અમરેલી: આંબરડી સફારી પાર્ક બન્યું પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર

અમરેલી જિલ્લામાં ધારી નજીક આવેલા આંબરડી સફારી પાર્ક પર્યટકો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે.દિવાળી વેકેશનમાં પ્રવાસીઓ માટે સિંહ સહિતના પ્રાણીઓને પ્રત્યક્ષ જોવાનો  આનંદ પ્રવાસીઓ ઉઠાવી રહ્યા છે.

New Update

અમરેલી જિલ્લામાં ધારી નજીક આવેલા આંબરડી સફારી પાર્ક પર્યટકો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે.દિવાળી વેકેશનમાં પ્રવાસીઓ માટે સિંહ સહિતના પ્રાણીઓને પ્રત્યક્ષ જોવાનો  આનંદ પ્રવાસીઓ ઉઠાવી રહ્યા છે.

દિવાળી વેકેશનમાં આપણા ગુજરાત રાજ્યના લોકો સૌ થી વધુ પરિવાર સાથે બહાર નીકળતા હોય છે.ત્યારે સૌરાષ્ટ્રમાં આવેલ સફારી પાર્કમાં સિંહ દર્શન કરવા માટે લોકો ખૂબ મોટી સંખ્યામાં આવી રહ્યા છે.સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાત ઉત્તર ગુજરાત અને અન્ય રાજ્ય રાજસ્થાન,મધ્યપ્રદેશ આસપાસના રાજ્ય માંથી પ્રવાસીઓની ભીડ જામી રહી છે.

લોકો પરિવાર સાથે વેકેશનની મજા માણવા અમરેલીના આંબરડી સફારી પાર્કમાં સિંહ દર્શન કરવા માટે ઉમટી પડ્યા છે.અહી વનવિભાગ  દ્વારા દિવાળી વેકેશનને લઇ વિશેષ વ્યવસ્થાઓ  કરવામાં આવી છે.ત્યારે પર્યટકો આ સફારી પાર્કમાં સિંહ દર્શન સહિતનો લ્હાવો લઈ ખુશ ખુશાલ જોવા મળી રહ્યા છે,

આંબરડી સફારી પાર્કમાં દિવાળી વેકેશનમાં લોકો પરિવાર સાથે આવી રહ્યા છે અહીં સેલ્ફી પોઇન્ટ છે.અને આંબરડી સફારી પાર્કમાં એક સિંહ યુગલ સિંહબાળ સાથેનું સ્ટેચ્યુ સૌથી મોટું મુકવામાં આવ્યું છે.જે સફારી પાર્કમાં આકર્ષણનું કેન્દ્ર છે,લોકો દૂર દૂરથી આ સ્ટેચ્યુ જોવા માટે આવી રહ્યા છે અને સેલ્ફી લઈ રહ્યા છે અને બાળકો પરિવારો ખૂબ મોટી સંખ્યામાં આનંદ માણવા માટે અહીં આવી રહ્યા છે.

Read the Next Article

નર્મદા : ગુજરાત વિધાનસભાની ખાતરી સમિતિ સ્ટેચ્યુ ઓફ યુનિટી એકતાનગરની લીધી મુલાકાત

ગુજરાત વિધાનસભા સચિવાલય દ્વારા રચાયેલી ખાતરી સમિતિએ 10મી, જુલાઈના રોજ સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસરની મુલાકાત લીધી હતી,અને સરદાર વલ્લભાઇ પટેલની ભવ્ય પ્રતિમા નિહાળીને મંત્રમુગ્ધ બન્યા હતા.

New Update

ખાતરી સમિતિSOUની મુલાકાતે

સભ્યોએ લીધીSOUની મુલાકાત

સરદાર સાહેબની પ્રતિમાના કર્યા દર્શન

ભવ્ય પ્રતિમા નિહાળીને મંત્રમુગ્ધ બન્યા

આ પ્રસંગે પીએમ મોદીનો માન્યો આભાર

ગુજરાત વિધાનસભા સચિવાલય દ્વારા રચાયેલી ખાતરી સમિતિએ 10મીજુલાઈના રોજ સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસરની મુલાકાત લીધી હતી,અને સરદાર વલ્લભાઇ પટેલની ભવ્ય પ્રતિમા નિહાળીને મંત્રમુગ્ધ બન્યા હતા.

ગુજરાત વિધાનસભા સચિવાલય દ્વારા રચાયેલી ખાતરી સમિતિના પ્રમુખ કિરીટસિંહ રાણાની આગેવાની હેઠળ સમિતિના સભ્ય કિરીટકુમાર પટેલ,સુખાજી ઠાકોર હાર્દિક પટેલકિરીટસિંહ ડાભી અને ભગા બારડે સ્ટેચ્યુ ઓફ યુનિટી (SOU) પરિસરની મુલાકાત લીધી હતી.સભ્યોએ લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 182 મીટર ઉંચી આ ભવ્ય પ્રતિમાની સમક્ષ ઊભા રહીને ગૌરવની લાગણી અનુભવી હતી. આ પ્રસંગે તેમણે સરદાર સાહેબના વિચારો અને દેશની એકતા અને અખંડિતતા માટે આપેલ બહુમૂલ્ય યોગદાનને યાદ કરીને પ્રતિમાના દર્શન કરીને ભાવવંદના કરી હતી.

આ પ્રસંગે સમિતીના સભ્ય હાર્દિક પટેલે જણાવ્યુ કેસ્ટેચ્યુ ઓફ યુનિટી માત્ર પ્રતિમા નથી પણ ભારત દેશના સ્વાભિમાનનું સ્થાન છેસરદાર પટેલનો શ્રેષ્ઠ ભારતનો સંકલ્પ સ્ટેચ્યુ ઓફ યુનિટીના માધ્યમથી સમગ્ર ભારતમાં પ્રસર્યો છે. સ્ટેચ્યુ ઓફ યુનિટીના પ્રદર્શનમાં સરદાર પટેલે કરેલા સંઘર્ષની હકીકત બતાવવાનો પ્રયાસ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કર્યો છે. 

ખાતરી સમિતીના સભ્ય કિરીટ પટેલે પોતાના પ્રતિભાવ વ્યક્ત કરતા જણાવ્યું કેઆજે સમિતિના ચેરમેન અને સભ્યો સાથે મુલાકાત કરીસૌથી પહેલા સુંદર પ્રતિમા બનાવવાનો વિચાર વડાપ્રધાન નરેન્દ્ર  મોદીને આવ્યોતેમને અભિનંદન આપું છુઆજે વિશ્વસ્તરે સુંદર મૂર્તિ તેઓએ બનાવી છે. લોખંડી પુરુષ સરદાર પટેલે સમગ્ર ભારતને એક તાંતણે જોડયો હતોતેમનું યોગદાન લોકોના દિલ અને દિમાગમાં રહે તે માટે પ્રદર્શન કક્ષમાં સુંદર વ્યવસ્થા કરી છે તેમને અભિનંદન આપુ છે અને ખાસ કરીને જે લોકોને આ વિચાર આવ્યો હોય તેમનો આભાર માનું છુ.