અમરેલી : સાવરકુંડલાના ભેસાણીયા ડેમમાં ન્હાવા માટે ગયેલા 2 બાળકોનું પાણીમાં ડૂબી જતાં મોત...

ભેસાણીયા ડેમમાં 2 બાળકો ન્હાવા ગયા હતા. આ દરમ્યાન કોઈ કારણોસર બન્ને બાળકો પાણીમાં ગરકાવ થયા હતા. જેના પગલે બન્ને બાળકોનું પાણીમાં ડૂબી જતાં મોત નીપજ્યું

New Update
  • સાવરકુંડલાના લીલાપીર-ભેસાણીયા ડેમની ઘટના

  • ભેસાણીયા ડેમમાં ન્હાવા માટે ગયા હતા 2 બાળકો

  • પાણીમાં ડૂબી જતાં બન્ને બાળકોનું કરૂણ મોત થયું

  • ફાયર ફાઇટરોએ મૃતકોને પાણીમાંથી બહાર કાઢ્યા

  • પોલીસે અકસ્માતે મોત નોંધી કાર્યવાહી હાથ ધરી 

અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના લીલાપીર નજીક આવેલ ભેસાણીયા ડેમમાં ન્હાવા માટે ગયેલા 2 બાળકોનું પાણીમાં ડૂબી જતાં મોત નીપજ્યું હતું. મળતી માહિતી અનુસારઅમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના લીલાપીર નજીક ભેસાણીયા ડેમમાં 2 બાળકો ન્હાવા ગયા હતા. આ દરમ્યાન કોઈ કારણોસર બન્ને બાળકો પાણીમાં ગરકાવ થયા હતા. જેના પગલે બન્ને બાળકોનું પાણીમાં ડૂબી જતાં મોત નીપજ્યું હતું. બનાવની જાણ થતાં જ સાવરકુંડલા ફાયર વિભાગના ફાયર ફાઇટરોએ ઘટનાસ્થળે પહોંચી મૃત બાળકોને પાણીમાંથી બહાર કાઢ્યા હતા. ત્યારબાદ બન્ને મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે સાવરકુંડલા સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

તો બીજી તરફપોલીસે અકસ્માતે 2 બાળકોના મોતનો ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. અત્રે ઉલ્લેખનીય છે કેઆ બન્ને બાળકો ઘરેથી કોઈને કહ્યા વિના ન્હાવા માટે ભેસાણીયા ડેમ ખાતે ગયા હતા. જેમાં સાવરકુંડલાની ગીતાંજલી સોસાયટીમાં રહેતા 11 વર્ષીય મંત્ર રાજદીપભાઈ મસરાણી અને 16 વર્ષીય કુણાલ અશ્વિનભાઈ સોલંકી હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. જોકેએક સાથે 2 બાળકોને કાળ ભરખી જતાં સાવરકુંડલા પંથકમાં શોકની લાગણી પ્રસરી જવા પામી હતી.

Read the Next Article

ભરૂચ : આમોદમાં નેશનલ હાઇવે 64 ખખડધજ બનતા વાહનચાલકો પરેશાન,વરસાદી પાણીની જમાવટથી ખાબોચિયા છલકાયા

 ભરૂચ જિલ્લાના આમોદથી પસાર થતા નેશનલ હાઇવે 64 ખખડધજ રોડને લઈને ટ્રાફિક જામ સર્જાય રહ્યો છે.અને ખાડાઓમાં વરસાદના કારણે પાણી ભરાતા ખાબોચિયા છલકાયા છે

New Update

આમોદમાં ખખડધજ હાઇવેથી લોકો પરેશાન

વરસાદના કારણે હાઇવે પર ખાડાનું સામ્રાજ્ય

હાઇવે પર ખાડામાં પાણી ભરાતા ખાબોચિયા છલકાય

સગર્ભા મહિલાને પ્રસૂતિમાં પણ પડી મુશ્કેલી

સમારકામ માટે વાહન ચાલકોમાં ઉઠી માંગ

 ભરૂચ જિલ્લાના આમોદથી પસાર થતા નેશનલ હાઇવે 64 ખખડધજ રોડને લઈને ટ્રાફિક જામ સર્જાય રહ્યો છે.અને ખાડાઓમાં વરસાદના કારણે પાણી ભરાતા ખાબોચિયા છલકાયા છે. સર્જાયેલ પરિસ્થિતિને કારણે રાહદારીઓહાઇવેને અડીને આવેલા રહેણાંક વિસ્તારો અને દુકાનદારો સહિત લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે.

ભરૂચ જિલ્લાના આમોદ નેશનલ હાઇવે 64 વરસાદમાં અત્યંત બિસ્માર બની ગયો છે.જેના કારણે આમોદ નગરની ગર્ભવતી મહિલાની તબિયત લથડતા અને અસહ્ય પેટમાં દુખાવો ઉપડતા પરિવારજનો દ્વારા આમોદથી જંબુસર હોસ્પિટલ લઈ જવા માટે વાહન લઈને  નીકળ્યા હતા,પરંતુ ખખડધજ અને મસમોટા ખાડાઓ અને ટ્રાફિકને લઈ હોસ્પિટલની સારવાર મળતા પહેલા જ હાઇવે પર જ ખાડાઓના સામ્રાજ્યને લઈને અસહ્ય પીડાઓ સાથે ડીલેવરી થઈ ગઈ હતી. પરિવારના મોભીએ હાઇવે વહીવટી તંત્રની સામે રોષ વ્યક્ત કર્યો હતો.

આ ઉપરાંત વાહનચાલકો પણ ખરાબ રસ્તા મુદ્દે રોષ વ્યક્ત કરી રહ્યા છે.મોસમના પહેલા વરસાદમાં જ હાઇવે ગાયબ થઈ ગયો છે.અને મસમોટા કમરતોડ ખાડાઓનું સામ્રાજ્ય ઉભું થતા કોન્ટ્રાક્ટર અને તંત્રની ગંભીર બેદરકારીની અને ભ્રષ્ટાચારની પોલની ચાડી ખાતા દ્રશ્યોનું નિર્માણ થવા પામ્યું છે. વહેલી તકે ભ્રષ્ટાચાર મુક્ત હાઇવેનું પેચિંગવર્ક કરવામાં આવે એવી લોકમાંગ ઉઠવા પામી છે.