અમરેલી: ઇકો સેન્સેટિવ ઝોન મામલે લોકોને ગેરમાર્ગે ન દોરાવવા અપીલ,પ્રેસ કોન્ફરન્સ દ્વારા અપાય માહિતી

ગીર પંથકમાં ઇકો સેન્સરટીવ ઝોન મામલે થઈ રહેલા વિરોધ વચ્ચે વન વિભાગે પ્રેસ કોન્ફરન્સ યોજી લોકોને ગેરમાર્ગે ન દોરાવા અપીલ કરી હતી

New Update

ગીર પંથકમાં ઇકો સેન્સેટિવ ઝોનનો વિરોધ

Advertisment

અનેક ગામોમાં વિરોધ નોંધાવાયો

વન વિભાગ દ્વારા યોજાય પ્રેસ કોન્ફરન્સ

લોકોને ગેરમાર્ગે ન દોરાવા કરાય અપીલ

લોકોને માહિતી આપવાનો પ્રયાસ

ગીર પંથકમાં ઇકો સેન્સરટીવ ઝોન મામલે થઈ રહેલા વિરોધ વચ્ચે વન વિભાગે પ્રેસ કોન્ફરન્સ યોજી લોકોને ગેરમાર્ગે ન દોરાવા અપીલ કરી હતી
Advertisment
ઈકો સેંસીટીવ ઝોન મામલે ગીરના ગામડામાં ઉઠતા વિરોધ વચ્ચે ધારી ગીર પૂર્વ વનવિભાગ દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજીને સમગ્ર વિગતો ધારી ગીરના ડી.સી.એફ. રાજદીપસિંહ ઝાલા દ્વારા આપવામાં આવી હતી. તેઓ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે ઇકો સેંસીટીવ ઝોન છેલ્લા 10 વર્ષથી ચાલુ છે ને હાલ માત્ર નામદાર સુપ્રીમ કોર્ટ ની ગાઈડલાઈન મુજબ નોટિફીકેશન બહાર પડ્યું છે. 60 દિવસમાં  ગામડાઓમાં અવરોધ હોય તો તે રજૂઆત કરી શકે છે પણ ઇકો સેંસીટીવ ઝોનથી જે લોકોમાં ગેરસમજ ફેલાયેલ છે તેને દૂર કરવા અમરેલી જિલ્લાની મીડીયા સમક્ષ પ્રેસ કોન્ફરન્સ કરીને કોઈ ખેતીના કામોમાં, મકાન બાંધકામમાં કે અન્ય  રસ્તાઓ બનાવવામાં  વનવિભાગની પરવાનગી રહેતી નથીમ ખોટી ગેરસમજણમાં ના ભરમાવવા માટે ધારી વનવિભાગના ડી.સી.એફ. રાજદીપસિંહ ઝાલાએ અનુરોધ કર્યો હતો
Advertisment
Read the Next Article

બેસ્ટ એનિમલ લાઇફ સેવર નેશનલ એવોર્ડ સમારોહ-હૈદરાબાદમાં ગુજરાતની કરુણા એમ્બ્યુલન્સ સેવાની નોંધ લેવાય...

ગુજરાત સરકારના પશુપાલન વિભાગ દ્વારા "1962-કરુણા એમ્બ્યુલન્સ સેવા"નો શુભારંભ કરવામાં આવ્યો હતો. આ સેવા હેઠળ પશુપાલકોને ઘરે બેઠા પશુના ઈલાજની સુવિધા મળે છે

New Update
  • પશુપાલકો માટે કરુણા એમ્બ્યુલન્સ બની સેવા આશાનું કિરણ

  • પોતાના પશુઓના ઈલાજ માટે પશુપાલકોને મોટી રાહત મળી

  • 1962 પર ફોન કરી એમ્બ્યુલન્સને ઘરે બોલાવે છે પશુપાલકો

  • અનેક પશુપાલકોએ રાજ્ય સરકારની ઉત્તમ સેવાનો લાભ લીધો 

Advertisment

 ગુજરાતના પશુપાલકો માટે કરુણા એમ્બ્યુલન્સ સેવા આશાનું કિરણ બની રહી છે. હવે પશુપાલકો પોતાના પશુઓના ઈલાજ માટે 1962 પર માત્ર ફોન કરીને એમ્બ્યુલન્સને ઘરે બોલાવે છેત્યારે અનેક પશુપાલકો પણ રાજ્ય સરકારની આ ઉત્તમ સેવાનો વિશેષ લાભ લઈ રહ્યા છે.

ઓક્ટોબર-2017ના રોજ ગુજરાત સરકારના પશુપાલન વિભાગ દ્વારા "1962-કરુણા એમ્બ્યુલન્સ સેવા"નો શુભારંભ કરવામાં આવ્યો હતો. આ સેવા હેઠળ પશુપાલકોને ઘરે બેઠા પશુના ઈલાજની સુવિધા મળે છે. આજદિન સુધી હજારો પશુપાલકો આ સેવાનો લાભ લઈ ચુક્યા છે.

નવસારી જિલ્લાના વાસંદા તાલુકાના પશુપાલક ગુલાબ મગનના વાછરડાને નાભિમાં ઘા હતો. તેને ચાલવામાં તકલીફ પડતી હતી. તેથી તેને હોસ્પિટલે લઈ જવાનું કામ કપરું હતું. આ સંજોગોમાં તેમના માટે કરુણા એમ્બ્યુલન્સ સેવા ઉપયોગી બની. તેઓએ 1962 પર ફોન કરતાં જ માત્ર 15થી 20 મિનિટમાં એમ્બ્યુલન્સ તેઓના ઘર આંગણે આવી હતીજ્યાં નિષ્ણાંત પશુચિકિત્સકે વાછરડાની સમયસર સારવાર કરી હતી.

જોકેઆ મોબાઇલ એમ્બ્યુલન્સ આધુનિક સુવિધાઓથી સજ્જ છે. તેમાં પશુઓના ઓપરેશનથી માંડીને ગંભીર રોગોની સારવાર કરવામાં આવે છે. દરેક એમ્બ્યુલન્સમાં એક વેટરનરી ઓફિસર અને ડ્રેસર હાજર રહે છે. સમગ્ર ગુજરાતમાં હાલ 623 એમ્બ્યુલન્સ કાર્યરત છે. જેમાંથી 586 એમ્બ્યુલન્સ ગ્રામીણ વિસ્તારોમાં અને 37 એમ્બ્યુલન્સ શહેરી વિસ્તારોમાં પશુઓની સારવાર સેવામાં રહે છે.

હૈદરાબાદમાં યોજાયેલા બેસ્ટ એનિમલ લાઇફ સેવર નેશનલ એવોર્ડ સમારોહમાં ગુજરાતની આ સેવાની નોંધ લેવામાં આવી હતી. નવસારી જિલ્લાની મોબાઇલ એનિમલ ટીમને બેસ્ટ એનિમલ લાઇફ સેવર નેશનલ એવોર્ડ એનાયત થયો હતો. આમઆજે શ્વેતક્રાંતિ માટે જાણીતા ગુજરાતની આ સેવા રાષ્ટ્રીય સ્તરે પ્રશંસાપાત્ર બની છે.

Advertisment