અમરેલી : ઉમેદવાર તરીકે ભરત સુતરીયા જાહેર થયા બાદ ભાજપમાં ભડકો, મુખ્યમંત્રી આવ્યા ડેમેજ કંટ્રોલ કરવા

લોકસભાની ચૂંટણી નજીક આવી રહી તેમ રાજકીય પાર્ટીઓ પૂરજોશમાં તૈયારીમાં લાગી ગઈ છે, ત્યારે અમરેલીના આંગણે રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ પધાર્યા હતા.

New Update
અમરેલી : ઉમેદવાર તરીકે ભરત સુતરીયા જાહેર થયા બાદ ભાજપમાં ભડકો, મુખ્યમંત્રી આવ્યા ડેમેજ કંટ્રોલ કરવા

અમરેલી લોકસભા બેઠક પર ઉમેદવાર તરીકે ભરત સુતરીયા જાહેર થયા બાદ ભાજપમાં ભડકો હતો, ત્યારે ખુદ રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ ડેમેજ કંટ્રોલ કરવા અમરેલી આવી પહોચ્યા હતા.

લોકસભાની ચૂંટણી નજીક આવી રહી તેમ રાજકીય પાર્ટીઓ પૂરજોશમાં તૈયારીમાં લાગી ગઈ છે, ત્યારે અમરેલીના આંગણે રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ પધાર્યા હતા.અમરેલી લોકસભા બેઠક પર ઉમેદવાર તરીકે ભરત સુતરીયા જાહેર થયા બાદ ભાજપમાં ભડકો હતો. લોકસભાની ચૂંટણીને લઈને ડેમેજ કંટ્રોલ કરવા ખુદ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અમરેલી ખાતે આવી પહોચ્યા હતા. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે સૌપ્રથમ અમરેલીમાં અસંતુષ્ઠ નેતાઓ સાથે બેઠક યોજી હતી. ત્યારબાદ ભાજપના વરિષ્ઠ આગેવાનો અને કાર્યકરોને સંબોધન કર્યું હતું. આ સાથે જ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે આગામી લોકસભાની ચૂંટણીમાં ખભેથી ખભો મિલાવી કામે લાગી જવા ભાજપના કાર્યકરોને ટકોર કરી હતી.

Read the Next Article

અંકલેશ્વર: તંત્રએ કર્યું બુદ્ધિનું પ્રદર્શન, પીલુદ્રા ગામે વરસતા વરસાદ વચ્ચે કરી RCC રોડની કામગીરી

અંકલેશ્વરના ગ્રામ્ય વિસ્તારમાં તંત્રએ બુદ્ધિનું પ્રદર્શન કર્યું હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે.અંકલેશ્વર તાલુકાના પીલુદરા ગામ ખાતે છેલ્લા કેટલાક સમયથી આરસીસી

New Update
Screenshot_2025-07-30-07-26-48-21_92460851df6f172a4592fca41cc2d2e6

અંકલેશ્વર તાલુકાના પીલુદરા ગામમાં ચાલુ વરસાદે આરસીસી રોડનું કામ ચાલુ હોવાનો વિડીયો વાયરલ થયો છે.

અંકલેશ્વરના ગ્રામ્ય વિસ્તારમાં તંત્રએ બુદ્ધિનું પ્રદર્શન કર્યું હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે.અંકલેશ્વર તાલુકાના પીલુદરા ગામ ખાતે છેલ્લા કેટલાક સમયથી આરસીસી રોડની કામગીરી ચાલી રહી છે ત્યારે ગતરોજ વરસતા વરસાદ વચ્ચે પણ આ રોડની કામગીરી ચાલુ જ રાખવામાં આવી હતી જેના પગલે કામની ગુણવત્તા સામે અનેક સવાલો ઉભાગ થયા છે. વરસતા વરસાદ વચ્ચે આરસીસી રોડનું કામ ચાલુ હોય તેવા વિડિયો પણ વાયરલ થયા છે. વરસતા વરસાદ વચ્ચે આ કામગીરી કરાતા તેની ગુણવત્તા સામે પણ સવાલ ઊભા થયા છે.પાણી વચ્ચે કરાયેલી કામગીરી કેટલા સમય ટકશે તે પ્રશ્ન ઉઠી રહ્યા છે ત્યારે માર્ગ અને મકાન વિભાગ દ્વારા આ બાબતે જરૂરી કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી છે
Latest Stories