને તેની પરિસ્થિતિ અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.

આ પ્રસંગે મુખ્ય અતિથિ બેચર રાઠોડે જણાવ્યું હતું કે, “નિવૃત થયેલા ડ્રાઇવરોને સરકાર તરફથી મળતી રિટાયરમેન્ટ સ્કીમના તમામ હકો સમયસર અને યોગ્ય રીતે મળી રહે તે જરૂરી છે. જેથી તેમનું જીવન સુખમય બની રહે.” આ કાર્યક્રમનો ઉદ્દેશ માત્ર સન્માન નથી. પરંતુ રાજ્ય સરકાર અને તંત્ર સમક્ષ ડ્રાઇવર વર્ગની જરૂરિયાતો અને સમસ્યાઓ રજૂ કરવાનો પણ હતો.