અમરેલી : સગાઈ પ્રસંગે રબારીકા ગામેથી નીકળેલા દેવીપૂજક પરિવારના વાહનને નડ્યો અકસ્માત, 20થી વધુ લોકોને ઇજા…

ખડાધાર ગામ નજીક અચાનક પિકઅપ વાનનો ગુડકો તૂટી જતા અકસ્માત સર્જાયો હતો. આ દરમ્યાન ખાંભા-ઉના રોડ ચિચિયારીઓથી ગુંજી ઉઠ્યો આકસ્માતમાં 20થી વધુ લોકોને ઇજાગ્રસ્ત થયા

New Update
  • ખાંભા-ઉના રોડ પર પિકઅપ વાનને નડ્યો અકસ્માત

  • સગાઈ પ્રસંગે નીકળેલા પરિવારને નડ્યો અકસ્માત

  • ગુડકો તૂટી જતાં પિકઅપ વાન રોડની ખાડીમાં ઉતર્યું

  • પિકઅપ વાનમાં સવાર 20થી વધુ મુસાફરોને ઇજાઓ

  • તમામ ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા

અમરેલી જિલ્લાના ખાંભા-ઉના રોડ પર પિકઅપ વાનને અકસ્માત નડતાં 20થી વધુ મુસાફરોને ઇજાઓ પહોચતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. મળતી માહિતી અનુસારઅમરેલી જિલ્લાના ખાંભા-ઉના રોડ પર પિકઅપ વાનને અકસ્માત નડ્યો હતો. જેમાં ખાંભા તાલુકાના રબારીકા ગામેથી સગાઈના પ્રસંગ અર્થે દેવીપૂજક પરિવાર સહિતના સભ્યો અને મિત્રજનો પિકઅપ વાનમાં સવાર થઈ આવી રહ્યા હતા.

તે દરમ્યાન ખડાધાર ગામ નજીક અચાનક પિકઅપ વાનનો ગુડકો તૂટી જતા અકસ્માત સર્જાયો હતો. આ દરમ્યાન ખાંભા-ઉના રોડ ચિચિયારીઓથી ગુંજી ઉઠ્યો હતો. અકસ્માત એટલો ભયંકર હતો કેપિકઅપ વાનમાં સવાર 30 પૈકી 20થી 25 જેટલા મુસાફરોને નાની-મોટી ઇજાઓ પહોચી હતીત્યારે તમામ ઇજાગ્રસ્તોને ખાંભા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતાજ્યારે 10 જેટલા ઇજાગ્રસ્તોને વધુ સારવારની જરૂર જણાતા અમરેલી ખાતે ખસેડવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે.

Read the Next Article

નર્મદા : ગુજરાત વિધાનસભાની ખાતરી સમિતિ સ્ટેચ્યુ ઓફ યુનિટી એકતાનગરની લીધી મુલાકાત

ગુજરાત વિધાનસભા સચિવાલય દ્વારા રચાયેલી ખાતરી સમિતિએ 10મી, જુલાઈના રોજ સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસરની મુલાકાત લીધી હતી,અને સરદાર વલ્લભાઇ પટેલની ભવ્ય પ્રતિમા નિહાળીને મંત્રમુગ્ધ બન્યા હતા.

New Update

ખાતરી સમિતિSOUની મુલાકાતે

સભ્યોએ લીધીSOUની મુલાકાત

સરદાર સાહેબની પ્રતિમાના કર્યા દર્શન

ભવ્ય પ્રતિમા નિહાળીને મંત્રમુગ્ધ બન્યા

આ પ્રસંગે પીએમ મોદીનો માન્યો આભાર

ગુજરાત વિધાનસભા સચિવાલય દ્વારા રચાયેલી ખાતરી સમિતિએ 10મીજુલાઈના રોજ સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસરની મુલાકાત લીધી હતી,અને સરદાર વલ્લભાઇ પટેલની ભવ્ય પ્રતિમા નિહાળીને મંત્રમુગ્ધ બન્યા હતા.

ગુજરાત વિધાનસભા સચિવાલય દ્વારા રચાયેલી ખાતરી સમિતિના પ્રમુખ કિરીટસિંહ રાણાની આગેવાની હેઠળ સમિતિના સભ્ય કિરીટકુમાર પટેલ,સુખાજી ઠાકોર હાર્દિક પટેલકિરીટસિંહ ડાભી અને ભગા બારડે સ્ટેચ્યુ ઓફ યુનિટી (SOU) પરિસરની મુલાકાત લીધી હતી.સભ્યોએ લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 182 મીટર ઉંચી આ ભવ્ય પ્રતિમાની સમક્ષ ઊભા રહીને ગૌરવની લાગણી અનુભવી હતી. આ પ્રસંગે તેમણે સરદાર સાહેબના વિચારો અને દેશની એકતા અને અખંડિતતા માટે આપેલ બહુમૂલ્ય યોગદાનને યાદ કરીને પ્રતિમાના દર્શન કરીને ભાવવંદના કરી હતી.

આ પ્રસંગે સમિતીના સભ્ય હાર્દિક પટેલે જણાવ્યુ કેસ્ટેચ્યુ ઓફ યુનિટી માત્ર પ્રતિમા નથી પણ ભારત દેશના સ્વાભિમાનનું સ્થાન છેસરદાર પટેલનો શ્રેષ્ઠ ભારતનો સંકલ્પ સ્ટેચ્યુ ઓફ યુનિટીના માધ્યમથી સમગ્ર ભારતમાં પ્રસર્યો છે. સ્ટેચ્યુ ઓફ યુનિટીના પ્રદર્શનમાં સરદાર પટેલે કરેલા સંઘર્ષની હકીકત બતાવવાનો પ્રયાસ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કર્યો છે. 

ખાતરી સમિતીના સભ્ય કિરીટ પટેલે પોતાના પ્રતિભાવ વ્યક્ત કરતા જણાવ્યું કેઆજે સમિતિના ચેરમેન અને સભ્યો સાથે મુલાકાત કરીસૌથી પહેલા સુંદર પ્રતિમા બનાવવાનો વિચાર વડાપ્રધાન નરેન્દ્ર  મોદીને આવ્યોતેમને અભિનંદન આપું છુઆજે વિશ્વસ્તરે સુંદર મૂર્તિ તેઓએ બનાવી છે. લોખંડી પુરુષ સરદાર પટેલે સમગ્ર ભારતને એક તાંતણે જોડયો હતોતેમનું યોગદાન લોકોના દિલ અને દિમાગમાં રહે તે માટે પ્રદર્શન કક્ષમાં સુંદર વ્યવસ્થા કરી છે તેમને અભિનંદન આપુ છે અને ખાસ કરીને જે લોકોને આ વિચાર આવ્યો હોય તેમનો આભાર માનું છુ.