અમરેલી: ઇકો સેન્સેટિવ ઝોન મામલે લોકોને ગેરમાર્ગે ન દોરાવવા અપીલ,પ્રેસ કોન્ફરન્સ દ્વારા અપાય માહિતી

ગીર પંથકમાં ઇકો સેન્સરટીવ ઝોન મામલે થઈ રહેલા વિરોધ વચ્ચે વન વિભાગે પ્રેસ કોન્ફરન્સ યોજી લોકોને ગેરમાર્ગે ન દોરાવા અપીલ કરી હતી

New Update

ગીર પંથકમાં ઇકો સેન્સેટિવ ઝોનનો વિરોધ

અનેક ગામોમાં વિરોધ નોંધાવાયો

વન વિભાગ દ્વારા યોજાય પ્રેસ કોન્ફરન્સ

લોકોને ગેરમાર્ગે ન દોરાવા કરાય અપીલ

લોકોને માહિતી આપવાનો પ્રયાસ

ગીર પંથકમાં ઇકો સેન્સરટીવ ઝોન મામલે થઈ રહેલા વિરોધ વચ્ચે વન વિભાગે પ્રેસ કોન્ફરન્સ યોજી લોકોને ગેરમાર્ગે ન દોરાવા અપીલ કરી હતી
ઈકો સેંસીટીવ ઝોન મામલે ગીરના ગામડામાં ઉઠતા વિરોધ વચ્ચે ધારી ગીર પૂર્વ વનવિભાગ દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજીને સમગ્ર વિગતો ધારી ગીરના ડી.સી.એફ. રાજદીપસિંહ ઝાલા દ્વારા આપવામાં આવી હતી. તેઓ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે ઇકો સેંસીટીવ ઝોન છેલ્લા 10 વર્ષથી ચાલુ છે ને હાલ માત્ર નામદાર સુપ્રીમ કોર્ટ ની ગાઈડલાઈન મુજબ નોટિફીકેશન બહાર પડ્યું છે. 60 દિવસમાં  ગામડાઓમાં અવરોધ હોય તો તે રજૂઆત કરી શકે છે પણ ઇકો સેંસીટીવ ઝોનથી જે લોકોમાં ગેરસમજ ફેલાયેલ છે તેને દૂર કરવા અમરેલી જિલ્લાની મીડીયા સમક્ષ પ્રેસ કોન્ફરન્સ કરીને કોઈ ખેતીના કામોમાં, મકાન બાંધકામમાં કે અન્ય  રસ્તાઓ બનાવવામાં  વનવિભાગની પરવાનગી રહેતી નથીમ ખોટી ગેરસમજણમાં ના ભરમાવવા માટે ધારી વનવિભાગના ડી.સી.એફ. રાજદીપસિંહ ઝાલાએ અનુરોધ કર્યો હતો
Read the Next Article

ભરૂચ: ખાણ-ખનીજ વિભાગનો સપાટો, 7 દિવસમાં ખનીજ માફિયાઓના 8 વાહનો મળી રૂ.1.90 કરોડનો.મુદ્દામાલ કર્યો જપ્ત

ભરૂચ જિલ્લા વહીવટીતંત્રના માર્ગદર્શન હેઠળ ભરૂચ જિલ્લામાં ખનીજનું બિનઅધિકૃત વહન સદંતર બંધ રહે, ખનીજ ચોરી અટકે તે ઉદ્દેશથી સરપ્રાઇઝ ચેકીંગ અને ગેરકાયદેસર ખનન

New Update
MixCollage-16-Jun-2025-09-09-PM-1828

ભરૂચ જિલ્લા વહીવટીતંત્રના માર્ગદર્શન હેઠળ ભરૂચ જિલ્લામાં ખનીજનું બિનઅધિકૃત વહન સદંતર બંધ રહે, ખનીજ ચોરી અટકે તે ઉદ્દેશથી સરપ્રાઇઝ ચેકીંગ અને ગેરકાયદેસર ખનન અને ખનીજનું બિનઅધિકૃત વહનની પ્રવૃતિ મળી આવ્યે થી કાયદેસરની કાર્યવાહી સતત કરવામાં આવી રહી છે.

જે અંતર્ગત ભુસ્તરશાસ્ત્રી  સુચના અન્વયે ભુસ્તરવિજ્ઞાન અને ખનીજ કચેરી ભરૂચની ક્ષેત્રિય તપાસ ટીમ દ્વારા તા.૦૯ થી ૧૫ જુન ૨૦૨૫નાં દિવસ દરમ્યાન ભરૂચ જીલ્લાના અલગ- અલગ સ્થળોએ આકસ્મિક તપાસ કરી હતી. આ તપાસ દરમ્યાન વાગરા તાલુકાના પંખાજણ, ભરૂચ તાલુકાના ઝાડેશ્વર અને ઝઘડીયા તાલુકાના રાજપારડી- ઝધડીયા ખાતે કરવામાં આવેલી તપાસ દરમ્યાન બ્લેક્ટ્રેપ, સાદી રેતી અને સાદી માટી ખનીજના બિનઅધિકૃત વહન કરતાં કુલ ૮ વાહનોને સીઝ કરી કુલ-૧.૯૦કરોડનો મુદ્દામાલ જપ્ત કરી જીલ્લા સેવાસદન,ઝધડિયા પોલીસ સ્ટેશન, રાજપારડી પોલીસ સ્ટેશન અને વાગરા પોલીસ સ્ટેશન ખાતે મુદ્દામાલ જપ્ત કરી રાખવામાં આવ્યો છે.