અમરેલી : સગાઈ પ્રસંગે રબારીકા ગામેથી નીકળેલા દેવીપૂજક પરિવારના વાહનને નડ્યો અકસ્માત, 20થી વધુ લોકોને ઇજા…

ખડાધાર ગામ નજીક અચાનક પિકઅપ વાનનો ગુડકો તૂટી જતા અકસ્માત સર્જાયો હતો. આ દરમ્યાન ખાંભા-ઉના રોડ ચિચિયારીઓથી ગુંજી ઉઠ્યો આકસ્માતમાં 20થી વધુ લોકોને ઇજાગ્રસ્ત થયા

New Update
  • ખાંભા-ઉના રોડ પર પિકઅપ વાનને નડ્યો અકસ્માત

  • સગાઈ પ્રસંગે નીકળેલા પરિવારને નડ્યો અકસ્માત

  • ગુડકો તૂટી જતાં પિકઅપ વાન રોડની ખાડીમાં ઉતર્યું

  • પિકઅપ વાનમાં સવાર 20થી વધુ મુસાફરોને ઇજાઓ

  • તમામ ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા

Advertisment

અમરેલી જિલ્લાના ખાંભા-ઉના રોડ પર પિકઅપ વાનને અકસ્માત નડતાં 20થી વધુ મુસાફરોને ઇજાઓ પહોચતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. મળતી માહિતી અનુસારઅમરેલી જિલ્લાના ખાંભા-ઉના રોડ પર પિકઅપ વાનને અકસ્માત નડ્યો હતો. જેમાં ખાંભા તાલુકાના રબારીકા ગામેથી સગાઈના પ્રસંગ અર્થે દેવીપૂજક પરિવાર સહિતના સભ્યો અને મિત્રજનો પિકઅપ વાનમાં સવાર થઈ આવી રહ્યા હતા.

તે દરમ્યાન ખડાધાર ગામ નજીક અચાનક પિકઅપ વાનનો ગુડકો તૂટી જતા અકસ્માત સર્જાયો હતો. આ દરમ્યાન ખાંભા-ઉના રોડ ચિચિયારીઓથી ગુંજી ઉઠ્યો હતો. અકસ્માત એટલો ભયંકર હતો કેપિકઅપ વાનમાં સવાર 30 પૈકી 20થી 25 જેટલા મુસાફરોને નાની-મોટી ઇજાઓ પહોચી હતીત્યારે તમામ ઇજાગ્રસ્તોને ખાંભા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતાજ્યારે 10 જેટલા ઇજાગ્રસ્તોને વધુ સારવારની જરૂર જણાતા અમરેલી ખાતે ખસેડવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે.

Advertisment
Read the Next Article

સંઘપ્રદેશ દમણમાં થયેલી રૂ. 1.33 કરોડની ચોરીનો ભેદ પોલીસે ઉકેલી કાઢ્યો, દાહોદથી 3 તસ્કરોની ધરપકડ

તસ્કરોએ રાત્રે 2 વાગ્યા બાદ ઘરમાં પ્રવેશ કરી ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો. તસ્કરોએ સોનું અને 8 હજાર UK પાઉન્ડની રોકડ રકમની ચોરી કરી ફરાર થઈ ગયા હતા

New Update
  • સંઘપ્રદેશ દમણ ક્રાઇમ બ્રાન્ચ પોલીસને મળી સફળતા

  • 20 દિવસમાં જ રૂ. 1.33 કરોડની ચોરીનો ભેદ ઉકેલ્યો

  • દાહોદ ખાતેથી 3 આંતરરાજ્ય તસ્કરોની ધરપકડ કરી

  • સોનું અને 8 હજાર UK પાઉન્ડ રોકડની થઈ હતી ચોરી

  • પોલીસે 18 લાખ રૂપિયાનું 26 તોલા સોનું રિકવર કર્યું 

Advertisment

સંઘપ્રદેશ દમણ પોલીસે માત્ર 20 દિવસમાં જ મોટી દમણમાં થયેલી રૂ. 1.33 કરોડની ચોરીનો ભેદ ઉકેલી કાઢી 3 આંતરરાજ્ય તસ્કરોની ધરપકડ કરી રૂ. 18.17 લાખની કિંમતનું 261.530 ગ્રામ સોનું જપ્ત કર્યું છે.

ગત તા. 28 ફેબ્રુઆરી-2025ના રોજ સંઘપ્રદેશ દમણના મોટી દમણ વિસ્તારમાં આવેલ મંદિર શેરી વિસ્તારમાં રહેતા ઇશ્વરભાઈ ટંડેલના ઘરમાંથી ચોરી થઈ હતી. ટંડેલ પરિવાર લંડનથી ભારત આવ્યો હતોત્યારે તસ્કરોએ રાત્રે 2 વાગ્યા બાદ ઘરમાં પ્રવેશ કરી ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો. તસ્કરોએ સોનું અને 8 હજાર UK પાઉન્ડની રોકડ રકમની ચોરી કરી હતી. આ સાથે જ શ્રી રણછોડરાયજી મંદિરની દાનપેટીમાં રહેલ 20થી 25 હજારની રોકડ પર હાથફેરો કર્યો હતો. સમગ્ર મામલે દમણ ક્રાઇમ બ્રાન્ચના PSI ભરત પરમારના નેતૃત્વમાં તપાસ શરૂ કરવામાં આવી હતી.

જેમાં ટેકનિકલ એનાલિસિસ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે દાહોદથી 3 આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. ચોરીને અંજામ આપનાર મુખ્ય આરોપી ભરત મોતીલાલ પંચાલ જે 50થી વધુ ગુનાઓમાં સંડોવાયેલો છે. તે ગુજસીટોક હેઠળ સજા પણ ભોગવી ચૂક્યો છેજ્યારે અન્ય 2 આરોપીઓમાં જિજ્ઞેશ રાજુભાઈ પંચાલ અને પંકજકુમાર ઉર્ફે પુનીત ભરતભાઈ સોનીનો સમાવેશ થાય છે.

પોલીસે આરોપીઓ પાસેથી 18 લાખ રૂપિયાનું 26 તોલા સોનું પણ રિકવર કર્યું છે. હાલ સમગ્ર મામલામાં વધુ લોકો સામેલ હોય તેવું પોલીસ જણાવી રહી છેત્યારે આગામી તપાસમાં વધુ લોકોને પોલીસ દ્વારા પકડવાની હિલચાલ શરૂ કરવામાં આવી છે. દમણ પોલીસની ઝડપી કાર્યવાહીથી સ્થાનિક લોકોમાં પોલીસ પ્રત્યે વિશ્વાસ વધ્યો છે.

Advertisment