અમરેલી : મુખ્યમંત્રીએ લાઠીના આંગણે નિર્માણધીન જળ સંચય યોજનાના કામોનું નિરીક્ષણ કર્યું...

અમરેલી જિલ્લાના લાઠી ખાતે જળ સંચયના કામોની સમીક્ષા અને પરીક્ષણ કરવા રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ પહોંચ્યા હતા.

New Update
અમરેલી : મુખ્યમંત્રીએ લાઠીના આંગણે નિર્માણધીન જળ સંચય યોજનાના કામોનું નિરીક્ષણ કર્યું...

રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અમરેલી જિલ્લાના લાઠીના આંગણે નિર્માણધીન સરોવર અને જળ સંચયના કામોના નિરીક્ષણ કરવા પધાર્યા હતા, જ્યાં લાઠીના અલગ સરોવરનું નિરીક્ષણ કરીને મુખ્યમંત્રીએ કામગીરીની સરાહના કરી હતી.

અમરેલી જિલ્લાના લાઠી ખાતે જળ સંચયના કામોની સમીક્ષા અને પરીક્ષણ કરવા રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ પહોંચ્યા હતા. અમદાવાદથી અમરેલી અને અમરેલીથી મોટર માર્ગે લાઠી પહોંચીને ધનજીબાપા સરોવર ખાતે સરોવરનું નિરીક્ષણ કર્યું હતું. લાઠીના ગાગડીયા નદી પર નિર્માણધીન સરોવરની કામગીરીઓ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે નિહાળી હતી. લાઠીમાં નવા નિર્માણ પામેલા જળ સંગ્રહના કામો જોઈ મુખ્યમંત્રી અભિભૂત થયા હતા.

લાઠીના દેવળીયા ખાતે ગાગડીયો નદી પર જળ સંચયના કામોનું પણ મુખ્યમંત્રીએ પરીક્ષણ કર્યું હતું. લાઠીના દુધાળામાં હેતની હવેલી ખાતે મુખ્યમંત્રી પહોંચ્યા હતા, જ્યાં લાઠીના દુધાળા સહિતના 20 જેટલા ગામડાઓ માટે આશીર્વાદ સમાન સરોવરનું ઉદ્યોગપતિ સવજી ધોળકિયાએ સ્વખર્ચે નિર્માણ કરાવી લાઠી-લીલીયાના ગામડાઓની ખેતીને નંદનવન કરવાનો ભગીરથ પ્રયાસ કર્યો છે. આ સતહ જ મુખ્યમંત્રીએ લાઠી-લીલીયાના 73 ગામડાઓ માટેના નેત્રયજ્ઞ રથનું લીલી ઝંડી બતાવીને પ્રસ્થાન કરાવ્યું હતું.

Read the Next Article

ભરૂચ: ગ્રામપંચાયતોની ચૂંટણીનો ધમધમાટ, ચૂંટણી નિરીક્ષક એન.એન.માધુની અધ્યક્ષતામાં કલેકટર કચેરીમાં બેઠક યોજાય

ચૂંટણી નિરીક્ષક એન.એન.માધુના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરી ભરૂચ ખાતે મિંટીંગ યોજાઈ હતી.ચૂંટણીની આદર્શ આચાર સંહિતાનું ચુસ્તપણે પાલન કરવાની અપીલ કરી

New Update
ચૂંટણી કામગીરી
ભરૂચ જિલ્લામાં ગ્રામ પંચાયતોની સામાન્ય/ મધ્યમસત્ર પેટા ચૂંટણી કામે ચૂંટણીલક્ષી જુદી જુદી કામગીરી માટે નિમણૂંક થયેલા જિલ્લા કક્ષાના નોડલ અધિકારીઓ સાથે ચૂંટણી નિરીક્ષક એન.એન.માધુના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરી ભરૂચ ખાતે મિંટીંગ યોજાઈ હતી.ચૂંટણીની આદર્શ આચાર સંહિતાનું ચુસ્તપણે પાલન કરવાની અપીલ કરી હતી. ચૂંટણી સંદર્ભે ગ્રામ્ય વિસ્તારોની સ્થાનિક પરિસ્થિતિનો પૂરતો તાગ મેળવીને કાર્ય આયોજન હાથ ધરવાની પણ જિલ્લા ચૂંટણી અધિકારીએ સૂચના આપી હતી.
આ બેઠક દરમિયાન અધિક જિલ્લા ચૂંટણી અધિકારી અને નિવાસી અધિક કલેક્ટર  એન.આર.ધાધલે બેઠકનું સંચાલન કરતાં અગત્યના મુદાઓ જેવા કે, કાયદો અને વ્યવસ્થા તથા પોલીસ બંદોબસ્ત, મેન પાવર, તાલીમ, વાહન વ્યવસ્થા, RO અને ARO ની નિયુક્તિ, મતપત્રકો અને પ્રતિકોની ફાળવણી, મતપત્રો છપામણી કામગીરી તેમજ છાપકામ બાદ રદ/ ખરાબ થયેલા મતપત્રો નાશ કરવા અંગેની કામગીરી, પોલીંગ સ્ટાફ, મતગણતરી સ્ટાફને તાલીમ,મતદાન મથકો પર પ્રાથમિક સુવિધા, સ્ટ્રોંગરૂમ તથા કાઉન્ટીંગ હોલ, ચૂંટણીખર્ચના હિસાબોની ચકાસણી, વાહન ફાળવણી, ચૂંટણીના સ્ટાફને ટપાલ મતપત્રો આપવા અને આદર્શ આચાર સંહિતાના જેવા મુદ્દે વિસ્તૃત ચર્ચા હાથ ધરી હતી.