અમરેલી : સાવરકુંડલા મામલતદાર કચેરીમાં હલ્કી ગુણવતા વાળો રસ્તો બનતો હોવાના જાગૃત નાગરિકના આક્ષેપથી ખળભળાટ

અમરેલી જિલ્લાના સાવરકુંડલાની મામલતદાર કચેરીમાં 40 લાખના પીસીસી રોડમાં અતિ નિમ્ન કક્ષાની કામગીરી કરવામાં આવી હોવાની ફરિયાદ ઉઠી છે. મામલતદારે તપાસના આપ્યા આદેશ   

New Update
  • મામલતદાર કચેરીમાં જ ભ્રષ્ટાચાર

  • જાગૃત નાગરિકે કર્યા આક્ષેપ

  • પીસીસીના કામમાં ગોબાચારીના આક્ષેપ

  • રેતી સાથે મોટા પ્રમાણમાં માટીની ભેળસેળ

  • મામલતદારે તપાસના આપ્યા આદેશ  

અમરેલી જિલ્લાના સાવરકુંડલા મામલતદાર કચેરીમાં પીસીસી રોડ બનાવવાની કામગીરી ચાલી રહી છે,જોકે રસ્તો બનાવવામાં હલ્કી ગુણવત્તાનાં મટીરીયલનો ઉપયોગ કરવામાં આવી રહ્યો હોવાના આક્ષેપ જાગૃત નાગરિકે કર્યો છે.

અમરેલી જિલ્લાના સાવરકુંડલાની મામલતદાર કચેરીમાં 40 લાખના પીસીસી રોડમાં અતિ નિમ્ન કક્ષાની કામગીરી કરવામાં આવી હોવાની ફરિયાદ ઉઠી છે.રેતીમાં માટી ભેળવીને પીસીસી કામગીરીનો લગભગ 90 ટકા માર્ગ પણ બની ગયો હતો,સીમરન ગામના જાગૃત નાગરિક ભરત ચોડવડિયા મામલતદાર કચેરીમાં પોતાના કોઈ કામ અર્થે આવ્યા હતા.

ત્યારે તેઓનું ધ્યાન આ કામગીરી પર ગયું હતું,અને તેમને મામલતદાર નું પણ ધ્યાન દોર્યું હતું.તેઓએ જણાવ્યું હતું કે મામલતદાર કચેરીમાં જે પીસીસીની કામીગીરી થઇ રહી છે,તેમાં રેતીમાં માટી વધુ પ્રમાણમાં ભેળવવામાં આવી હોવાનું જણાવ્યું હતું. ત્યારે મામલતદાર પણ સ્તબ્ધ થઈ ગયા હતા અને તાત્કાલિક આર.એન્ડ બી.ના અધિકારીને બોલાવીને હલ્કી કક્ષાની કામગીરી અટકાવી દીધી હતી.

મામલતદાર કચેરીમાં જ આવી હલ્કી ગુણવત્તાના કામોમાં રેતીમાં માટી ભેળવીને માર્ગ બનાવવામાં આવ્યો છે. અને હવે કામગીરી બંધ કરવામાં આવી છે,ત્યારે પ્રજાના ટેક્સના પૈસાનું પાણી વિકાસની આંધળી દોટમાં આંધણ થઈ રહ્યું હોવાની સ્પષ્ટ પ્રતીતિ જોવા મળી હતી.આર.એન્ડ બી.ના કર્મચારીએ અધિકારી હાજર ન હોવાથી પોતે આવ્યા હોવાનું જણાવ્યું હતું અને કામગીરી બંધ કરાવી હોવાનું જણાવ્યું હતું.

સાવરકુંડલાની મામલતદાર કચેરીમાં રોડના પીસીસી કામમાં નબળી ગુણવત્તાની કામગીરીમાં રેતી સાથે માટી ભેળવીને થતી પીસીસીની કામગીરી અટકાવી છે.ત્યારે મામલતદાર જે.એન.પંડ્યાએ તપાસ કરવાના આદેશ આપ્યા હતા.

Read the Next Article

ભરૂચ: સ્તંભેશ્વર મહાદેવ પર 225 ભક્તોએ કર્યો જળાભિષેક, પાદરાથી 53 કી.મી.નું અંતર પગપાળા કાપી પહોંચ્યા કંબોઈ

ભરૂચના જંબુસર સ્થિત સ્તંભેશ્વર મહાદેવ મંદિર ખાતે માતૃત્વ ટ્રસ્ટ દ્વારા ત્રીજા વર્ષે કાવડ યાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વડોદરાના પાદરાથી 225 જેટલા ભક્તોએ 53 કી.મી.નું

New Update

જીવનો શિવ સાથે મિલન કરાવતો પવિત્ર શ્રાવણ માસ

ભક્તો મહાદેવની ભક્તિમાં બન્યા લીન

પાદરાથી કાવડયાત્રાનું કરાયુ આયોજન

53 કી.મી.નું અંતર કાપી પહોંચ્યા કંબોઈ

મહાદેવ પર જળાભિષેક કરાયો

ભરૂચના જંબુસર સ્થિત સ્તંભેશ્વર મહાદેવ મંદિર ખાતે માતૃત્વ ટ્રસ્ટ દ્વારા ત્રીજા વર્ષે કાવડ યાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વડોદરાના પાદરાથી 225 જેટલા ભક્તોએ 53 કી.મી.નું અંતર પગપાળા કાપી શિવજી પર જળાભિષેક કર્યો હતો
પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે ભક્તિભર્યો માહોલ જોવા મળ્યો હતો જ્યારે ભરૂચના જંબુસર તાલુકામાં આવેલ કંબોઈ સ્થિત સ્તંભેશ્વર મહાદેવ મંદિર ખાતે માતૃત્વ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ત્રીજા વર્ષ પણ કાવડ યાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.આ વર્ષે કાવડ યાત્રાનો પ્રારંભ પાદરાથી કરવામાં આવ્યો હતો. કુલ 225 ભક્તોએ લગભગ 53 કિલોમીટરનું અંતર કાપીને ડી.જે.ના ભક્તિમય સંગીત અને બમ બમ ભોલે ના નાદ સાથે યાત્રા પૂર્ણ કરી હતી. યાત્રાના અંતે કાવડિયાઓ કલકત્તાની હુબલી નદીનું ગંગાજળ લાવીને સ્તંભેશ્વર મહાદેવના પાવન શિવલિંગ પર અભિષેક કર્યો હતો.