અમરેલી : કાળઝાળ ગરમીમાં પાણીથી વંચિત વનરાજના વલખાં, દયનીય વિડિયો સામે આવતા સિંહપ્રેમીઓમાં નારાજગી..

સિંહનો પાણી માટે વલખા મારતો વિડીયો સામે આવ્યો છે. પાણી માટે સિંહ નદીના પટ્ટમાં ખાડો ખોદીને પાણી શોધવાનો પ્રયત્ન કરી રહ્યો છે.

New Update
અમરેલી : કાળઝાળ ગરમીમાં પાણીથી વંચિત વનરાજના વલખાં, દયનીય વિડિયો સામે આવતા સિંહપ્રેમીઓમાં નારાજગી..

કાળઝાળ ઉનાળાની ગરમીમાં પાણીથી વંચિત વનરાજ

પાણી વિના ત્રાહિમામ પોકારી ઉઠેલ જંગલના રાજા સિંહ

પાણી માટે વલખાં મારતા સિંહનો દયનીય વિડિયો વાયરલ

વન તંત્રની સિંહો માટે પાણીની અવ્યવસ્થાઓ સામે સવાલ

સિંહનો દયનીય વિડિયો વાયરલ સિંહપ્રેમીઓમાં નારાજગી

અમરેલી જીલ્લામાં કાળઝાળ ઉનાળાની ગરમીથી ત્રાહિમામ પોકારી ઉઠેલા જંગલના રાજા સિંહનો દયનીય હાલતમાં વિડિયો વાયરલ થયો છે.અમરેલી જીલ્લામાં સાવરકુંડલા તાલુકાના ઘોબા ગામની મેરામણ નદી કાંઠે પાણી વિના રજળપાટ કરતાં સિંહનો વિડિયો સામે આવ્યો છે. આમ તો વન તંત્ર દ્વારા ઉનાળાના પ્રારંભે જંગલ તેમજ વાડી વિસ્તારમાં વન્ય પ્રાણીઓ માટે પીવાના પાણીની વ્યાસથા કરવામાં આવે છે.

Advertisment

પરંતુ જંગલના રાજા સિંહનો પાણી માટે વલખા મારતો વિડીયો સામે આવ્યો છે. પાણી માટે સિંહ નદીના પટ્ટમાં ખાડો ખોદીને પાણી શોધવાનો પ્રયત્ન કરી રહ્યો છે. આ સાથે જ મેરામણ નદીમાં ખાડો ગાળીને સિંહનો ગરમીથી બચવાનો પ્રયત્ન કરી રહ્યો છે. શેત્રુજી ડિવિઝન તળેના ઘોબા પંથકમાં સિંહોનું સામ્રાજ્ય છતાં વન તંત્રની સિંહો માટે પાણીની અવ્યવસ્થાઓ સામે સિંહપ્રેમીઓમાં નારાજગી જોવા મળી છે.

Read the Next Article

વલસાડ : દાદરાનગર હવેલીમાં સામૂહિક આપઘાતની આશંકા, પિતા અને બે બાળકોના મૃતદેહ મળતા ચકચાર

દાદરા નગર હવેલીના સામરવણી ગામમાં મૂળ મહારાષ્ટ્રીયન પરિવારના ત્રણ સભ્યોના મૃતદેહ મળી આવ્યા છે. ઘરમાંથી પિતા અને તેમના બે બાળકોના મૃતદેહ મળી આવ્યા

New Update
  • સામુહિક આપઘાતની ઘટનાથી ચકચાર

  • પિતા અને બે બાળકોના મળ્યા મૃતદેહ

  • પરિવારના ત્રણ સભ્યોના મોતથી ચકચાર

  • પોલીસ તપાસમાં સુસાઈડ નોટ મળી આવી 

  • આપઘાત પાછળનું કારણ જાણવા કવાયત  

Advertisment

દાદરા નગર હવેલીના સામરવણી ગામમાં એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છેજેમાં એક જ પરિવારના ત્રણ સભ્યોના મૃતદેહ મળી આવતા ચકચાર મચી ગઈ છે. ઘરમાંથી પિતા અને તેમના બે બાળકોના મૃતદેહ મળી આવ્યા છેજેને પગલે સામૂહિક આપઘાતની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.

દાદરા નગર હવેલીના સામરવણી ગામમાં મૂળ મહારાષ્ટ્રીયન પરિવારના ત્રણ સભ્યોના મૃતદેહ મળી આવ્યા છે. ઘરમાંથી પિતા અને તેમના બે બાળકોના મૃતદેહ મળી આવ્યા છેજેને પગલે સામૂહિક આપઘાતની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી.પોલીસ તપાસમાં સ્થળ પરથી એક સુસાઇડ નોટ પણ મળી છે. આ સુસાઇડ નોટ મૃત્યુ પાછળના કારણો પર પ્રકાશ પાડી શકે છે. હાલ પોલીસે મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા છે.

પોલીસના જણાવ્યા અનુસારપોસ્ટમોર્ટમ રિપોર્ટ અને સુસાઇડ નોટની તપાસ બાદ જ આ ઘટના સામૂહિક આપઘાત છે કે કોઈ અન્ય કારણથી મૃત્યુ થયું છેતે અંગેની હકીકત બહાર આવશે. હાલ પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.

Latest Stories