સરદાર સરોવર નર્મદા ડેમના તમામ દરવાજા બંધ, ડેમની જળસપાટી 138.57 મીટર

ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમના 11 ઓગસ્ટ બાદ પ્રથમ વાર તમામ દરવાજા બંધ કરવામાં આવ્યા છેમ નર્મદા ડેમની જળ સપાટી 138.57 મીટરે પહોંચી છે

New Update

ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમ

ડેમના તમામ દરવાજા બંધ કરાયા

ડેમની જળ સપાટી 138.57 મીટર

ઉપરવાસમાંથી આવકમાં ઘટાડો

ડેમમાં 2 વર્ષ સુધી ચાલે એટલું પાણી

ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમના 11 ઓગસ્ટ બાદ પ્રથમ વાર તમામ દરવાજા બંધ કરવામાં આવ્યા છેમ નર્મદા ડેમની જળ સપાટી 138.57 મીટરે પહોંચી છે
ઉપરવાસમાં વરસેલા ભારે વરસાદના પગલે ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમમાં વિપુલમાત્રામાં પાણીની આવક થઈ હતી જેના પગલે ડેમ તેની મહત્તમ સપાટી 138.68 મીટરે પહોંચ્યો હતો ત્યારે ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે નર્મદાના નીરના વધામણા પણ કર્યા હતા જોકે હવે ઉપરવાસમાંથી પાણીની આવકમાં ઘટાડો થઈ રહ્યો છે. ઉપરવાસમાંથી નર્મદા ડેમમાં માત્ર 2984 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે જેની સામે 45000 ક્યુસેક પાણીની જાવક છે ત્યારે  નર્મદા ડેમની જળ સપાટીમાં ઘટાડો નોંધાયો છે. ડેમની જળ સપાટી 138.57 મીટરે પહોંચી છે.11 મી ઓગસ્ટ બાદ પ્રથમ વખત નર્મદા ડેમના તમામ દરવાજા બંધ કરવામાં આવ્યા છે.સરદાર સરોવર નર્મદા ડેમ 100 ટકા સુધી ભરાઈ જતા આગામી બે વર્ષ સુધી પીવા અને સિંચાઈના પાણી માટે ગુજરાતવાસીઓને તંગી નહીં પડે ત્યારે નર્મદા ડેમ સાચા અર્થમાં ગુજરાતની દીવા દોરી સાબિત થયો છે
Latest Stories