અમરેલી: આંબરડી સફારી પાર્ક બન્યું પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર

અમરેલી જિલ્લામાં ધારી નજીક આવેલા આંબરડી સફારી પાર્ક પર્યટકો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે.દિવાળી વેકેશનમાં પ્રવાસીઓ માટે સિંહ સહિતના પ્રાણીઓને પ્રત્યક્ષ જોવાનો  આનંદ પ્રવાસીઓ ઉઠાવી રહ્યા છે.

New Update

અમરેલી જિલ્લામાં ધારી નજીક આવેલા આંબરડી સફારી પાર્ક પર્યટકો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે.દિવાળી વેકેશનમાં પ્રવાસીઓ માટે સિંહ સહિતના પ્રાણીઓને પ્રત્યક્ષ જોવાનો  આનંદ પ્રવાસીઓ ઉઠાવી રહ્યા છે.

Advertisment

દિવાળી વેકેશનમાં આપણા ગુજરાત રાજ્યના લોકો સૌ થી વધુ પરિવાર સાથે બહાર નીકળતા હોય છે.ત્યારે સૌરાષ્ટ્રમાં આવેલ સફારી પાર્કમાં સિંહ દર્શન કરવા માટે લોકો ખૂબ મોટી સંખ્યામાં આવી રહ્યા છે.સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાત ઉત્તર ગુજરાત અને અન્ય રાજ્ય રાજસ્થાન,મધ્યપ્રદેશ આસપાસના રાજ્ય માંથી પ્રવાસીઓની ભીડ જામી રહી છે.

લોકો પરિવાર સાથે વેકેશનની મજા માણવા અમરેલીના આંબરડી સફારી પાર્કમાં સિંહ દર્શન કરવા માટે ઉમટી પડ્યા છે.અહી વનવિભાગ  દ્વારા દિવાળી વેકેશનને લઇ વિશેષ વ્યવસ્થાઓ  કરવામાં આવી છે.ત્યારે પર્યટકો આ સફારી પાર્કમાં સિંહ દર્શન સહિતનો લ્હાવો લઈ ખુશ ખુશાલ જોવા મળી રહ્યા છે,

આંબરડી સફારી પાર્કમાં દિવાળી વેકેશનમાં લોકો પરિવાર સાથે આવી રહ્યા છે અહીં સેલ્ફી પોઇન્ટ છે.અને આંબરડી સફારી પાર્કમાં એક સિંહ યુગલ સિંહબાળ સાથેનું સ્ટેચ્યુ સૌથી મોટું મુકવામાં આવ્યું છે.જે સફારી પાર્કમાં આકર્ષણનું કેન્દ્ર છે,લોકો દૂર દૂરથી આ સ્ટેચ્યુ જોવા માટે આવી રહ્યા છે અને સેલ્ફી લઈ રહ્યા છે અને બાળકો પરિવારો ખૂબ મોટી સંખ્યામાં આનંદ માણવા માટે અહીં આવી રહ્યા છે.

Advertisment
Read the Next Article

ભાવનગર : કમોસમી વરસાદ અને ડુંગળીનાં ભાવ તળિયે જતા ધરતીપુત્રોની હાલત દયનીય બની,ખેડૂતે કર્યો કસ્તુરી સમાન પાકનો નાશ

મહુવા સફેદ ડુંગળીનું પીઠું ગણવામાં આવે છે.પરંતુ હાલ મહુવા માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીનો ભાવ નહિ મળવાથી ડુંગળીના પાક પર ખેડૂત દ્વારા રોટાવેટર ચલાવી ડુંગળીનો નાશ કર્યો

New Update
  • મહુવામાં ખેડૂતોને પડતા પર પાટુ

  • સફેદ ડુંગળીના ભાવ નીચા મળતા નિરાશા

  • કમોસમી વરસાદે પણ ખેડૂતોની મુશ્કેલી વધારી

  • ખેડૂતે રોટવેટર ફેરવીને ડુંગળીનો કર્યો નાશ

  • સરકાર પાસે પોષણક્ષમ ભાવ માટે કરી માંગ

Advertisment

ભાવનગર જિલ્લો ડુંગળી ઉત્પાદનનું મોટું હબ ગણાય છે.જેમાં ખાસ કરીને મહુવા સફેદ ડુંગળીનું પીઠું ગણવામાં આવે છે. પરંતુ હાલ મહુવા માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીનો ભાવ નહિ મળવાથી ડુંગળીના પાક પર ખેડૂત દ્વારા રોટાવેટર ચલાવી ડુંગળીનો નાશ કર્યો હતો.જેનો વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.

ભાવનગર જિલ્લામાં તળાજા,મહુવાગારીયાધાર,સાથે રાજુલા સહિતના વિસ્તારમાં ડુંગળી ઉત્પાદન મોટા પ્રમાણમાં થાય છે.જ્યારે મહુવા પંથક અને આસપાસના વિસ્તારમાં સફેદ ડુંગળીનું ઉત્પાદન વધારે કરવામાં આવે છે. તેમજ મહુવામાં ડિહાઇડ્રેશન પ્લાન પુષ્કળ હોવા થી મહુવા માર્કેટિંગ યાર્ડમાં અનેક ખેડૂતો ડુંગળી વેચવા આવતા હોય છે. પરંતુ તાજેતરમાં ડુંગળીની આવક મોટા પ્રમાણમાં થઈ છે.પરંતુ ભાવ તળિયે બેસી જતા ખેડૂતોમાં રોષ જોવા મળ્યો છે.

જેને લઈને મહુવાના ઉગલવાણ ગામમાં ખેડૂતોએ સફેદ ડુંગળીના બસોથી ત્રણ સો વિઘાના ડુંગળીના ઉભા પાક પર રોટાવેટર ચલાવી ડુંગળીનો નાશ કર્યા છે. જેમાં એક ખેડૂત નો વિડિઓ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. સતત ડુંગળીના ભાવ તળિયે પહોંચતા ખેડૂતોમાં નિરાશા જોવા મળી રહી છે.

મહુવા માર્કેટિંગ યાર્ડ ખાતે 1 લાખ 75 હજાર ગુણીની આવક થઇ છે. પરંતુ ગરીબોની કસ્તુરી નો ભાવ પાણી ભાવે અને પડ્યા ઉપર પાટુ પડે એમ હરાજી બોલાઈ છે. ત્યારે ખેડૂતોમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો. ગરીબોની કસ્તુરી ગણાતી ડુંગળી મહુવા પંથકમાં સફેદ અને લાલ એમ બે વકલમાં તૈયાર થાય છે.મહુવા માર્કેટીંગ યાર્ડમાં સફેદ ડુંગળીનો ભાવ એક કિલોના 60 પૈસા થી ઉંચો ભાવ 8.95 ભાવ રહ્યો છે.જે ખેડૂતોને બિયારણના ભાવ કરતા પણ ઓછો છે.

મહુવા માર્કેટીંગ યાર્ડમાં સફેદ ડુંગળીના ભાવ સતત નીચા જતા ખેડૂતોને પડ્યા પર પાટુ જેવો સમય જોવા મળ્યો છે.અને કમોસમી વરસાદ અને બીજી બાજુ ડુંગળીના ભાવ તળિયે જતા મહુવા માર્કેટીંગ યાર્ડમાં આજરોજ 1 મણનો નીચો ભાવ રૂપિયા 12 થી ઉંચો ભાવ રૂપિયા 170 મળ્યો હતો. જેને લીધે ડુંગળીના ભાવ ખેડૂતની પરેશાનીમાં વધારો કરી રહ્યા છે.

Advertisment