અમરેલી: ૭ નિરાધાર બાળકોએ કરી ચાર્ટડ પ્લેનની મુસાફરી, ૧૨૦૦૦ ફૂટ ઊંચાઈએ કેક કાપી જન્મ દિવસની કરી ઉજવણી

New Update
અમરેલી: ૭ નિરાધાર બાળકોએ કરી ચાર્ટડ પ્લેનની મુસાફરી, ૧૨૦૦૦ ફૂટ ઊંચાઈએ કેક કાપી જન્મ દિવસની કરી ઉજવણી

નિરાધાર બાળકોએ કરી ચાર્ટડ પ્લેનની મુસાફરી

૧૨૦૦૦ ફૂટ ઊંચાઈએ કેક કાપી

જય કાથરોટીયાએ દાખવ્યો નવતર અભિગમ

નિરાધાર બાળકો થયા અભિભૂત

અમરેલીના યુવાન જય કાથરોટીયાએ ૭ નિરાધાર બાળકો માટે ચાર્ટર્ડ પ્લેન બુક કરી બાળકોને હવાઈ મુસાફરી કરાવી જન્મદિવસની અનોખી ઉજવણી કરી હતી

અમરેલીની ડો. કલામ ઇનોવેટીવ સ્કૂલના યંગ ડાયરેકટર તરીકે ફરજ બજાવતા જય કાથરોટીયાએ જન્મદિવસની ઉજવણી કરવા માટે અનાથ તેમજ બહેરા મુંગા નિરાધાર બાળકો માટે ચાર્ટડ પ્લેન બુક કરાવ્યું હતું. નિરાધાર બાળકો સાથે પ્લેનમાં ૧૨૦૦૦ ફૂટ ઊંચાઈએ કેક કાપીને અનોખી ઉજવણી કરી હતી.પાર્ટીઓ પાછળ હજારોના ખોટા ખર્ચા કરતા લોકો માટે જયભાઈએ કરેલ આ ઉજવણી પ્રેરણારૂપ છે. આ ઉજવણી બાબતે જણાવતા જયભાઈ એ કહ્યું કે આજથી ૨૫ વર્ષ પહેલા મારા માતા-પિતા આ શહેરની અંદર એક સામાન્ય છકડો રિક્ષામાં સામાન લઈને આવ્યા હતા. તેમના પ્રામાણિક પુરુષાર્થને લીધે કુદરતની એવી કૃપા થઈ અને આપણે ચાર્ટર્ડ પ્લેન બુક કરવા સક્ષમ બન્યા હતા.આપણા પર થયેલ કુદરતની આ કૃપાને આ નિરાધાર બાળકો સાથે વહેંચીએ તે જ આ સફળતાની સાચી સાર્થકતા છે બાળકો માટે આ અનુભવ અવિસ્મરણીય રહયો હતો. ચાર્ટડ પ્લેન બુક કરવામાં કાવેરી ગોળના માલિક નાસીરભાઈ ટાંકે મહત્વની ભૂમિકા ભજવી હતી.  

Read the Next Article

આદિપુરથી અંજાર તરફ જતાં રોડ પર કિશોરી પર દુસ્કર્મ કરવાના બનાવમાં બે આરોપીઓની કરાઇ ધરપકડ

આદિપુર પોલીસના જણાવ્યા મુજબ, તા. ૨૬/૬ના સાંજના ૭:૩૦થી ૭:૪૫ વાગ્યાના અરસામાં અંજાર પંથકમાં રહેતી કિશોરી એક કિશોર સાથે મોપેડ પર શનિદેવ મંદિરથી શિણાય તરફ જતા હતા. 

New Update
aadipur

આદિપુર પોલીસના જણાવ્યા મુજબ, તા. ૨૬/૬ના સાંજના ૭:૩૦થી ૭:૪૫ વાગ્યાના અરસામાં અંજાર પંથકમાં રહેતી કિશોરી એક કિશોર સાથે મોપેડ પર શનિદેવ મંદિરથી શિણાય તરફ જતા હતા.  ત્યારે રસ્તામાં બે અજાણ્યા ઇસમોએ તેને આંતરીને પોલીસ સ્ટેશનમાં લઈ જવાની ધમકી આપી હતી.

બાદ, તેમાંથી એક આરોપી પોલીસ સ્ટેશનમાં લઈ જવાના બહાને કિશોરીને મોપેડમાં બેસાડી અપહરણ કરી, રસ્તામાં કોઇ ટેકરા જેવી જગ્યાએ લઈ ગયો હતો.જ્યાં દુસ્કર્મ આચરવામાં આવ્યુ હતુ ઘટના બાદ પીડિતાએ પરિવારજનોને જાણ કરતાં પરિવારે હિંમત દાખવી પોલીસ ફરિયાદ નોંધાવવાનો નિર્ણય કરતાં ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી હતી. આ બનાવમાં મહેશ ઉર્ફે ડાભલો  મોતીભાઈ કોલી, સંદીપભાઈ ઘનશ્યામગર ગુસાઈ ની ધરપકડ કરવામાં આવી છે.