અમરેલી: ઇકો સેન્સેટિવ ઝોન મુદ્દે કોંગ્રેસ દ્વારા સંવાદ કાર્યક્રમ યોજાયો

અમરેલી જિલ્લાના ધારી ખાતે કોંગ્રેસ દ્વારા ઇકો સેન્સિટીવ ઝોન મુદ્દે સંવાદ કાર્યક્રમ યોજાયો હતો જેમાં મોટી સંખ્યામાં ખેડૂતો જોડાયા હતા

New Update

અમરેલી જિલ્લામાં કોંગ્રેસનું આયોજન

કોંગ્રેસ દ્વારા સંવાદ કાર્યક્રમ યોજાયો

ઇકોસેન્સેટિવ ઝોન મુદ્દે સંવાદ કાર્યક્રમ

કોંગ્રેસ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલ રહ્યા ઉપસ્થિત

ઇકો સેન્સેટિવ ઝોનનો કર્યો વિરોધ

અમરેલી જિલ્લાના ધારી ખાતે કોંગ્રેસ દ્વારા ઇકો સેન્સિટીવ ઝોન મુદ્દે સંવાદ કાર્યક્રમ યોજાયો હતો જેમાં મોટી સંખ્યામાં ખેડૂતો જોડાયા હતા
અમરેલી, ગીર સોમનાથ અને જુનાગઢ જિલ્લાના 196 ગામોનો ઇકો સેન્સેટીવ ઝોનમા સમાવેશ કરાયો હોય આ મુદે ધારીમા કોંગ્રેસ દ્વારા ખેડૂતો સાથે સંવાદ કાર્યક્રમ યોજાયો હતો. કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ શકિતસિંહ ગોહિલ,પરેશભાઇ ધાનાણી, પ્રતાપ દુધાત, પાલ આંબલીયા સહિતના નેતાઓ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યાં હતા. શકિતસિંહ ગોહિલે જણાવ્યુ હતુ કે આ વિસ્તારમા ખેડૂતો, ખેત મજુરો, માલધારીઓ સિંહોનુ સંવર્ધન કરે છે અને એટલે જ સિંહોની સંખ્યામા વધારો થઇ રહ્યો છે. આવા સંજોગોમા આવા કાયદાની જરૂર નથી.અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અને પૂર્વ ધારાસભ્ય પ્રતાપ દુધાતે અમરેલી જિલ્લાના 72 ગામડાઓમાં  મતદાન કરવાની પદ્ધતિ અમલીકરણ કરવાની જાહેર મંચ પરથી વાત કરી હતી
Read the Next Article

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બનાસકાંઠાના નડાબેટમાં સરહદના સંત્રીઓ BSF જવાનો સાથે કર્યો સંવાદ

બનાસકાંઠા જિલ્લાને વિવિધ વિકાસકામોની ભેટ આપવા સુઈ ગામની મુલાકાત દરમિયાન મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે નડાબેટ બોર્ડર સિક્યોરિટી ફોર્સના જવાનો અને અધિકારીઓને મળીને તેમની સાથે સંવાદ ગોષ્ઠી કર્યા હતા.

New Update

CM ભુપેન્દ્ર પટેલે નડા બેટની લીધી મુલાકાત

CMBSFના જવાનો સાથે કર્યો સંવાદ

આ પ્રસંગેCMએ વિકાસકાર્યોની આપી ભેટ

BSF માટે મીઠા પાણીની સુવિધાનો પ્રારંભ

CMએ સમા દર્શનના કાર્યને બિરદાવ્યું

બનાસકાંઠા જિલ્લાને વિવિધ વિકાસકામોની ભેટ આપવા સુઈ ગામની મુલાકાત દરમિયાન મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે નડાબેટ બોર્ડર સિક્યોરિટી ફોર્સના જવાનો અને અધિકારીઓને મળીને તેમની સાથે સંવાદ ગોષ્ઠી કર્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર  મોદીના મક્કમ નિર્ધારણને પગલે ઓપરેશન સિંદુરની જ્વલંત સફળતામાંBSF અને સેનાના જવાનોના શૌર્યસભર યોગદાન માટે તેમણે જવાનોને અભિનંદન પાઠવ્યા હતા.રાજ્ય સરકારે નડાબેટ ખાતે શરૂ કરેલા સીમા દર્શનને પરિણામેBSFને નજીકથી જાણવાની લોકોને તક મળી છે અને લાખો પ્રવાસીઓ સીમા દર્શન અન્વયે બોર્ડર ટુરિઝમને વેગ આપે છે. એમ પણ તેમણે ઉમેર્યું હતું.

BSFના આઈ.જી.અભિષેક પાઠકે રાજ્ય સરકારે નડાબેટ સહિતના સરહદી વિસ્તારોમાંBSF માટે મીઠા પાણીની સુવિધા અને અન્ય ઇન્ફ્રાસ્ટ્રક્ચરની કરેલી વ્યવસ્થા માટે આભાર વ્યક્ત કર્યોહતો.

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને આ પ્રસંગેBSF જવાનોએ ગાર્ડ ઓફ ઓનર આપ્યું હતું અને સ્મૃતિ ચિન્હ અર્પણ કર્યું હતું.આ મુલાકાતમાં વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી અને ઉદ્યોગ મંત્રી  બળવંતસિંહ રાજપૂત પણ જોડાયા હતા.